________________
૨૬૮
આનંદ મંદિર, यत्कदापि मनसा न चिंत्यते यत्स्पृशंति न गिरः कवेरपि । स्वपत्तिरपि यत्र दुर्लभा
જૈવ વિજાતિ ક્રિયા છે ? . કદિ પણ જેનું મનમાં ચિંતવન ન થાય, કવિની વાણી પણ જેને સ્પર્શ કરી શકે નહીં, અને જેને માટે સ્વમામાં પણ ખ્યાલ ન હોય, તે બનાવ વિધિ [ કર્મ ] હેલા માત્રમાં કરે છે. ૧
अघटित घटितानि घटयति मुघटित घटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति
यानि पुमान् नैव चिंतयति ॥ २॥ વિધિ ન ઘટે તેવું ઘટાવે છે, સારી રીતે ઘરેલું હોય, તે શિથિલ કરી નાખે છે, અને જે પુરૂષના ચિંતવવામાં ન આવે, તેને પણ ઘટાડે છે. ૨
जं चिय विहिणा लिहियं, तं चिय परिणमइ सयल लोयस्स । इय जाणे विणु धीरा, विहुरेविन कायरा हुंति ॥ ३ ॥
જે વિધિએ લખેલું હોય, તેજ સર્વ લેને પરિણમે છે, એમ જાણી ધીર પુર
કાયર થતા નથી. તે
આ પદ્યનું ઉચ્ચારણ કરી તેણે વિચાર્યું કે, હવે વિશેષ ચિંતા ન કરવી, ચિંતા કરવાથી વિશેષ શેક થાય છે. હાનિ, લાભ સર્વ કર્મની સત્તાને આધીન છે. તેમાં બીજો તે માત્ર નિમિત્ત છે. જે કર્મને ન માની બીજા ઉપર આધાર રાખે છે, તે કલ્પવૃક્ષને છેડી બાવળના વૃક્ષ સાથે બાથ ભીડે છે. કર્મની સત્તા મોટી છે. કોઈ પ્રાણી અખંડિત સુખ મેળવી શકતું નથી. ઉદય અને અસ્ત સાથે જ છે. આવું વિચારી તે નીચેનું એક ૫ઇ બે
कस्य स्थान स्खलनं पूर्णाः सर्वे मनोरथाः कस्य । कस्येह सुखं नित्यं दैवेन न खंडितः कोवा ॥१॥
કોણ ભૂલ કરતું નથી ? કોના મનોરથ પૂર્ણ થતા નથી ? આ જગતમાં નિત્ય સુખ કોને રહે છે ? દૈવથી ખંડિત કે શું નથી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org