________________
૨૫૬
આનંદ મંદિર, અને આ રમણીય જિનપ્રાસાદને જોઈ મને અતિ આનંદ ઉપજે છે. આવા આનંદની સાથે એક મોટે ખેદ પણ થાય છે, જે ખેદ આ સિદ્ધપુરની શ્રાવક પ્રજાની સ્થિતી જોઈને થાય છે.
સાધર્મિ બંધુઓ ! થોડા વર્ષ પહેલાં આપની સ્થિતી એવી ઉત્તમ હતી ? તે સાંભળી મને તમારી હાલની સ્થિતી જોઈ ઘણીજ દિલગીરી થાય છે. દિલગીરી થાય છે, એટલું જ નહીં, પણ દયા ઉપજે છે. આ સ્થિતી થવાનું શું કારણ? તે વિષે તપાસ કરતાં જાણવામાં આવ્યું છે કે, દેવદ્રવ્યનું ભક્ષણ કરવાનું જ આ ફળ છે. શક્રાવતાર તિર્થની મોટી માત્રામાં વિદેશી યાત્રાળુઓને મોટો સમૂહ આવ્યા કરે છે, તેઓ નવનવી વસ્તુઓની ભેટ આ તીર્થને સ્થાને ધરે છે, અને તે ભેટને ઉપયોગ અહીંના તમે શ્રાવકે રહેંચી ખાઓ છે, તે વાત સાંભળી મને કંપારા સાથે મોટો પરિતાપ ઉત્પન્ન થાય છે. બંધુઓ ! તમારી આ સ્થિતી થવાનું કારણ એ દેવદ્રવ્યનું ભક્ષણ છે. એ મહા પાપરૂપ અગ્નિએ તમારી ઉન્નતિને દગ્ધ કરી નાખી છે. દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, એ કેવું પાપ છે ? તે તમારે વિચારવું
જોઈએ. જૈન શાસ્ત્રકારોએ તે પાપને મેટી અવનતિનું કારણ કહેલું છે, જે શ્રાવક દેવદ્રવ્યથી પિતાના ધનની વૃદ્ધિ કરે, તેના કુળને ક્ષય થઈ જાય છે, અને તે નરકે જાય છે, દેવના રૂણથી બુદ્ધિને નાશ થાય છે. જે દેવદ્રવ્યની સાથે પોતાનું દ્રવ્ય મેળવે છે, તે મષના કુચાથી પિતાના ઘરને ઘોળે છે. દેવદ્રવ્યને ખાનારો અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યની આવક અને જાવકની તપાસ ન રાખે, અને તેની ઉપેક્ષા કરે, તે પણ દીર્ધ સંસારી થાય છે. દેવદ્રવ્યને વધારવામાંજ શ્રાવકે તત્પર થવું જોઇએ. તે પણ દેવદ્રવ્યની વૃદ્ધિ ન્યાયપાર્જિત દ્રવ્યવડેજ કરવી, અન્યાયપાર્જિત દ્રવ્યથી કરવી નહીં. ન્યાય માર્ગે ઉપાર્જન કરેલા દ્રવ્યથી દેવદ્રવ્યની જે વૃદ્ધિ કરે, તે તીર્થંકર પદને અને સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે શ્રાવક જગતમાં સમૃદ્ધિ સંપાદન કરી, ગુણી જનમાં ગવાય છે કીર્તિ અને કમલા તેની આગળ નૃત્ય કરે છે. દેવદ્રવ્યને રક્ષક અને ભક્ષક કે થાય, તેને માટે આપણા આગમની નાચેની ગાથા સર્વદા સ્મરણમાં રાખવા રોગ્ય છે.
भक्खणे देव दव्वस्स परथ्थीणं तु संगमे । सत्तमं नरयं जंति सत्तवाराओ गोयमा ॥ १ ॥ जिणपवयण वुद्धिकरं पभावगं नाणदंसणगुणाणं । भक्खंतो जिणदव्वं अणंतसंसारिओ भणिओ ॥ २ ॥ जिणपवयणवुद्धिकरं पभावगं नाणदंसण गुणाणं । रखंतो जिणदव्वं परित्तसंसारिओ होइ ॥ ३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org