________________
૨૮૪
આનંદ મંદિર. પૂર્ણ આશ્વાસન પ્રાપ્ત થાય છે. તમારા જેવા ઉપકારી પુથીજ આ પૃથ્વી રત્નગર્ભ કહેવાય છે. જે પુરૂષોને જન્મ બીજાના ઉપકારને માટે થતું નથી, તે પુરૂષનું જીવન નિરર્થક છે. એક નીતિ વિદ્વાન તેને માટે નીચે પ્રમાણે લખે છે.
याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य । तेन मृमिरति भारतवतीयम्
न द्रुमै गिरिभिर्न समुद्रः ॥ १ ॥ યાચના કરનાર માણસના મનની વૃત્તિ પુરવા માટે જે પુરૂષને જ મ થતો નથી, તેવા પુરૂષવડે આ પૃથ્વી અતિ ભારવાળી છે. વૃક્ષેથી, પરંતથી, અને સમુદ્રોથી ભારવાળી નથી. ૧
તે વૃદ્ધનાં આવાં વચન સાંભળી અમોને ઘણી અસર થઈ. તત્કાળ અમે પાસેના ભીલ લોકોના ગામમાં ગયા, અને અતિસારના રોગને નાશ કરનારાં પધો ત્યાંથી લાવ્યા ઔષધને ઉપચાર કરી મદનપૂર્વક સ્નાન કરાવી, તે ડોસાને સ્વસ્થ કર્યો. બે પહોરમાં તે તેને રોગ મટી ગયો, અને તે સ્વસ્થ થઈ બેઠો થયો. તે વૃદ્ધ અમારી ઉપર ઘણે પ્રસ. ન થયો, અને તેણે ઝોળીમાંથી એક પાષાણ કાઢી અમોને આપે, અને કહ્યું, ભદ્ર ! આ સ્પર્શમણિ છે; લેઢાને આ મણિથી સ્પર્શ કરશો, તે તે સેનું થઈ જશે. મને કઈ મહાત્મા પાસેથી પ્રાપ્ત થયું છે. તમારા ઉપકારને બદલે બીજી રીતે મારાથી વાળી શ. કાય તેમ નથી, તેથી આ એક ઉપયોગી વસ્તુ તમને ભેટ કરી, હું મારા આત્મામાં સંતોષ માનીશ. શ્રીચ કે તે મણિ લીધો નહીં અને કહ્યું, વૃદ્ધ ! મનુષ્ય મનુષ્યને જાતિ મિત્ર છે; દુઃખી જનને સહાય કરવી, તે પ્રત્યેક મનુષ્યને ધર્મ છે. કાંઈ ૫ બદલે લેવાની ઇચ્છાથી અમે કર્યું નથી, માટે એ મણિ આપવાની કાંઈ જરૂર નથી. એવી ઉપયોગી વસ્તુની તમારે જરૂર છે. વૃદ્ધાવસ્થામાં દ્રવ્ય હે, તે સેવા થઈ શકે છે, માટે તમે તે વિષેને આગ્રહ કરશે નહીં. તરતજ વૃદ્ધ સંભ્રમથી બોલી ઉઠ, અરે ભાઈ ! આ શું બોલો છો ? મારે હાથ પાછો ઠેલશો નહીં, મારે હવે આ વસ્તુની જરૂર નથી, આ વસ્તુના અધિકારી તમેજ છે; વળી સર્વ રીતે સુપાત્ર છો, હું કઈ બદલે આપતો નથી, પણ મારા એક ગરીબ વૃદ્ધનું સર્વદા સ્મરણ રહેવાને માટે આ વસ્તુની ભેટ આપું છું. જે તમે ન સ્વીકારો તે, તમને મારા સોગન છે; એમ કહી તે વૃદ્ધ અતિ આમ કરી, અમને તે સ્પર્શમણ ભેટ કર્યો. તે પછી વૃદ્દે જણાવ્યું. મારું આયુષ્ય પૂર્ણ થયું છે, હવે હું આ શરીર છોડી દઉં છું, એમ કહી તે નીચે પડી ગયે. મૃત્યુ વખતે તેણે અને સૂચના કરી કે. આ સ્પર્શમણિથી અગણિત દ્રવ્ય સંપાદન થશે, તેથી તે દ્રવ્યનો સદુપયોગ કરજો. આ ભારતભૂમિને અણુ રહિત કરજો, દીન જાને ઉદ્ધ ૨ કરજો, સાધમ વાત તમે કરી જન વર્ગને ઉદય કજો, અહંત ધર્મની ઉન્નતિ થાય, તેવાં સાર્વજનિક કામો ઉભાં કરજે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org