SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રવ્ય અને શાવતાર તીર્થ. ૨૬૧ કહેવા લાગ્યા; આખરે ઘણેજ દુઃસ્થિતિમાં આવી પડે. એક દિવસે પરગામથી તેને મામે આવ્યો, તેને દયા આવવાથી તે તેને પોતાને ઘેર લઈ ગયે, તેના આવવાથી મામાના ઘરમાં મોટી ચેરી થઈ, ત્યાંથી તે બીજા કોઈ સંબંધીને ઘેર ગયો, ત્યાં પણ તેમ બન્યું, આથી કે તેને સંઘરતા નહીં, અને અપમાન કરી તેને બાહર કાઢી મુકવા લાગ્યા. દુ:ખી થઈ રઝળતે તે તામ્રલિપી નગરીમાં આવ્યું, ત્યાં તે કોઈ શેઠને ઘેર નેકર રહ્યા, તેજ દિવસે શેઠના ઘરમાં મોટી આગ લાગી, આથી તેને હડકાયા શ્વાનની જેમ કાઢી મુ. પછી તે કોઈ વહાણે ચડી દ્વીપાંતર ગયે, જતાં પ્રચંડ પવનથી તે વહાણ ડુબી ગયું, પણ એક પાટીયું મેળવી, તે તરી ગયા. કાઠે આવતાં કઈ ઠાકરનું ગામ આવ્યું, ઠાકરે દયા કરીને તેને રાખ્યો, તેવામાં કઈ પલપતિએ હુમલો કરી ઠાકોરનું ગામ ભાંગ્યું, અને મોટું નુકશાન પહોંચાડયું. ત્યાંથી તે નિઃપુણ્ય અપમાનથી દુર થયે. આવા પુણ્ય રહિત પુરૂષ જ્યાં જાય છે, ત્યાં આપત્તિઓ આવ્યા કરે છે. તે વિષે સાહિત્યકાર આ પ્રમાણે લખે છે – महोत्सवेऽप्यपुण्यानां विपदः स्युर्न संपदः । जना नंदति दीपाल्यां नंति सर्वेपि शूर्पकम् ॥ १॥ મહોત્સવમાં પણ પુણ્ય રહિત માણસને વિપત્તિઓ આવે છે, સંપત્તિઓ આવતી નથી. સર્વ લેકે દીપોત્સવીમાં ખુશી થાય છે, પણ સૂપડાને મારે છે. (નવા વર્ષે આળસ કાઢવા વખતે લોકો સૂપડું વગાડે છે. ) खल्वाटो दिवसेश्वरस्य किरणे बिल्वस्य मूलंगतो वांछन् स्थानमनातपं विधिवशात्संतापितो मस्तके । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः प्रायो गच्छति यत्र दैवहतकस्तत्रैव यांत्यापदः ॥ १ ॥ કોઈ માથે ટાલવાળે પુરૂષ સૂર્યના કિરણોથી મસ્ત તપ્યું, એટલે કોઈ તડકા વ• ગરના સ્થાનમાં જવાની ઇચ્છાથી એક બીલીના વૃક્ષ નીચે ઉભા રહ્યા, ત્યાં બીલીનું એક મેટું ફળ તેના મસ્તક ઉપર પડયું, જેથી તેનું મસ્તક ભાંગી ગયું, અને કપી ચાલ્યું; તેથી જ્યાં અભાગીઓ માણસ જાય, ત્યાં ગમે ત્યાંથી આપત્તિ આવી પડે છે. ૧ તે પ્રમાણે તે નિપુણ્ય ને થતું હતું. ત્યાં અનેક જાતનાં દુઃખ ભોગવી, તે એક મેટા જંગલમાં ગયે, ત્યાં હિમસલક નામના એક યક્ષના મંદિરમાં આવ્યું, ત્યાં તેણે એકવીશ ઉપવાસ કરી, યક્ષની આરાધના કરી. યક્ષે સંતુષ્ટ થઈ કહ્યું, અરે દુઃખી માણસ! સાંભળ, હમેશાં સંધ્યાકાળે મારા ઘરને આંગણે એક સેનાનાં પીછાંવાળો મોર આવી નાચે છે, નાચ કરતાં તેની કળામાંથી એક પીછું પડે છે, તે પીછું તું લેજે; એમ પ્રતિદિવસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy