________________
२६६
આનંદ મંદિર. પ્રકરણ પર મું.
મદના હરણ
CAROSL
હ્મ મુહૂર્તનો સમય હતો, શ્રાવકની દિનચર્યા પ્રમાણે જાગ્રત થવાને અવછા સર હતો. આ પવિત્ર સમયે ધાર્મિક શ્રાવક જાગ્રત થઈ, આત્મચિતવન
જી કરે છે. હું તે કેણ છું? કયાં સુ છું? ભૂમિ ઉપર છું, અધર છું, દીક કે ક્યાં છું? મારે આ વખતે શું કરવું જોઈએ ? એ વિચાર પવિત્ર શ્રાવકના હૃદયમાંથી ઉદ્દભવે છે. કાંઈપણ સંચાર કર્યા વગર યતનાપૂર્વક શ્રાવકપુત્ર તે સમયે જાગે છે, અને ધર્મક્રિયા આરાધે છે, રાત્રિરૂપ મહારાણી પિતાના મહારાજ્ય ઉપરથી વિદાયગીરી લે છે. તેનો પ્રકાશમાન તારારૂપી ઝમો અદશ્ય થતું જાય છે, ચંદ્રરૂપ પતિને વિયોગથી તે પિતાના શૃંગારને ત્યજી દે છે.
આ સમયે એક દંપતી અટવામાં એક છાયાદાર વડના વૃક્ષ નીચે વાસ કરી રહ્યાં છે, પ્રેમી પ્રિયાની રક્ષા માટે તેને પ્રેમી પતિ પહેરેગીર થયો છે, રાત્રિના પ્રત્યેક પ્રહરે પતિ જાગ્રત રહે, તેને માટે પ્રેમપૂર્ણ પત્ની ચિંતાતુર રહે છે, અને પતિને સુવાડી પિતે જાગ્રત રહેવા પ્રયત્ન કરે છે, રાત્રિના કેટલાક સમય સુધી પતિને વિશ્રામ આપી, ચોથે પહોરે તે નિર્મળ હૃદયની નારીનાં નયન ઉપર નિદ્રામાં મોટો ધસારે કર્યો છે, ગર અંગવાળી બૈરી ગાઢ નિદ્રામાં તલ્લીન થઈ ગઈ છે, બ્રહ્મ મુહૂર્ત થયું છે, તથાપિ તે હજુ નિદ્રાને મહાનંદ અનુભવે છે.
અનુક્રમે અરૂણોદય થવા આવ્યા, તથાપિ ઘટાદાર વડ નીચે હજુ અંધકાર ભરાઈ રહ્યો છે, તેની આસપાસ તેને પહેરેગીર હાથમાં નગ્ન ખ લઇ ફરે છે, તેના હૃદયમાં પ્રિયાને નિદ્રાનું પૂર્ણ સુખ લેવા દેવાની પ્રબળ ઈચ્છા પ્રગટી રહી છે, પ્રિયાને નિદ્રામાં ભરપૂર જોઈ તે વિદ્વાન્ નાયક નીચેની ગાથા સંભારે છે.
जननी जन्मभूमिश्च निद्रा पश्चिमरात्रिजा ।
इष्टयोगः सुगोष्टी च दुर्मोचाः पंच देहिनाम् ॥१॥
જનની માતા, જન્મભૂમિ, પાછલી રાતની નિદ્રા, ઇષ્ટ જનને યોગ અને સારી ગોષ્ટ-ગમત, એ પાંચ વાનાં પ્રાણીઓને છોડવાં મુશ્કેલ છે.
“આથી પ્રિયા ગુલાબી નિદ્રા લેતી હશે, રાત્રીએ કેટલાક સમય તે જાગ્રત રહેલી છે.” આ પ્રમાણે વિચાર કરતાં શ્રીચંદ્ર કુકડાનો શબ્દ સાંભળે, અરૂણની રક્તપ્રભા ઝાંખી થવા માંડી, એટલે તે નીચેનું પદ્ય –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org