________________
મિત્રનો મેળાપે.
૨૭
રાજા હતો, અને બીજો તેને મંત્રી હતા. મંત્રી પોતાના મંત્રીપણાની સાથે મિત્રપણું ધરાવતો હતો. તેઓ છાવણીમાંથી અશ્વક્રીડા કરવાને બહાર ફરવા નીકળ્યા હતા. ક્રીડાથી શાંત થઈ અહીં આમ્રરક્ષ નીચે બેઠા હતા. તેઓમાંથી જે મહારાજા હતું, તે આ મુસાફરને જ જોઈ ઉસુક થયો હતો.
ત્યારે મુસાફર પાસે આવી ઉભો રહ્યો, એટલે મહારાજા ઉત્સુક થઈ બેઠો થયે, તેના નેત્રમાંથી અની ધારા ચાલવા લાગી, શરીરપર રોમાંચ ખડાં થયાં. તેણે બેઠા થઈ તે મુસાફરને પ્રેમથી આલિંગન કર્યું. પિતાના અંગને ઉમંગથી તેની સાથે સંલગ્ન કરી દીધું. વારંવાર ભેટ લઈ તેણે ચિરકાળને વિયેગાગ્નિ શાંત કર્યો; પછી પ્રેમ વચન બોલે, મિત્ર ગુણચંદ્ર ! અહીં કયાંથી ? આ વેશ કેવો ? આ તરફ નીકળવાનું શું પ્રયોજન ? તમારા શરીરની પૂર્વ સ્થિતિ કયાં ગઈ ? તે ભવ્યતા, તે સુંદર તેજ, તે ઉત્સાહ અને તે દેખાવ ક્યાં ગયો ? શું મારે માટે તમારી આ સ્થિતિ ! મિત્રની પાછળ શું તમે આ ફકીરી લીધી ! જગતમાં મિત્રધર્મની પ્રતિમા તમે પોતેજ છે. મિત્રનું જીવન કેવું હોવું જેઈએ? તેનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત તમે પિતેજ થયા છે. તમારા જેવા પુરૂષોથીજ જગતમાં મિત્ર ધર્મ સજીવન છે. ખરેખર મિત્ર ધર્મની મહત્તા તમારામાં દેખાય છે, એમ કહી પુનઃ તેને આલિંગન કર્યું.
મુસાફર ક્ષણવાર વિચારમાં પડ્યો, પણ તત્કાળ તેણે મહારાજાને ઓળખી લીધે. તે તેના ચરણમાં નમી પડ્યો. નેત્રમાંથી પ્રેમાબુની ધારા ચાલી, કંઠ ગદ્ગદિત થઈ ગયે, મહારાજાએ તેને બેઠે કરી દઢ આલિંગન કર્યું. મુસાફર બે, મિત્ર ! આ શું ? એક મિત્ર ફકીર અને બીજો મિત્ર મહારાજ એ કેવી વિચિત્રતા? જેને માટે ફકીરી ધારણ કરી છે, તે મિત્ર મહારાજા થઈ મહાલે છે; એ કે કાળ ? તે ભલે થયું. કર્મની ગતિ ગહન છે. તમારા ભાગ્યની છતા સર્વોત્તમ છે. જ્યાં શ્રીચંદ્ર ત્યાં શ્રી સાથે જ છે. શ્રી સંપત્તિનું અને ચંદ્ર આલ્હાદનું કાર્ય કરે છે. કહ, તમે મહારાજા કયાંથી બન્યા ? શરીર સંપત્તિની કુશળતા તો પ્રત્યક્ષ જ છે. શ્રીયંક બે –મિત્ર! જે કહેવું હોય તે કહી દે. હું તમારે અપરાધી છું, મિત્રના દુઃખનું કારણ હું પોતેજ થઈ પડે છું. જેટલાં મેણું કહે તે સાંભળી સહન કરવાને સંપૂર્ણ અધિકારી છું, તમે કુશળ છે ? કુશસ્થ લીના શા ખબર છે ? આપનું કુટુંબની કુશળતા તે છે ? પવિત્ર પિતા, માયાળુ માતા અને પ્રેમી પત્નીના શા ખબર છે ? ગુણચંદ્ર બો. પ્રિય મિત્ર ! તમારા જવા પછી સર્વના હૃદયમાં જે દુ:ખાગ્નિ પ્રગટ છે, તે અદ્યાપિ નિર્વાણ પામ્યો નથી માતા પિતા અને ચ કકળાની ચિંતા વર્ણવી શકાય તેવી નથી, વિહાર કરતા કેઈ જ્ઞાની મુનિનાં વચન નથી તેમનું જીવન આબાદ રહ્યું છે. તમારી પુણ્ય લક્ષ્મીનું બળ અવલંબીને જ સર્વને ધીરજ રહી છે. તમે જે રાત્રે નીકળી ગયા, તેજ રાત્રે મને વિચિત્ર સ્વપ્ન આવ્યું હતું. પ્રાતઃકાળે ઉઠી હું ચંદ્રકળાની પાસે આવ્યો હતો. ત્યાં ચંદ્રકળાએ તમારા ખબર પુછયા, મેં તેમાં મારી અસતા જણાવી, એટલે તે મહાશયા છો ખાઈને ભૂમિપર પડી. અનેક ઉપજેથી તેને સાવધાન કરી હું પિતા માતાની પાસે ગયાતેઓએ પણ તમારે માટે અત્યંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org