SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ આનંદ મંદિર, વિયેગી દંપતિઓને ઉન્માદ, મોહ, અને શેષણ દશાને પમાણે હતો, પંચમ સ્વરને ત્રવણ કરી સચેત પ્રાણીમાં વિકાર ઉત્પન્ન થતો હતો, સંયોગીને સુખ અને વિયોગીને દુઃખ પ્રાપ્ત થતાં હતાં, વસંતને વન વૈભવ જોઈ માનિનીઓનું માન ઉતરી જતું હતું, મેના, પિપટ, કોયલ, અને મેર સુંદર ક્રીડા કરતાં હતાં. જળાશયોમાં દંપતિ જળક્રીડા કરતાં હતાં, પરસ્પર જળની પિચકારી મારી અતિ આનંદ લેતાં હતાં, કોઈ કેશર જળની પીચકારી ભરી સૂક્ષ્મ વસ્ત્રપર છાંટતાં હતાં. આ દેખાવ જોઈ અને મિત્રો અતિ આનંદ પામ્યા, અનેક જાતની વનની ક્રીડાઓ કરી હૃદયને વિનેદ આપવા લાગ્યા. વસંતવડે પ્રદીપ્ત થયેલી વનની શોભા જેવાને વનભૂમિમાં ફરવા લાગ્યા. કોઈ સ્થળે કેકિલાને પંચમ સ્વર, કોઈ સ્થાને વનવાસીઓના મુખથી હેરીનાં ગીત, અને કઈ રથળે વેણું ગાન સાંભળી, તેઓ અતિ હર્ષ પામ્યા. વસંતથી સુશોભિત વનભૂમિમાં વિચરતા બન્ને મિત્રો પરસ્પર વાવિદ કરતા હતા, કોઈ સ્થળે અભિનવ તુક જોઈ, તેઓના હૃદયમાં અતિ આનંદ આવતું હતું. વસંતના વિહારથી મનોવૃત્તિને પ્રસન્ન કરતા તેઓ ઘણીવાર સુધી વનભૂમિમાં ફર્યા, અને ગીત નાદ ના વિનેથી તેમણે પિતાને કાળ નિર્ગમન કર્યો. સપુરૂષને સમય શ્રેષ્ઠ આનંદમાં જ વ્યતિત થાય છે; તેઓની મનોવૃત્તિમાં દુરા ચાર પ્રવેશ કરી શકતું નથી. દુરાચાર, અનીતિ, વ્યસન, દુઃચેટા, અને કુવિચાર ની પ્રતિબિંબ તેઓના હદયરૂપ દર્પણમાં પડતાં જ નથી, કુસંગ તેમનાથી ઘણો જ રહે છે, આસક્તિ તેમના અંગને સ્પર્શ કરી શકતી નથી, લંપટપણે તેમનાથી દૂર ભાસે છે, ક્રોધ તેમનામાં આવી શકતો નથી, માન તેઓનું માન રાખે છે, માયા-કપટ તેનાથી અંજાઈ જાય છે, અને વિરોધ તેમની સાથે વિરોધ કરે છે. આવા પુરૂષોને કાળ નીતિના, મેત્રીના, અને શાસ્ત્ર તથા ગીતના વિદથી નિર્ગમન થાય છે. તેને માટે સાહિત્યકાર નીચેનું પદ્ય પિકાર કરી કહે છે. गीत नाद विनोदेन कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां निद्रया कलहेन च ॥ १॥ બુદ્ધિમાન-પુરૂષને કાળ ગીત નાદના વિદથી નિર્ગમન થાય છે, અને મૂર્ખ કોને કાળ વ્યસન, નિદ્રા અને કલેશ-કંકાસથી જાય છે. આ પ્રમાણે કનકપુરપતિ શ્રીચંદ્ર અને ગુણચંદ્ર મંત્રિનો સમય, વસંતના વિનેદથી પ્રસાર થતો હતે. તેઓ પૂર્વની વાર્તાઓ કરી, પૂર્વ ચરિત્રો સંભારી, વિવિધ જાતની ગમત કરતા હતા, તે સાથે સમસ્યા, પાદપૂર્તિ, અને ચમત્કારી કવિતાઓને વિનોદ પણ કરતા હતા. ઘણું વાર સુધી કનકપુરની વનભૂમિમાં વિહાર કરી, તે બને પિતાની રાજ. ધાનીમાં પાછા ફર્યા. શ્રીચંદે ગુણચંદ્રતા આત્માને સર્વ પ્રકારે તૃપ્ત કરી દીધે, પિતે કરેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy