SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ આનંદ મંદિર, તમે બંને પૂર્વે ચંદ્રપુરમાં જનદત્ત, અને જિનદાસ નામે શ્રાવક હતા. જૈન ધર્મમાં ઘણી પ્રીતીવાળા અને ઘણું આસ્તિક હતા. તમારી શુદ્ધ વર્તણુક જોઈ ચંદ્રપુરના શ્રાવ કોએ તમને સાધારણ દ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થા કરવાનું સોપ્યું. કેટલાએક વખત સુધી તમે એ દ્રવ્યની સારી રક્ષા કરી. એક વખતે જિનદત્ત પિતાને માટે એક પુસ્તક લખવા આપ્યું. પોતાની પાસે જ્ઞાનદ્રવ્ય કાંઈ હતું નહીં, એટલે સાધારણ દ્રવ્ય તેમાં વાપર્યું. અને તેણે વિચાર્યું કે, આ દ્રવ્ય પણ જ્ઞાનદ્રવ્ય જેવું જ છે, આથી પુસ્તક લખનારને બાર કામ તેમાંથી આપ્યા. બીજા જિનદાસે એકવાર એવું વિચાર્યું કે, સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રમાં કામ આવે છે, તેથી સાત ક્ષેત્ર માંહેલ શ્રાવક પણ તેને વાપરી શકે છે. તે વિષે આગમમાં નીચેની ગાથા લખેલી છે – जिणभवण बिंब पुथ्थय, संघ सरूवाइ सत्त खित्ताई । विविहं घणपि जायं शिवफलयमहो अणंतगुणं ॥ १ ॥ જિનભવન, જનબિંબ, પુસ્તક, સંઘ વગેરે સાત ક્ષેત્રોમાં જે વિવિધ દ્રવ્ય વાવે, તેને અનંત ગુણવાળું મેક્ષકળ મળે છે. આવું વિચારી તેણે નિશ્ચય કર્યો કે, હું પણ સાત ક્ષેત્રમાં છું, માટે તે દ્રવ્ય વાપરી શકું. પછી તેણે પોતાના ઘરના વ્યવહારમાં બાર કામ સાધારણ ખાતામાંથી વાપર્યા. આ મહા પાપ લાગવાથી તેઓ બંને આયુષ્ય પૂરી કરી પેલી નારકીએ ગયા, એ મહા પાપને માટે વેદાંત પ્રમુખ અન્ય શાસ્ત્ર પણ નીચે પ્રમાણે લખે છે – प्रभास्वे मा मतिं कुर्यात् प्राणैः कंठगतैरपि । अग्निदग्धाः प्ररोहंति प्रभादग्धो न रोहति ॥ प्रभास्वं ब्रह्महत्या च दरिद्रस्य च यद्धनम् । गुरूपत्नी देवद्रव्यं स्वर्गस्थमपि पातयेत् ॥ અરે પ્રાણી ! તું સાધારણ દ્રવ્ય ખાવાની બુદ્ધિ કરીશ નહીં. અગ્નિથી દધ થચેલા ફરીવાર ઉગે, પણ સાધારણ દ્રવ્ય ખાઈને દગ્ધ થયેલે ફરીવાર ઉગતું નથી. સાધારણ દ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રનું દ્રવ્ય, ગુરૂ પત્નીને સંગ અને દેવદ્રવ્ય તે સ્વર્ગમાં રહેલાને પણું પાડે છે. પહેલી નારકીનું દુઃખ ભોગવી તેઓ ભુજ પરિસર્ષ થયા, તે પછી બીજી નારકે ગયા, ત્યાંથી નીકળી ગીધપક્ષી થઈ ત્રીજી નારકે ગયા. એમ એકાએક ભવ કરી સાત નારકે ગયા. તે ગછી એકેંદ્રીય, બેઇદ્રી, વિગેરે તિર્યંચ ગતિમાં ભમ્યા–એકંદર બારહજાર ભવમાં તેમણે ભ્રમણ કર્યું, ત્યાંથી ચવીને તમે અત્યારે મનુષ્ય થયા છે. સાધારણ અને જ્ઞાનદ્રવ્યમાંથી બાર કામ દ્રવ્યને દુરૂપયોગ કરવાથી તમે આવાં કષ્ટ ભોગવે છે, જ્ઞાનદ્રવ્યની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy