SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ મદના હરણ, २९० વાંચનાર અનુમાનથી આ દંપતીને જાણી શકયા હશે, તથાપિ પુનરૂક્તિ કરવી પડે છે. તે શ્રી ચંદ્રકુમાર અને મદનસુંદરી હતાં, તેઓ મુસાફરી કરતાં આ અરણ્યમાં આવી ચડ્યાં હતાં, ત્યાં કોઈ દુષ્ટ મદનાનું હરણ કરેલું છે. શ્રીચંદ્ર પ્રમાદમાં રહ્યા ન હત, તે સર્વથા જાગ્રત હતું, તથાપિ કર્મની પ્રબળતાથી આ બનાવ બન્યો હતો, મદનાનું હરણ કોણે કર્યું, તે વાત આગળ સ્પષ્ટ થશે. અત્યારે શ્રીચંદ્ર પૈ રાખી સાવધાન રહ્યા હત, કર્મની ચમત્કૃતિ અને ભાવિની સત્તા ઉપર વિચાર કરી તેણે વૈર્ય ધારણ કર્યું હતું, તે સાથે ધર્મ ભાવનામાં જાગ્રત થયો હતો, આહત ધર્મની ઉપાસનાને યોગે તેનામાં મદનાની મહદશા વૃદ્ધિ પામી ન હતી, તેનામાં દ્રઢતા આવી હતી, અને તે કર્મ ઉપર આધાર રાખી તેમાં અચળ રહ્યા હતા. શ્રીચંદ્ર મદનાને હદયમાં સ્થાપી, ભાવી ઉપર આશા બાંધી આગળ શું કરવું ? તે વિચાર બુદ્ધિની વિશાળતા ઉપર રાખી, શ્રીચંદ્ર ત્યાંથી આ ગળ ચાલ્યા. ક્ષણે ક્ષણે પિતાની સહચારિણી મદના તેને યાદ આવતી હતી, પણ પિતાના બૈર્યથી તેના હૃદયમાં શોક કે, સંતાપ પ્રગટ થતું નહતે. વળી કઈ વેળા તે એ વિચાર પણ કરતો કે, પ્રેમાળ હદયની અદના મારા સિવાય શી રીતે રહી શકશે ? તે ૫તિપ્રાણા પ્રમદાની શી ગતિ થશે? તેના જીવિતની હાની તે નહીં થાય ? વખતે કઈ દુષ્ટ તેણીની ઉપર બળાત્કાર કરશે. તે તે સતી શ્રાવિકા શી રીતે પોતાનું જીવિત ધારણ કરશે? સતી સ્ત્રીઓ પ્રાણ જતાં પણ શીયળરૂપ રત્નને ગુમાવતી નથી. શીયળવતી શ્રાવિકાઓ પિતાના શીયળને પ્રાણથી હજાર દરજે શ્રેષ્ઠ ગણે છે. પ્રાણરૂપ મહામૂલ્ય આપી તે શીયળ રત્નને ખરીદ કરે છે. શીલાલંકારથી સુશોભિત શ્રાવિકાઓજ આ આર્ય દેશને દીપાવનારી છે. મદન સુંદરી પણ તે મહેલી છે. તે કદિ પણ શીયળ ગુમાવશે નહીં. તે પ્રેમવતી પત્ની મારા શિવાય શી રીતે રહી શકશે ? દુષ્ટ ધારણાથી તેણીનું હરણ કરનાર કામી પુરૂષ તે સુશીલાને અતિ સંતાપ કરશે, તે વખતે તે અબળા કોનું શરણ લેશે? આવું વિચારી શ્રીચંદ્ર આકાશ તરફ દ્રષ્ટિ કરી બોલ્યો-શાસન દેવતા ! એ સતી શ્રાવિકાનું રક્ષણ કરજો. મેં જે કાંઈ પણ જૈન ધર્મ આરાધ્યો હોય, કોઈ પણ દેવ ગુરૂની સેવા કરી હેય, અને મારામાં કાંઈ પણ સમ્યકત્વની પ્રભા રહેલી હોય, તે મદના નિરાબાધ રહેજે. તેણીના શીયળનું સર્વદા રક્ષણ થશે. આટલું બોલી શ્રીચંદ્ર પિતાને માર્ગે ચાલતો થયો. હવે આપણને તેની ક્યાં ભેટ થાય છે, તે જોવાનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy