________________
૨૦
આનંદ મંદિર,
હું રજા લઉં છું. વારંવાર આ માત વિયેગી દુહિતાને સંભારજે, અને પછી સત્વરે મને બેલાવી લેજે. આટલું કહેતાં સૂર્યવતીનું હૃદય એવું ભરાઈ આવ્યું કે, તે એક શબ્દ પણ બોલી શકી નહીં. તેવામાં એક સેવકે આવી જણાવ્યું કે, મહારાજા દીપચંદ્ર સુર્યવતીબાને રથમાં બેસવા દેવે છે. તત્કાળ માતા અને પુત્રી વિખુટાં પડયાં. પ્રતાપસિંહને રથ સુવતીને સાથે લઈ રાજ્ય દ્વારની બહાર નીકળ્યો. નગરીની બહાર કેટલેક દુર વળાવી રાજા દીપચંદ્ર પાછો વળ્યો. શ્વસુર અને જામાતા પરસ્પર પ્રેમાશ્રુ પાડતાં જુદા પડયા. દીપવતી રાણું જ્યાં સુધી સૂર્યવતીને રથ દેખાય, ત્યાં સુધી પિતાના મહેલ ઉપરથી જોઈ રહી. છેવટે વિયોગના દુઃખને અનુભવ કરતી, મેહેલમાં માંડ માંડ સમય નિર્ગમન કરવા લાગી. રાજા દીપચંદ્રને કેટલાક દિવસ સુધી રાજ મહેલમાં ગમ્યું નહીં. છેવટે અનંતકાળ શકિતના પ્રભાવથી સર્વ સ્વસ્વ કાર્યમાં પ્રવૃત થયાં. મહારાજા પ્રતાપસિંહે સૂર્યવતીની સાથે મહોત્સવ પૂર્વક કુશસ્થલી નગરીમાં પ્રવેશ કર્યો. કુશરથલીની પ્રેમી પ્રજાએ પોતાનાં નવીન મહારાણીને વધાવી લીધાં.
પ્રકરણ ૮ મું. એક નિમિત્તિઓનો વૃત્તાંત.
.
છે
PUS
.
શસ્થલીના રાજમહેલની ચંદ્રશાળા ઉપર સંગીત ક્રીડા થઈ રહી છે; સીતાર, વીણા, મૃદંગ, અને સારંગીના સર ચાલી રહ્યા છે, આસપાસ સમાન વયના તરૂણે હાસ્યરસ અનુભવે છે. સંગીતના પ્રતિનિથી
રાજ મહેલ ગાજે છે. ક્ષણવાર સંગીત વિરામ પામે એટલે અનેક હાસ્ય રસની, સાંસારિક અનુભવની, અને વિવિધ જન સ્વભાવની વાર્તા ચાલે છે, કઈ વિવિધ ચેષ્ટાઓ કરી અને અન્ય સ્વભાવનાં અનુકરણ કરે છે, વળી ક્ષણવારમાં પાછું સંગીત ચાલે છે. સંગીતના નાયકે પુરૂષ વર્ગનાજ છે, આ મંડળની અંદર ચાર કિશોરવયના નાયકે બેઠા છે, તેમને રંજન કરવાને સેવક જન અનેક જાતની ચેષ્ટાઓ કરે છે, અને તેમને આનંદ પમાડી આત્માને કૃતાર્ય માને છે.
વાંચનાર ! અધીરા થશે નહીં, એ સર્વની ઓળખાણ તમને હમણાં જ કરાવીશું. એ ચાર નાયક તે પ્રતાપસિંહની પેલી રાણી જયશ્રીના જય, વિજય, અપરાજિત અને જયંત નામે ચાર કુમાર છે. તેઓ મેહેલની અગાશીમાં બેસી સંગીતનો અને વાર્તાને વિનેદ કરે છે. તેઓ વિદમાં મગ્ન થઈ રહ્યા છે, આ વખતે ચટામાં નીચેની ભૂમિ ઉપર લેકેનું એક ટોળું તેમના જેવામાં આવ્યું. તે જન છંદમાં સામેલ થવાને અનેક લેકે રાજા માર્ગમાંથી દેડી આવતા જોયા. તે જોઈ તે કુમારને તે જાણવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org