SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રન્ય અને શક્રાવતાર તીર્થ, ૨૫ એક વખતે વિહાર કરતાં કાઈ કેવળી ત્યાં આવી ચડ્યા. એ દુઃખી જીવ મહા મુનિની પાસે આવ્યા. તેણે મુનિને વ ંદના કરી પૂછ્યું, મહાનુભાવ ! મને આવી મહા વિપત્તિ કેમ પડી હશે ? જ્ઞાની મહારાજે ક્ષણવાર વિચારી કહ્યું, ભદ્ર ! તેં પૂર્વ ભવે અગીયાર કાંકણી દેવદ્રવ્ય ખાધું છે, તેથી તું આવી મહા વિપત્તિના પાત્ર થયા છું. એટલું સાંભળતાંજ સ ંકારાના જીવે આત્મનિંદા કરવા માંડી. અરે ! હું મહા પાપી થયા, મનુષ્ય ભવ પ્રાપ્ત કરી મે' જૈન ધર્મને આરાધ્યેા નહીં, સિદ્ધાંત સાંભળી મેં મારૂં જીવન સાર્થક કર્યું નહીં. અહા ! હું કુળમાં ગાર થયા, દેવદ્રવ્યનું ભક્ષણ કરી મે' મહા પાપ ઉપાજન કર્યું, મારા વિતને ધિક્કાર છે. પછી તેણે વિનયથી મુનિરાજને પૂછ્યું, મહારાજ ! હું આ મહા પાપ કર્મમાંથી કેવી રીતે છુટું ? તે ઉપાય કૃપા કરી બતાવેા. નાની ખેલ્યા, ભદ્ર ! જો ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યવડે દેવશુ આપી, તેમાંથી મુક્ત થા તા, તું પાછે સુખી થઈશ. તે સાથે એવા અભિગ્રહુ કરજે કે, તારે પાતાને માટે જેટલું અન્ન, વસ્ત્ર, જોઇએ, તેટલું દ્રવ્ય રાખવું, અને બાકીનુ દ્રવ્ય કાટીગમે હોય, પણ તે ચૈત્યદ્રવ્યને અર્થે વાપરવું. આવા ઉત્તમ અભિગ્રહના પ્રભાવથી તું સર્વ રીતે સુખી થઈ, ઉત્તમ પદના અધિકારી થઇશ. જ્ઞાનીનાં આવાં વચનથી તેણે તેવા અભિગ્રહ ધારણ કર્યા. મુનિરાજ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા; પછી સ`કાશના જીવની સર્વ પ્રકારે ઉન્નતિ થવા માંડી. વ્યાપારમાં તેણે અનગળ દ્રવ્ય પ્રાપ્ત કર્યું, અલ્પ સમયમાં તે કાટીધ્વજ થઇ પડયા. પેાતાના અભિગ્રહ પ્રમાણે નિવાહ જેટલું દ્રવ્ય રાખી, બાકીનું દ્રવ્ય તેણે ચૈત્ય અર્થે ખર્ચી નાખ્યું. ભારતવર્ષ ઉપર ધણું સ્થળે સુંદર જિન પ્રાસાદે બંધાવ્યાં, દેવદ્રવ્યની વૃદ્ધિ થાય, તેવી મોટી મેટી દ્રવ્યની થાપણા મુકી, સંધને સાંપી દીધી. સાત ક્ષેત્રમાં પણ દ્રવ્યને ઉપયેગ સારી રીતે કર્યું. અનુક્રમે સંયમ લઇ, તપસ્યા કરી, સંકાશના જીવને કેવળજ્ઞાન ઉપજ્યું, અને મેાક્ષના મહા માર્ગને તે સ પૂર્ણ અધિકારી થઇ ગયેા. પ્રિય બંધુ ! એ સંકાશનું દૃષ્ટાંત લઇ, તમારે પ્રવર્ત્તન કરવું જોઇએ. માત્ર અગીયાર કાંકણીના દેવદ્રવ્યથી સંકાશે કેટલી વિડખના ભાગવી, તેને ખ્યાલ કરી. શ્રાવક કુળમાં જન્મ લઈ દેવદ્રવ્ય ખાવું, તેના કરતાં અન્ન જળ વિના મૃત્યુ પામવું સારૂં છે, ત મારી આજીવિકાનાં જગતમાં ઘણાં સાધન છે, તે છતાં છેવટે ભીખ માગી ખાવું, પ દેવદ્રવ્યની ઇચ્છા કરવી નહીં. દેવદ્રવ્યને માટે નીચેનાં ત્રણ પદ્ય આર્હત શાસનમાં લખેલાં છે. Jain Education International देवद्रव्येण या वृद्धिर्गुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय मृतोऽपि नरकं व्रजेत् ॥ १ ॥ अन्यायदेव पाषंडिसंबंधाद्धनमीहते । समषीकूर्चकैर्द्धाम धवलीकर्त्तुमीहते ॥ २ ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy