________________
૨૬૨
આનદ મંદિર.
એક એક પીછુ લેવાથી તારૂ દારિદ્ર દૂર થઇ જશે. યક્ષનાં આવાં વચન સાંભળી તે તુર્ક પામ્યા, અને તેણે મનવાંછિત પૂરા થવાની આશા બાંધી. પછી પ્રતિદિન એક એક પીધુ લેતાં તેની પાસે નવાણુ પીછાં એકઠાં થયાં, ત્યારે તેણે વિચાર્યું કે, મારી પાસે સમૃદ્ધિ થઇ, હવે શામાટે જંગલમાં રહેવું ? હવે આજે તે મારનાં બધાં પીછાં એક સાથે પકડી લઉં, અને પછી જંગલમાંથી ચાલ્યેા જાઉં, આવું વિચારી તે મારનાં બધાં પીછાં પકડવા ગયા, ત્યાં તે મારી કાગડા થઇ ગયા, અને જે પહેલાનાં નવાણુ પીછાં હતાં, તે પણ બદલી ગયાં. તત્કાળ તે દુ:ખમાં આવી પડયા, અને પોતાનાં કર્મને માટે પશ્ચાતાપ કરવા લાગ્યા.
નિ:પુણ્ય ચિંતાતુર થઈ આગળ ચાલ્યે, ત્યાં કાષ્ટ જ્ઞાની મુનિ જોવામાં આવ્યા. તેમના ચરણમાં પડી તેણે પુછ્યું, સ્વામી ! મારા કર્મનેા પાર ક્યારે આવશે ? મુનિએ પ્ર ચમથી તેનુ' પાપ, અને તેથી થયેલા બધા પૂર્વ ભવનું સ્વરૂપ કહી સંભળાવ્યું. તે સાંભળી નિ:પુણ્યે કહ્યું, કૃપાળુ મહામુનિ ! મને પ્રાયશ્ચિત આપે, દેવદ્રવ્યના ભક્ષણથી લાગેલ મહા પાપ દૂર થાય, તેવા ઉપાય દવા. મુનિ ખેલ્યા—દેવદ્રવ્યનું ઋણ મુક્ત થાય, તેટલુ અધિક દ્રવ્ય આપવા વિચાર કરી વેપાર કર. માત્ર તારા નિર્વાહ થાય, તેટલુ અન્ન, વસ્ત્ર રાખી બાકીનુ દ્રવ્ય દેવને અર્પણ કરવાના અભિગ્રહ કર.
મુનિનાં વચનથી નિઃપુણ્યે તેવા અભિગ્રહ ધર્યો, અને પછી વ્યાપાર કરવા આર ભ કર્યા. તેની શુભ વાસનાથી દ્રવ્યના લાભ મળ્યા, અને તે દ્રવ્યથી તે દેવ ઋણમાંથી મુક્ત થયા. પછી તે શ્રાવક ધર્મમાં નિશ્ચલ થયા. અનુક્રમે પોતાના નગરમાં આવી, રાજમાન્ય એવા ધનાઢય નગરશેઠની પદ્મીને તે પ્રાપ્ત થયેા. પ્રત્યેક પર્વે જિન પૂજા, મહાત્સવ, અને સાધર્મી વાત્સલ્ય કરી, તેણે જિન નામ કર્મ બાંધ્યું. અવસરે સયમ લઇ, ગીતાર્થ થઈ, દેશના આપી, અરિતુંતની ભક્તિ કરી, પ્રથમ સ્થાનક સેવી, સર્વાર્થસિદ્ધે દેવતા થઈ, મહા વિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધિને પ્રાપ્ત થયા.
સાધર્માં બંધુઓ ! આ કથા ઉપરથી તમારે દેવદ્રવ્યને માટે ધણા ખેાધ લેવાનેદ છે. તેવી રીતે સાધારણ દ્રવ્ય; અને જ્ઞાનદ્રવ્ય વિષે પણ તમારે વિચારી લેવું, તે દ્રવ્ય પણુ દેવદ્રવ્યની જેમ અભક્ષ્ય છે. શ્રાવકના પુત્ર કદિ પણ સાધારણ અને જ્ઞાનદ્રવ્યની ઇચ્છા કરે નહીં. તે વિષે કર્મસાર અને પુણ્યસારની કથા જાણવા જેવી છે, તે કથા નીચે પ્રમાણે છે.
ભાગપુર નગરમાં ધન નામે એક શેઠ હતેા, તે ચેવીક્ષ કાટી સુવર્ણના અધિપતિ હતા, તેને ધનવતી નામે સ્ત્રી હતી, તેના ઉદરથી કર્મસાર અને પુણ્યસાર નામે એ પુત્ર થયા, તેઓને માતાપિતા ઉત્તમ લાડથી ઉછેરતાં હતાં. એક વખતે ધનશેઠે કાષ્ઠ નિમિત્તિયાને પુછ્યું કે, આ બંને પુત્રામાં ભાગ્યશાળી પુત્ર કયા છે ? અને ભાગ્ય રહિત ક્યા છે ? નિમિત્તિયાએ કહ્યું, શેઠજી ! આ તમારા કર્મસાર પુત્ર શશ્ન, બુદ્ધિ વગરના, નિર્ધન અને ભાગ્ય રહિત છે, તે તમારૂં બધુ દ્રવ્ય ગુમાવશે, અને નવું દ્રવ્ય ઉપાર્જન કરી શકશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org