________________
૨૭૨
આનંદ મંદિર.
કલ્પાંત કરવા માંડયું, ક્ષણવારમાં મહારાજા પ્રતાપસિંહને તે વાતની ખબર પડી, એટ લે તેઓએ મને પોતાના રૂબરૂ લાવ્યે. મેં જે હકીકત હતી, તે નિવેદન કરી, તે પછી મહારાજાએ અને રાણી સૂર્યવતીએ ધણા કલ્પાંત કર્યાં, તેવામાં કાષ્ઠ જ્ઞાની મુન કુશસ્થલીમાં આવી ચડયા. મહારાજા પ્રતાપસિંહ અને રાણી સૂયૅવતીએ જ્ઞાની મહારાજાને તમારે માટે પુછ્યું. એટલે તે મહાત્માએ તમારૂં પૂર્વ સ્વરૂપ પ્રતાપસિંહ રાજાને જણાવ્યું. તમે સૂયૅવતીના પુત્ર છે, એમ સર્વના જાણવામાં આવી ગયું. તે સાથે તે મહાશયે જણાવ્યું હતું કે, શ્રીચંદ્રકુમાર કુશળક્ષેમ પાછા એક વર્ષમાંજ આવશે. તે જ્ઞાનીનાં વચન ઉપર વિશ્વાસ રાખી, સર્વેએ પોતાનું જીવન ટકાવી રાખ્યું છે, તે પછી ચદ્રકળાને તમારી ભાજાજીના સહવાસમાં રાખી હું આ કાર વેષે તમારી શેાધ કરવા ચાલી નીકળ્યેા હતેા. મહારાજા પ્રતાપસિંહે પણ તમારી શેાધને માટે તેને મેકલ્યા છે. સૂર્યવતી સગભા છે. તથાપિ જ્યાં સુધી તમારાં દર્શન ન થાય, ત્યાંસુધી ઘેબર વિગેરે મિષ્ટાન્નના ત્યાગ કરવાને અભિગ્રહ તે કરી ખેડાં છે.
હું તમારી શાધને માટે કુશસ્થલીમાંથી નીકળ્યો, ત્યારે ચંદ્રકળા વિગેરેને માટે શુ શિક્ષા આપી ધનજયને રાખ્યા છે, ત્યાંથી પ્રથમ કુંડલપુરમાં આવી ચંદ્રલેખાને મળ્યો, તેની વાત સાંભળી તેને સાંત્વન કરવા ત્રણ રાત્રિ સુધી તે નગરમાં રહ્યા, ત્યાંથી માહેદ્રપુરમાં આવ્યા, ત્યાં સુલેાચનાને મળ્યા, ત્યાં હેમપુરમાં તમારા ખબર સાંભળવામાં આવ્યા, એટલે હું ત્યાં ગયા, ત્યાંના રાજા મદનપાળે તમારે વૃત્તાંત જણાવ્યા, અને કહ્યું કે, શ્રીચંદ્ર ખીજાને માટે રાજકન્યા પરણ્યા, તે આશ્ચર્યની વાત્તા સાંભળીને હું કાંતિપુરમાં આ ન્યા, ત્યાં પ્રિય ગુમ’જરીને મળ્યો, તેની સાથે તમારી વાત્તા કરી આ અટવીમાં નીકળ્યા, ત્યાં અહીં તમારા મેળાપ થઈ ગયા. મેં રસ્તામાં એવી વાત સાંભળી હતી કે, શ્રીચક્ નામે એક નવલાખ દેશના રાજા થયા છે, તે રાજા ધણા ધાર્મિક અને પ્રતાપી છે, આથી મારા મનમાં શંકા થઇ હતી કે, વખતે તમે પોતેજ તે હરો. તે આજે પ્રત્યક્ષ નેઈ ધણા હર્ષ થાય છે. પ્રિયમિત્ર ! કહા, તમારે વૃત્તાંત શું છે ?
શ્રીચંદ્ર યે—મિત્ર ! કુશસ્થળી છે।ડયા પછી મને માર્ગમાં અનેક કાતુક થયાં છે, જે સાંભળવા ાગ્ય છે. પછી તેણે સંક્ષેપમાં પોતાના સર્વ વૃત્તાંત જણાવી દીધા, પ્રથમથી માંડીને ત્રિપુરાનદ યાગીના વૃત્તાંત સુધીની વાત્તા કહી, પછી તે સસ્મિતવદને એયો—પ્રિમિત્ર ! આજ સુધીમાં મેં કાંઇ પણ કષ્ટ ભોગવ્યું નથી, સર્વ સ્થળે મારા વિજયજ થતા આવે છે. માત્ર મદનસુંદરીનું હરણ થયું, તે મને હ્રદયમાં શલ્યરૂપ લાગે છે. ગુણુચદ્રે સભ્રમથી પુછ્યું, મિત્ર ! મદનસુંદરી કર્યાંથી પ્રાપ્ત થયાં હતાં ? અને તેમનું હરણ શી રીતે થયું ? તે કહેા. પછી શ્રીય મદનસુંદરીને સર્વ વૃત્તાંત જણાયેા, તે સાંભળી ગુણુદ્રે પુનઃ પુછ્યું, રામિત્ર ! મનસુંદરીના હરણ થયા પછી તમે આ મહારાજા કેવી રીતે બન્યા ? શ્રીચકે તે વાત્તા વિસ્તારથી નીચે પ્રમાણે કહેવા માંડી.
મિત્ર ! મદનાનું હરણ થવાથી મને ઘણું દુઃખ લાગી આવ્યું હતું, મારા હદયમાં તેને પરિતાપ શેા ચા હતા, પણ મારા પુણ્યને લીધે આ ધર્મે મને
સદાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org