________________
દેવદ્રવ્ય અને શકાવતાર તીર્થ. ૨૫૭ जिणपवयण वुद्धिकरं पभावगं नाण देसण गुणाणं । वQतो जिणदव्वं तिथ्ययरत्तं लहइ जीवो ॥ ४ ॥ जिणपवयण वुद्धिकरं पभावगं नाण देसण गुणाणं ।
दोहंतो जिणदव्वं सो बहु संसारिओ होइ ॥५॥
હે મૈતમ ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રીને સંગ કરવાથી માણસ, સાત વાર સાતમી નરકે જાય છે. જિન પ્રવચનને વૃદ્ધિ કરનાર, અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવું જિન દ્રવ્ય ભક્ષણ કરનાર પુરૂષ, અનંત સંસારી થાય છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર, અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવું જિન દ્રવ્ય રક્ષણ કરનાર પુરૂષ, સસારને પારગામી થાય છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવા જિન દ્રવ્યની વૃદ્ધિ કરનાર છવ, તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યને જે હાનિ પહોંચાડે, તે અતિ સંસારી થાય છે; વળી એટલે સુધી જણાવે છે કે –
चेइयदव्वविणासइ सिद्धाये पवयणस्स उड्डाहे । संजइण चउथ्थभंगे मूलाग्गी बोहिलाभस्स ॥ १ ॥
ચદ્રવ્યને નાશ કર, પ્રવચનની નિંદા કરવી, અને સંયમીના ચોથા વ્રતને ભંગ કરે, એ બધિ લાભના મૂળમાં અગ્નિરૂપ છે.
બંધુઓ ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, તેની ઉપેક્ષા કરવાથી પ્રાણી ભભવ ભટકે છે, તે જીવ દરિદ્રી થાય છે, નિંદાપાત્ર બને છે, અને અતિ કષ્ટ ભોગવે છે. શ્રાવકે દેવદ્રવ્યનું રક્ષણ કરવું જોઈએ, યત્નથી તેની વૃદ્ધિ થાય, તેવા ઉપાય જવા જોઈએ. પંચની સાક્ષીએ દેવદ્રવ્યનો વ્યવહાર ચલાવ, અને જેમાં પાપવૃત્તિ થાય, તેમાં તે દ્રવ્યને ભેળવવું નહીં. દેવદ્રવ્યની આવક અને જાવકને વહીવટ જુદે રાખવું જોઈએ. શ્રાવકે પિતાના ઘરના દ્રવ્યની સાથે તેને સેળભેળ થવા ન દે, એમ વર્તીને જે દેવદ્રવ્યની વૃદ્ધિ કરે, તે પુરૂષ તીર્થકર ગોત્ર બાંધે છે.
સાધમ બંધુઓ ! દેવદ્રવ્ય વિષે સંકાશ શ્રાવકની કથા સાંભળવા જેવી છે. સંકાશ શ્રાવકના ઘરમાં દેવદ્રવ્યની માત્ર અગીયાર કાંકણી વાપરવામાં આવેલ, તેટલાથીજ તેને અતિ કષ્ટ ભોગવવું પડયું હતું; પણ એ પવિત્ર શ્રાવક છેવટે સિદ્ધિને પાત્ર થયો હતો. એ વાર્તા સંક્ષેપમાં નીચે પ્રમાણે છે
ગંધિલાવતી નગરીમાં સંકાશ નામે એક શ્રાવક રહેતો હતો, તે સમ્યગ દર્શનવડે શુદ્ધ હતા, બાર વતને પાળનારો હતો, જીવ અજીવ વિગેરે તત્વને જાણતો હતો, બંને
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org