________________
વસંત વિનોદ,
ર૭૭ ગવવાને વિશેષ ભાગ લે છે. મિત્ર ! જેવી રીતે સાંસારિક સમૃદ્ધિ વસંતમાં પ્રવર્તે છે, તેવી રીતે ધાર્મિક સમૃદ્ધિ પણ વસંતનો લાભ મેળવે છે. વસંતનાં વિકસિત કુપો લઈ સદુશપણી શ્રાવકે જિન પ્રતિમાની પૂજા કરે છે, પુષ્પોની સુગંધી માળાઓથી જિન ભગવંતની
પવિત્ર પ્રતિમાઓની આસપાસ ઉત્તમ પ્રકારની આંગી રચે છે; માળાકારની મહિલાઓ પંચરંગી પુષ્પની છાબડીઓ ભરી જિનાલય તરફ જાય છે.
શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી ગુણચંદ્ર બોલે, પ્રિય મહારાજા ! તમે વસંતનું વર્ણન કર્યું, તેથી કાંઈ હું વનમાં જવાને લલચાત નથી, પણ તમારા જેવા પવિત્ર મિત્રના સહવાસનું સુખ સંપાદન કરવાની ઇચ્છાથી જ મને વનમાં આવવાની ઉત્કંઠા થાય છે. પ્રિય મિત્રની સાથે રહી, વન શોભા જેવા ભાગ્યશાળી થયે, તેને માટે હું મારા આ ત્માને અભિનંદન આપું છું. વસંતના વિલાસ કરતાં મને મિત્ર ગોષ્ટીને વિલાસ વધારે આનંદ આપે છે. ધન, ગૃહ, વૈભવ, સ્ત્રી કે રાજ્ય સુખને હું મિત્ર સુખની આગળ તૃણ વત ગણું છું. આપે મને મંત્રી પદ આપ્યું, તે કાંઈ મારા આનંદને હેતુ થાય તેમ નથી. કારણ કે, તે પદવીના કરતાં ચડીયાતી મિત્રત્વની પદવી તમે મને પ્રથમથીજ આપેલી છે, જે પદવી સંપાદન કરી, હું અત્યાર સુધી કૃતાર્થ થયે છું. આપ મને વસંત વિલાસ કરવા વનમાં જવાનું આમંત્રણ કરે છે, તે પણ હું મારા મોટા ભાગ્યનું શુભ ચિન્હ ગણું છું. કારણ કે, આપે કરેલું પ્રેમપૂર્વક આમંત્રણ મારા હૃદયને અતિ આનંદકારક થઈ પડશે. મિત્ર ! વિશેષ શું કહેવું, આ શરીર તમારેજ આધીન છે. માવજીવિત તમારી સેવા કરવાને આ જીવન નિર્મભું થયેલું છે. ચાલો તૈયાર છું.
ગુણચંદ્ર મંત્રીનાં આ વચન સાંભળી શ્રીચંદ્ર ઘણોજ ખુશી થયો, તેણે સેવકને વનમાં જવાની તૈયારી કરવા આજ્ઞા કરી, મહારાજાની આજ્ઞા થતાંજ સર્વ જાતની તૈયારી થઈ ગઈ. બન્ને રાજા અને મંત્રી એક સુંદર રથમાં બેસી કનકપુરની નજીક રહેલા સુંદર વનમાં આવ્યા, વનભૂમિને જોતાંજ તેઓને અલકિક આનંદ ઉત્પન્ન થયે. વસંતે પિતાની રાજધાની પ્રવર્તાવી હતી, પ્રત્યેક સ્થળે કુદરતી રમણીયતા ખીલી રહી હતી, નવપલ્લવથી સુશોભિત વૃક્ષોમાંથી પંચમ સ્વરના પોકાર થતા હતા, શીત, મંદ અને સુગંધી પવન આમ્રવૃક્ષને આલિંગન કરી પ્રસરતો હતો, પ્રેમી પ્રિયની આગળ જેમ રસિક પ્રિયા હાવભાવ કરે, તેમ વાસંતીલતા પિતાના વૃક્ષરૂપ પતિની આગળ હાવભાવ કરતી હતી, ઉ. લંકિત અંગનાની જેમ વલ્લીઓ વૃક્ષોને ભેટી પડી હતી, પુનાં વૃક્ષો પિતાના ગુચ્છથી જાણે હાસ્ય કરી આમંત્રણ કરતાં હોય તેમ દેખાતાં હતાં, તાલ, તમાલ, હિંતાલ, અને સોપારીનાં વૃક્ષો જાણે વસંતની ધ્વજાઓ હેય, તેવાં દીપતાં હતાં, ઝરણુના અવનિઓ વસંતરાજાની નોબતની ગરજ સારતા હતા, તિલક, અશોક અને વરૂણનાં છ નવપલ્લવ થઈ વનને દીપાવતાં હતાં, મધુકર અને મધુકરી પુછપરૂપ પાત્રમાં મકરંદ રસનું પાન કરતાં હતાં, હરિણ અને હરિણી પોતાનાં શીંગડાંથી પરસ્પર ખુજલી કરી પ્રેમ દર્શાવતાં હતાં, હાથીઓ પિતાની શુંઢમાં જળ ભરી, હાથિઓની ચૂંઢમાં પ્રીતિથી રેડતા હતા, ચકલી અને મક પરસ્પર મુખપર ચુથી ચુંબન કરતાં હતાં, કામદેવ પોતાનાં પાંચ બાણથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org