SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ મદના હરણું. प्रोज्जृंभते परिमलः कमलावलीनाम् शब्दायते क्षितिरुहोपरि ताम्रचूडः । मार्गस्तवापि सुकरः खलु शीतलत्वा दुत्थीयतां सुनयने रजनी जगाम ॥ १ ॥ કમળની શ્રેણીઓની ખુશોા વધતી જાય છે, વૃક્ષ ઉપરથી કુકડા શબ્દ કરે છે, વળી શીતળતાને લઇ ચાલવાના માર્ગ સુગમ છે, માટે હે સુંદર નેત્રવાળી સ્ત્રી ! તું ઉઠે, રાત્રિ ચાલી ગઇ. એ પદ્ય ખેલી રહ્યા, તથાપિ શ્રીચંદ્રે કાંઇ પણ પ્રિયાના સંચાર કે શબ્દ સાંભળ્યા નહીં; તેવામાં ઘાસને ચરવાને નીકળેલાં હરણાને, ઉડતાં પક્ષીઓને અને સૂર્યની રક્તવર્ણી મૂત્તિને દેખાવ જોઇ તે નીચેનું પદ્ય ખેલ્યે!— Jain Education International एते व्रजंति हरिणास्तृणभक्षणार्थ चूर्णी विधातुमथ यांति पक्षिणोऽमी । शृंगं स्पृशत्युदयसानुमतो विवस्वान् उत्थीयतां सुनयने रजनी जगाम ॥ १ ॥ ૨૬૭ આ હરા ધાસ ચરવાને પૂરે છે, આ પક્ષીઓ ચણુ લેવાને જાય છે, અને આ સૂર્ય ઉદયગિરિના શિખરને સ્પર્શ કરે છે, હું સુંદર નેત્રા ! ઉઠે, રાત્રિ ચાલી ગઇ. આ પદ્ય ખેલી, પ્રિયાને પ્રત્યુત્તર સાંભળવા તે તત્પર રહ્યા, તથાપિ કાંઇ પણ પ્રિયા તરથી તેને પ્રત્યુત્તર મળ્યો નહીં. આથી તે નિરાશ થઇ ગયા. હળવે હળવે વડ નીચે આવ્યા, પ્રિયાનું મુખ જોઇ પ્રભાત મંગળ કરવા તે ઉત્સુક થયું, ત્યાં તેને ભયંકર અમ ગળ દેખાયુ ભૂમિશય્યા શૂન્ય લેવામાં આવી, તે જોતાંજ તેના હૃદયમાં આધાત થઇ આવ્યા. પ્રિયા કયાં ગઇ ? વાત્સલ્યની વિદ્યુત્ યાં ઝબકી ગષ્ઠ ? આ શું થયું ? ચારે તરફ ચકિત નેત્રે અવલોકન કરવા માંડયું, તથાપિ કાષ્ઠ દ્રષ્ટિમાર્ગે પડયું નહીં. પ્રેમી પ્રિયના નયનમાંથી અશ્રુધારા ચાલી, તે આકાશ તરફ દ્રષ્ટિ કરી ખાલ્યા—“ પ્રિયા ! તું ક્યાં અ ંતર્ધ્યાન પામી ? આ અરણ્યમાં મને એકાકી ક્રમ મુક્યા ? આવી નિર્દયતા તને કણે શીખવી ? અથવા તારા જેવી પ્રેમ રગિલી રામા નિર્દય થાય નહીં. જરૂર કાંઇ અશુભ અન્ય છે, કાઇ દુષ્ટ છળ કરી તારૂં હરણ કર્યું હશે ? અરે પ્રીતિવ્રતા ! તુ પ્રેમીનાં દર્શનરૂપ સિંચન વિના શુષ્ક થઇ વિનષ્ટ થઇ જઈશ. આટલું કહી તે પુરૂષને મૂર્છા આવી. ક્ષણવારે સાવધાન થયેા. તત્કાળ અદ્વૈત ધર્મનું સ્મરણ થઈ આવ્યું, ધર્મના પસાયથી ધૈર્ય ઉત્પન્ન થયું, માહ દશાનું બળ ઘટવા માંડયું. તેના પવિત્ર હૃદયમાં વિચાર આવ્યા કે, જે બન્યું તે ખરૂં. હવે તેને સહન કરવુ ોઇએ. કર્મની ઘટના ચમત્કારી છે. વિધિ અને દૈવ એ કમના પર્યાય છે, તેને માટે નીતિશાસ્ત્રમાં ઉત્તમ અને મનન કરવા લાયક પદ્દા લખેલાં છે, હવે તે પūાનું જ સ્મરણુ કરવું યુક્ત છે. એમ કહી તેણે નીચેનાં પા ઉંચે સ્વરે "" ઉચ્ચાયા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy