SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ માતૃ મેળાપ, ૨૮૧ તરતજ સફળ થયું. એ સ્વમામાં ઇષ્ટ યોગને મહા લાભ સૂચવેલો હતો, જે મહા લાભ મને અકસ્માત પ્રાપ્ત થઈ આવ્યું. માતુશ્રી ! આજે આ સેવક કૃતાર્થ થયો છે, મારા જીવનની સાર્થકતા થઈ છે. માતા ! તમારે પૂર્ણ આભારી આ પુત્ર ખરેખર ધન્યતાને પાત્ર થયું છે. માતાનું દર્શન એ પુત્રને પરમ લાભકારી છે. ઉદરમાં ધારણ કરી જીવન આપનારી જનનીને પુત્ર યાજજીવિત આભારી છે, પુત્રની પુત્રતા માતૃભક્તિમાંજ ચરિત્ર તાર્થ છે, માતાની પૂર્ણ ભક્તિ કરનારા પુત્રોજ સદ્ગતિના પાત્ર છે. માયાળુ માતા ! હું તમારો પુત્ર શ્રીચંદ્ર છું, આ મારો મિત્ર ગુણચંદ છે. શ્રીચંદ્રનું નામ સાંભળતાં જ તે સ્ત્રી ચકિત થઈ ગઈ, તેના સ્તનમાંથી પધારા છુટવા લાગી, પુત્રને પવિત્ર પ્રેમ સ્તનના પયરૂપે દેખાય. ક્ષણવાર સંભ્રમ પામતી અને નેત્રમાંથી પ્રેમાશ્રુ વર્ષાવતી, તે સ્ત્રી પુત્રને ભેટીને બોલી, વત્સ ! આ અરણ્યમાં ક્યાંથી આવ્યા ? આજ એક વર્ષ થયાં તારા વિયોગથી પીડિત છું, તારા વિના મારો રાજ્યવાવ અને રાજમહેલ શૂન્ય હતા, કુશસ્થલી રાજધાની મને સમશાન જેવી લાગતી હતી; આજે તારાં દર્શન કરી સૂર્યવતીનું હૃદય સુધા કુંડમાં મગ્ન થયું છે. જો કે હું અત્યારે રાજધાનીથી વિખુટી પડી છું, તારા પિતા મારા માટે અતિ શેક કરતા હશે, તથાપિ તારા મેળાપથી મારું દુઃખ વિનષ્ટ થઈ ગયું છે. મારા દુઃખને અતિ શુભ પરિણામી થયો છે, મને દુઃખ આપનારનો હું અત્યારે ઉપકાર માનું છું. કર્મની વિચિત્રતા અવર્ણનીય છે, તેના યોગથી કઈવાર દુઃખ પણ હર્ષનું કારણ થઈ પડે છે. પુત્ર ! આ ચમત્કારી મેળાપને હેતુ શો હશે ? ગમે તે હેતુ હોય, પણ તે આ વખતે આનંદદાયક થઈ પડયો છે. આ પ્રમાણે કહી સૂર્યવતીએ ગુણચંદ્રને કહ્યું, વત્સ ! તારા મિત્ર ધર્મને ધન્યવાદ આપું છું. તે શી રીતે મિત્ર સમાગમનો લાભ મેળવ્યો ? મિત્રની પાછળ ફકીરી લઈ, ચાલી નીકળનાર તારા જેવા મિત્ર વિશ્વમાં વિરલા છે. મિત્રતાનું માહાય તું એકજ જાણે છે. વત્સ ! તારો વૃતtત જાણવાની ઇચ્છા થાય છે, તે કોઈ પ્રસંગે જાણી લઈશ. આ પ્રમાણે સૂવતીએ ગુણચંદ્રને કહ્યું, એટલે ગુણચંદ્ર નગ્ન થઈ બોલ્યો, માતુશ્રી ! મને ધન્યવાદ આપે છે, તે કાંઈ યોગ્ય નથી, મેં કાંઈ પણ કર્યું નથી, યથાશક્તિ મેં મારી ફરજ બજાવી છે. તમારા પુત્ર શ્રી ચંદ્રને માટે જેટલું કરીએ તેટલું થોડું છે, તે મહાનુભાવે મને બાવથી પોતાને કરી માને છે, તેમની પુણ્ય સમૃદ્ધિ માટી છતાં તેઓ મારા જેવા ગરીબને પ્રેમથી બોલાવે છે, એટલું જ નહીં, પણ એક પિતાના સદર બંધુ જે તે મને ગણે છે, તેમના પ્રતાપથીજ મારું જીવન કૃતાર્થ છે, શ્રીચંદ્ર જેવા કૃતસ મિત્ર જગતમાં થોડાજ હશે; તે સાથે મિત્રતાની મમતા ધરનારા તેવા વીર મિત્રને ઘણા ધન્યવાદ ઘટે છે. આ પ્રમાણે સૂર્યવતીની સાથે વાર્તાલાપ થતો હતો, ત્યાં શ્રીચ કે પ્રણામ કરી માનાને પુછ્યું, માતા ! તમે આ સ્થાને કયાંથી આવ્યાં ? મારા પિતાશ્રી કયાં છે? કુશસ્થલીમાંથી અહીં આવવાનું શું પ્રયોજન છે ? તમારી સાથે કોઈ પણ રાજપરિવાર કેમ નથી ? સૂતી બાલી પુન : તારે ખરે મેળાપ મને આજે બાર વર્ષ થયા છે. કઈ જ્ઞાની મુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy