________________
એક નિમિત્તિના વૃત્તાંત.
૨૧
કૈતક ઉત્પન્ન થયું, તત્કાળ તેમણે એક સેવકને આજ્ઞા કરી કે, · આ શું છે ? ’ તે તપાસ કરી લાવ. સેવક દોડશે જઇ તપાસ કરી પા। આવ્યા. તેણે કહ્યું, રાજકુમાર ! કાઇ વિદ્વાન નિમિત્તિએ આવ્યા છે. તે લેાકેાના મનની વાત કહી આપે છે, અને સારૂં ભવિષ્ય કહે છે. તે સાંભળી તરતજ કુમારેએ સ`ગીત સભાને વિસર્જન કરી, અને તે નિમિત્તિઆને મેલાગે. તે નિપુણ નિમિત્તએ કુમારની પાસે આવ્યે।, અને આશીષ આપી ઉભે રહ્યા. કુમારેએ આદર આપી તેને યોગ્ય આસને બેસા. રાજકુમાર આયા--પડિતજી ! કયાંથી આવે છે ? અને ક્યાં જાએ છે ? તમારી શી ઇચ્છા છે ? રાજકુમારે આદર જોઇ તે જોશી ખુશી થયા. જ્યાં માન કે આદર મળે ત્યાં વિદ્વાને ના મનને વિશેષ ઉલ્લાસ થાય છે. કુમારેાના સત્કારથી પ્રસન્ન થયેલા તે વિદ્વાન ગકે
નીચે પ્રમાણે કહ્યું:—
માનવતા રાજકુમારે ! આપના વાચિક સત્કારથી મને પરમ સ તેાષ પ્રાપ્ત થયેા છે. તમારા જેવા કૃતજ્ઞ અને પતિ પૂજક રાજકુમારને જો, કયા ગુણી પુરૂષ પ્રસન્ન ન થાય ? જે આપને વાત્તાવિનેાદ ઉપર રાગ હોય તો, મારે ધૃતાંત્ત જાણવા જેવા છે. વાર્તાના શાખીતે સુખદાયક થાય તેવા છે. હું ગણુક કુળને પુરૂષ છું, જ્યાતિષ વિદ્યામાં પ્રવિણ છું, લાભ, અલાભ, સુખ, દુ:ખ, વિત, મરણ, ગમન, અને આગમન—એ આઠ પ્રકારનાં નૈમિત્ત હું જાણું છું, મારા સર્વ ઈતિહાસ જાણવા જેવા છે, જે સાવધાન થઈ
સાંભળશે.
અહીંથી પશ્ચિમ દિશામાં પૃથ્વીનું આભૂષણરૂપ સિંહપુર નામે નગર છે, ત્યાં ન્યાયી અને પ્રજાપાળક શુભગાંગ રાજા રાજ્ય કરે છે, એ નગરમાં લક્ષ્મીને નિવાસ છે, લેાકેા સર્વ રીતે સુખી છે, રાજા શુમગાંગ દુષ્ટાને શિક્ષા આપે છે, અને શિષ્ટાતુ સન્માન કરે છે. તે નગરમાં શ્રીધર નામે એક જોશી વસે છે, તેને ઘેર નાગિલા નામે એક સ્ત્રી છે, તેમને ધરણ નામે હું પુત્ર છું. જ્યારે હું યાવન વયને પ્રાપ્ત થયા, ત્યારે તે નગરના નિવાસી પ્રિયંકર નામના એક ખીજા જોશીને શીળવતી નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલી શ્રીદેવી નામે એક કન્યા હતી, શ્રીદેવી રૂપ કળાના ભંડાર હતી. લધ્રુવયથી તેણીનામાં જૈન ધર્મની વાસના ઉત્પન્ન થઇ હતી, તે શુદ્ધ હૃદયથી જીવદયાને પાળતી હતી. મારા પિતા શ્રીધરે મારે માટે તે ગુણવતી કન્યાની માગણી કરી. તેના પિતા પ્રિય કરે તે માગણી કમુલ કરી, તે કન્યાને મારી સાથે વિવાહ કર્યો. એ સદ્ગુણી વધુ મારે ઘેર આવી. તેનામાં સતિ ધર્મ રહ્યા હતા, ગુરૂજનની મર્યાદા સાચવતી, અને સ્વધર્મમાં તત્પર રહેતી, તે ખાળા મારા કુટુંબમાં મનગમતી થઇ પડી. તે કુળની લાજ વધારનારી શ્રીદેવી તરફ્ ખીજા સર્વને પ્રેમ વધવા લાગ્યા, પણ કર્મયોગે મારી માતા નાગિલા કે જે તેની સાસુ નાય, તેને તે પસંદ પડી નહિ. કાલિ અને કાક પક્ષીની જેમ તેમની વચ્ચે અણબનાવ ચાલવા લાગ્યા. શ્રીદેવી હંમેશાં નિયમિત રીતે શય્યા ઉપાડતી, ધરનું માર્જન કરતી, પાણી ગળીને ભરી લાવતી, સ્વાદવાળી રસાઇ કરતી. દાણા પિષતી, ગાય દાતી, છાશ કરતી, છેકરાંઓને સંભાળતી, પીરસીને જમાડતી, વાસણ માંજતી, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org