________________
મિત્રને મેળાપ.
૨૭૩
કરી હતી. એ પ્રભાવિક ધર્મના સ્મરણથી મદનસુંદરી વિષેની મારી મેહદશા તદ્દન શીથિલ થઈ ગઈ. ભાવી ઉપર આધાર રાખી હું તે સ્થળેથી આગળ ચાલ્ય, થોડે દૂર જતાં કનકપુર નામે એક નગર આવ્યું, તેની પાસેના વનમાં જઈ મેં વિશ્રામ લીધો.
એ કનપુર નગરને રાજા કનકધ્વજ પુત્ર રહિત અકસ્માત શળના રોગથી મૃત્યુ પામ્યો હતો, તેના લક્ષ્મણ નામના આસ્તિક મંત્રીએ રાજ્યની અધિષ્ઠાયક દેવીની આરાધના કરી, એટલે તે દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું, મંત્રી ! ચિંતા કરે નહીં. પંચદિવ્ય કરી કોઇ ઉત્તમ પુરૂષને શોધી રાજા બનાવો. દેવીની આજ્ઞાથી મંત્રીએ પાંચદિવ્ય કર્યો. એક હાથિણીની સુંઢમાં સુવર્ણ કળશ આપ્યો, તે હાથિણી વિગેરે પંચદિવ્ય ત્રણ દિવસ સુધી ગામમાં ફર્યો, પણ કોઈ યોગ્ય પુરૂષ મળ્યો નહીં. પછી તેઓ નગરની બાહેર ગયાં. જે સ્થળે હું શાંત થઈ બેઠે હતો, ત્યાં તે પંચદિવ્ય આવ્યાં. મંગળરૂપ હાથિણીએ મારી ઉપર કળશવડે અભિષેક કર્યો. અધે ખોંખારો કર્યો. છત્ર અને બે ચામરે મને અલંકૃત કર્યો. બંદીજને જયનાદ ઉચ્ચાર્યો. તત્કાળ લક્ષ્મણ મંત્રી મારી પાસે આવી બેલ્ય-મહાનુભાવ! તમે અમારા મહારાજા થયા છે, આ કનપુર તમારી રાજધાની છે, આ દેશ નવલાખ ગામને છે, અમારા સ્વર્ગવાસી મહારાજા કનકધ્વજને કનકાવતી નામે પુત્રી છે, તેના તમે સ્વામી થાઓ, અને આ મહારાજ્ય ઉપર તમારી આજ્ઞા પ્રવર્તાવે. અમે બધા આપના સેવક છીએ.
મિત્ર ! લક્ષ્મણ મંત્રીનાં આ વચન મેં માન્ય કયાં. તત્કાળ તેણે મારા હાથમાં ખ આપ્યું. જ્યારે મેં હાથમાં લીધું, તે વખતે તે ચતુર મંત્રીએ મારો મુદ્રાલેખ વાંચી મારું નામ જાણી લીધું. મારું પ્રખ્યાત નામ જાણી, તે ઘણો હર્ષ પામે. તત્કાળ તેણે મોટા પાયા ઉપર મારો પુરપ્રવેશ ઉત્સવ કરાવ્યો. કનપુરની પ્રજાએ ઉમંગથી મને વધાવી લીધો. તે પ્રસંગે યાચકોને અગણિત દાન આપવામાં આવ્યાં, બંદીવાનોને છોડવામાં આવ્યા, અને જિનાલમાં પૂજા ભણાવવામાં આવી. ઈદના રાજ્યાભિષેકના જેવો જ મારો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો.
મિત્ર ! કનકપુરની પ્રજાના આગેવાને મને રાજયાસન ઉપર મળવાને આવ્યા. મને જોઇ તેઓ અત્યંત આનંદ પામતા હતા. કોઈ મને જઇ “ કનકપુરનું રાજ્ય કૃતાથી થયું, ” એમ કહેવા લાગ્યા, કેઈ “ કનકપુરની ભૂમિ રાજન્વતી છે” એમ ઉચે સ્વરે બેલવા લાગ્યા, કેટલાએક મને જોઈને જ કહેતા કે, “ આ કોઈ રાજકુમાર છે.' આપણને
ગે ખરેખરે રાજા મળે છે. રાજકુટુંબના લેકે મને જોઈ ઘણેજ આનંદ પામા, અને મારો સદાચાર જોઇ, તેઓના હૃદયમાં ઘણો જ સંતોષ થયો, તેઓ મને જોઇ પરસ્પર સંતોષ જણાવતાં નીચેનું પદ્ય બોલતા હતા. ___ आचारः कुलमाख्याति देशमाख्याति भाषणम् ।
संभ्रमः स्नेहमाख्याति रूपमाख्याति भोजनम् ॥ १ ॥
પુ
૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org