________________
દેવદ્રવ્ય અને શાવતાર તીર્થ. ૨૬૩ નહીં. આ પુયસાર તેજ થશે, પણ તે કળામાં કુશળ થશે. બંને પુત્ર વૃદ્ધાવસ્થાએ સુખીયા થશે, તે વખતે તેમને ઘણું ધન પ્રાપ્ત થશે.
નિમિત્તિયાનાં આવાં વચન સાંભળી ધનશેઠ મનમાં ખેદ પામ્યો. પછી તેણે બંને પુત્રને અભ્યાસ કરાવવા એક વિદ્વાન અધ્યાપકને સયા. પુણ્યસાર સર્વ કળા શીખી ગયે, અને કર્મસાર મૂઢ રહ્યો, તેના ઉપર શિક્ષકે ઘણે પ્રયાસ કર્યો, પણ તેને વિદ્યા ચડી નહીં. અનુક્રમે બંને કુમારો યોવનવયને પ્રાપ્ત થયા. કોઈ ઉત્તમ શેઠની કન્યાઓ સાથે તેમને વિવાહ કર્યો. વિવાહ થયા પછી બંને ભાઈઓ વચ્ચે કજી થવા માંડે. પછી ધનશેઠે તેમને બાર બાર કોટી સુવર્ણ વહેંચી આપી જુદા કર્યા. ત્યારબાદ ધન, શેઠ સંયમ લઈ, વ્રત પાળી સ્વર્ગ ગયા. કર્મસારને પૂર્વનાં દુકૃત કર્મ ઉદય આવ્યાં, તેને વેપારમાં ઘણી હાનિ થવા માંડી. અલ્પ દિવસમાં તેનું બાર કેટી દ્રવ્ય ઉડી ગયું. પુષ્ય સારને ત્યાં પણ ચોર લેકેએ ખાતર પાડયું, તેમાં તેના દ્રવ્યને નાશ થશે. બંને ભાઇ નિર્ધન થઈ ગયા. સગાંવહાલાંઓએ પણ તેમનો અનાદર કરવા માંડ્યો. તેમની સ્ત્રીઓ ભોજન વસ્ત્ર વિના દુઃખી થઈ પોતાને પિયર ચાલી ગઈ. લેકે માં અભાગી અને નિર્ધન તરીકે તેમની ખ્યાતિ થઈ. દ્રવ્ય વિના કોઈ તેમને માન આપતું નહતું. આથી કંટાળીને તેઓ દેશતિરમાં ચાલ્યા ગયા. કોઈ શહેરમાં બંને જુદા જુદા શેઠને ઘેર સેવક થઈ રહ્યા. કર્મસાર કૃપણુ અને જુઠે હતો, તેથી તેના શેઠને અપ્રિય થયે, અને તેને એક કેડી પણ મળી નહિં. બીજા પુણ્યસારને સેવામાં કાંઈક દ્રવ્ય મળ્યું, પણ ધૂર્તપણામાં તેણે ગુમાવી દીધું. પછી ત્યાંથી જુદા પડી તેઓ બીજે સ્થાને ગયા, ત્યાં ધાતુવાદ, રસાયણ, સિદ્ધાંજન વિગેરે પ્રયોગ કરવા માંડયા, તેમાં પણ કર્મયોગે તેઓ નિષ્ફળ થયા.
પછી તેઓ તે કામ છોડી કોઈ જંગલમાં ગયા, અનુક્રમે કોઈ બંદર ઉપર આવ્યા. ત્યાંથી વહાણ ઉપર ચડી રત્નદીપમાં આવ્યા. ત્યાં રત્નવિનું મંદિર હતું. તેમાં જઈ બંને આરાધના કરવા બેઠા. ભયંકર મરણાંત સુધીને અભિગ્રહ લઈ, તેમણે અનશન કર્યું. અષ્ટમ થતાં દેવીએ પ્રત્યક્ષ આવી કર્મસારને કહ્યું, તારા ભાગ્યમાં ગમે તે કરીશ તેપણુ દ્રવ્ય નથી. તે સાંભળી કર્મસાર નિરાશ થઈ ઉઠી ગયે, પુણ્યસારને એકવીશ ઉપવાસ થયા, એટલે દેવીએ પ્રત્યક્ષ આવી તેને ચિંતામણિ રત્ન આપ્યું. તે રત્ન મેળવી પુણસારે કર્મસારને કહ્યું કે, બંધુ ! ચિંતા કરીશ નહીં, આપણને ચિંતામણિ રત્ન મળ્યું છે, પછી તે રત્ન લઈ તેઓ વાહાણે ચડી સ્વદેશ તરફ રવાને થયા. માર્ગમાં પૂર્ણિમાની રાત્રિ આવી, એટલે પૂર્ણ ચંદ્રને ઉદય થયો. ચંદ્રના પ્રકાશની સાથે ચિંતામણિને પ્રકાશ જેવા તેઓએ ચિંતામણિ રત્ન વાહણ ઉપર પ્રકાશિત કર્યું. રત્નના તેજ આગળ ચંદ્ર ઝાંખો પડે, તે જોઈ બંને અતિ હર્ષ પામ્યા, આમતેમ રત્નને ફેરવતાં નજરચુક થઈ અને તે રન સમુદ્રમાં પડી ગયું. તત્કાળ બંને ભાઈ વિલખા થડી ગયા. અતિ દુઃખ પામતા પોતાને નગર આવી પહોંચ્યા. દુઃખ સહિત માંડમાંડ તેઓએ રાત્રિ પ્રસાર કરી. પ્રાતઃકાળે કોઈ જ્ઞાની ગુરૂ આવ્યા, તેમની પાસે તેઓ ગયા, જ્ઞાની મહારાજાઓની આગળ પોતાનું દુઃખ નિવેદન કર્યું. જ્ઞાનીએ જ્ઞાનથી અવકન કરી કહ્યું, તમને પૂર્વક નડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org