SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રવ્ય અને શક્રાવતાર તીર્થ. २६५ આશાતનાથી કમસાર બુદ્ધિ વગરને થયો છે. હવે તમે તે પવિત્ર દ્રવ્યના રણમાંથી મુક્ત થવાને અભિગ્રહ ધારણ કરે, અને તેનું પ્રાયશ્ચિત . - જ્ઞાનીનાં આવાં વચન સાંભળી પુણ્યસાર અને કમસાર બંનેએ શ્રાવક ધર્મને આદર આપી, પ્રાયશ્ચિત લીધું. બાર કામને બદલે બારહજાર કામ આપવાનો અભિગ્રહ કર્યો. તે સાથે વીગેનો ત્યાગ કરી વિવિધ જાતના નિયમે લેવા માંડયા. અનુક્રમે તેઓ ધનવાન અને સુખી થયા. તેમણે બાર કેરી સુવર્ણ જ્ઞાન ખાતામાં અને સાધારણ ખાતામાં અર્પણ કર્યું. સાધર્મ બંધુઓના ઉદ્ધારને માટે ઘણું દ્રવ્ય ખર્ચવા માંડયું. શ્રાવક ધર્મને પાળી છેવટે તેમણે સંયમ લીધો. સંયમ વ્રત ખળતાં તેમને કેવળજ્ઞાન થયું, અને અનુક્રમે તેઓ અજર, અમર, નિષ્કલંક મોક્ષ સુખને પ્રાપ્ત થયા. બંધુઓ ! આ કથા ઉપરથી તમારે વિચારવાનું છે કે, જ્ઞાનદ્રવ્ય, અને સાધારણ દ્રવ્ય વિષે પણ શ્રાવકે કેવી રીતે પ્રવતવું જોઈએ. માત્ર થોડી રકમની ભુલ કરવાથી કર્મસાર અને પુણ્યસારને માથે કેવી વિપત્તિ થઈ ? જ્ઞાનદ્રવ્ય, અને દેવદ્રવ્યની ઉપેક્ષા કરવાથી મહા પાપ છે, તે તેને ખાવાથી કેવું પાપ હય, તે તો ઉપરની કથાએથી જાણ્યું હશે. મિત્રો ! તમારા હિતની ખાતર હું આ કહું છું, મારો તેમાં કાંઈ સ્વાર્થ નથી. તમે આજ સુધી મોટી ભુલ કરી, દેવદ્રવ્ય ખાધું છે, હવે તેમાંથી મુક્ત થવાને ઉપાય કરો, અને આજથી તે મહા પાપનો માર્ગ બંધ કરે, તે પણ તમારો કોઈ વે ઉદ્ધાર થશે. દેવદ્રવ્યના ભક્ષણથી તમને આ ભવમાં કેવી શિક્ષા થઈ છે ? તેને વિચાર કરે. સિદ્ધપુરની જન પ્રજા પાયમાલ થતી જાય છે, તેનું કારણ દેવદ્રવ્યનું ભક્ષણ છે. તમે તમારી સ્થીતિને વિચાર કરો, તમારી દયાજનક સ્થિતિ જોઈ મારા હૃદયમાં ઘણે ખેદ થાય છે. આ શક્રાવતાર તીર્થમાં તમારે વાસ છે, તે તમારે ધન્યવાદ માનવાનો છે. આ તીર્થમાં બરાબર શ્રાવક ધર્મ પાળ્યો હોય, તે તે સિદ્ધગતિ સુધી પહોંચાડે છે. આ તીર્યવાસને સદુપગ કરી, તમે તમારા માનવભવને કૃતાર્થ કરે; વિશેષ કાંઈ કહેવાની જરૂર નથી. હવે હું મારી વાણીને વિરામ આપું છું. એજ. શ્રીચંદ્રનું આવું ભાષણ સાંભળી સિદ્ધપુરના શ્રાવકના હૃદયમાં અસર થઈ આવી. તેઓ પિતાના પાપને માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. સર્વે મળી શ્રી ચંદ્રનો આભાર માન્ય. કઈ પિતાના હૃદયમાં નિશ્ચય કરવા લાગ્યા કે, હવેથી દેવદ્રવ્યને સ્પર્શ કરે નહીં, કોઇએ શક્રાવતારના યાત્રાળુઓની સાથે વહીવટ ન રાખવાનો નિયમ ગ્રહણ કર્યો, કોઈએ દેરાસરની કઈ પણ વસ્તુને સ્પર્શ ન કરવાના પ્રત્યાખ્યાન કરવાનો નિશ્ચય કર્યો, એમ વિવિધ જાતના શુભ વિચારો સિદ્ધપુરની જૈન પ્રજામાં ઉત્પન્ન થયા. શ્રી ચંદ્રની ધાર્મિક વાણુએ સર્વની ઉપર સારી અસર કરી, પછી શ્રીચંદ્ર તે સર્વની આગળ ક્ષમા માગી, શક્રાવતાર તીર્થના નાયક શ્રી જિન પ્રતિમાનાં ભાવથી દર્શન કરી, પોતાની પ્રિયા સાથે ત્યાંથી વિદાય થયા. દેવદ્રવ્યના ઉપયોગથી ભય પામી, તે તીર્થમાં તેમણે ભજનાદિ પણ કયાં ન હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy