SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ આનંદ મંદિર, પંચમ રવરને મહાનાદ પ્રત્યેક સ્થળે થઇ રહ્યં છે, નવપલ્લવની શોભાથી સુશોભિત થયેલી વનશ્રેણી વસંતની શોભાને વધારે છે. આ વખતે કનકપુરને મહારાજા શ્રીચંદ્ર વસંતની વનલીલા જેવાને ઉત્સુક થયે હતો, તેના હૃદયમાં પિતાના પ્રિય મિત્ર ગુણચંદ્રને આનંદ આપવાની ઈચ્છા હતી, પિતાને માટે અથાગ શ્રમ લઇ દેશાટન કરનાર ગુણચંદ્રને વસતિના વિદથી આનંદ આપે, આવો તેણે નિશ્ચય કર્યો હતે. પ્રાતઃકાળની નિત્યક્રિયા કરી નિવૃત્ત થઈ શ્રીચ કે પિતાના મિત્ર ગુણચંદ્રને સભા મંડપમાં બેલા. ગુણચંદ્ર વિનયથી નમ્ર થઈ ઉભો રહ્યો. શ્રીચ કે કહ્યું, મિત્ર ! આજ કાલ વસંતઋતુ ચાલે છે, સર્વ ઋતુઓમાં વસંતને ઋતુરાજની પદવી મળી છે, એ વિલાસી તુમાં વનલીલાને આનંદ મેળવવાની મારી ઇચ્છા થઈ છે. તમારા જેવા પ્રેમી મિત્રને લઇ, વનલીલાનો અનુભવ કરવા અને આત્માને ઉત્તમ આનદ આપવા મારી મનોવૃતિ પ્રવૃત્ત થઈ છે. આજે ઘણે દિવસે આ મહા લાભ પ્રાપ્ત થયું છે. મિત્રગોષ્ટીની મહત્તા સર્વથી મોટી છે, મિત્રોનો આનંદ અલૈકિક છે, મિત્ર ધર્મની મહત્તા આવા મધુર સમયમાં જ દેખાઈ આવે છે. આ સમયને સુખાનંદ સંપાદન કરવાને આપણે સંપૂર્ણ ભાગ્યશાળી થયા છીએ, મિત્રવર્વ ! આ દિગ્ય સમયને લાભ લેવા આપણે ચુકવું ન જોઈએ. વનલીલાની કુદરતી શોભા મિત્રની સાથે જોવાની મને ઘણી હેશ છે, વનનું સૌંદર્ય વસંતને દીપાવે છે, વસંતનો મહાનંદ દિવ્ય દર્શન આપે છે. મિત્ર ! ચાલે, એ અલૌકિક આનંદ લઈએ. વનની મનહર ભા તમારાં નેત્રનેતૃપ્ત કરશે, પુષ્પની લી જતદાર ખુશબો તમારી ધ્રાણેદ્રિયને સંતુષ્ટ કરશે, કોકિલાને પંચમ સ્વર તમારા શ્રવણને આનંદ આપશે, સ્વાદિષ્ટ વનફળો તમારી રસનાને માધુર્ય આપશે, અને વનનો શીત, મંદ તથા સુગ ધી પવન, તમારા અંગને સુખ સ્પર્શ થશે. મિત્ર ! વિવિધ જાતનાં વન, પશુઓ, અને પક્ષીઓની ક્રિીડા જોઈ તમારૂં કૌતુક પૂર્ણ થઈ જશે. પાથેય ભોજન લઈ, અને ઝરણાના કુદરતી જળનું પાન કરી, તૃપ્ત થયેલા પથિકજને છાયાદાર વૃક્ષોની નીચે બેઠેલા જોઈ, તમને અતિ આનંદ ઉત્પન્ન થશે. આમ્ર વૃક્ષની ઘટા નીચે રાસડા લઈ ગમત કરતી, ભીલની બાલિકાઓ તમારાં નય. નને કેતુક આપશે, વડના વૃક્ષ નીચે વડવાઈના હીંચકા ઉપર હીંચતા વાંદરાંઓને જોઈ તમને ઘણી ગમત પડશે, જેમાંથી નીકળતા મધુર સ્વર સાંભળી તમને અતિ વિનોદ થશે. મિત્રમણિ! ચાલે, સવર તૈયાર થાઓ. વસંતઋતુનો વિનેદ અનુભવી જીવનના સુખમાં વધારો કરો, કનકપુરની વનશોભા દર્શનીય છે, આ દેશ ફળદ્રુપ છે, અનેક જાતની અભિનવ ઔષધિઓ આ દેશમાં ઉત્પન્ન થાય છે. વનના વિલાસી વૈભવથી આ દેશ સર્વ દેશથી ચડીયાત છે, વિવિધ જાતની કુળ સમૃદ્ધિ આ દેશની ભૂમિને અલંકૃત કરે છે, કાનપુરની પ્રજા વસંતના વિલાસનો યથાર્થ અનુભવ કરે છે, અહીંના લેકમાં વનવિલાસ પ્રધાનપણે રહે છે. વનની રમણીયતાને લાભ લેવાને રમણીય વર્ગ વધારે ભાગ લે છે. વસંતને વરિષ્ઠ મિત્ર કામદેવ, આ ઋતુને શૃંગારની સહાય આપે છે; પ્રેમી દંપતિ વસંતને વિલાસ ઉલ્લાસથી ભોગવે છે. કનકપુરની કામિનીઓ વસંત વિલાસ ભેર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy