________________
દેવદ્રવ્ય અને શિકાવતાર તીર્થ.
૨૫૫ નામે નગર હતું, જેની પાડોશમાં આ મહા તીર્થ આવેલું હતું. ચૈત્યની બાહર નીકળી બને દંપતી સિદ્ધપુરના દરવાજા આગળ આવ્યાં. નગરમાંથી નીકળતા લેકેને દેખાવ દયાજનક જોવામાં આવ્યા, કોઈ પુરૂષ, કે સ્ત્રીના મુખ ઉપર લક્ષ્મી તેજ ન હતું, સર્વ નિર્ધન કંગાલ હાલતમાં હતાં, સર્વના શરીર ઉપર ફાટેલ વચ્ચે લટકતાં હતાં. કોઈ રોગી, કઈ વંધ્ય, કોઈ કઢીએ, કોઈ અંધ, કઈ પગૂ અને કોઈ ઉન્મત્ત જોવામાં આવતાં હતાં. સ્ત્રીઓ પ્રાયે કરીને સૌભાગ્ય વગરની દેખાતી હતી. પ્રત્યેક સ્થળે વિધવાઓ અને દુર્બળ સ્ત્રીઓ નજરે પડતી હતી. બાળક અને બાળકીઓ બુદ્ધિ વગરનાં, મૂર્ખ અને દીનમુખા જોવામાં આવતાં હતાં.
સિદ્ધપુરની પ્રજાને આ દેખાવ જોઈ શ્રીચંદ્રને આશ્ચર્ય લાગ્યું. આવા સુંદર તીર્થની આગળ આ નગરની આવી સ્થિતિ જોઈ તેના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા, તેવામાં કોઈ વૃદ્ધ પુરૂષ નગરમાંથી બાહેર આવતે જોવામાં આવ્યું. શ્રીચકે તે વૃદ્ધને પુછયું, ભદ્ર ! આ નગરનું નામ શું ? આ નગરની પ્રજા નઠારી સ્થિતિમાં કેમ દે. ખાય છે ? આવી તીર્થની ભૂમી દારિદ્રથી પીડિત હોય, તે અમને આશ્ચર્ય લાગે છે. તે વૃદ્ધ બે, વિદેશી મહાનુભાવ ! તમે પુછ્યું, તે બરાબર જાણવા જેવું છે. આ જિન પ્રાસાદ શક્રાવતાર નામે તીર્થથી ઓળખાય છે, આ નગરનું નામ સિદ્ધપુર છે, અહીં જૈન લેકેની મેટી યાત્રા છે, વિદેશી યાત્રાળુઓ આવી, આ તીર્થમાં ભક્તિથી ચેખા, ફળ, વસ્ત્ર, રત્ન, અને સુવર્ણ વિગેરેની ભેટ ધરે છે, અનેક સંધપતિઓ આવી, અહીં મેટી મોટી પ્રભાવનાઓ કરે છે, અહીંના લે છે એક સંપ કરી આ દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે. લાભને વશ થઈ શ્રાવકપણું ભુલી જાય છે, એ દેવદ્રવ્યના ભક્ષણથી બધી પ્રજા દારિદ્રથી પીડિત થઈ ગઈ છે. કોઈ રોગી, કઈ કાઢીઆ, કોઈ વાંઝીયા, કોઈ નિર્ધન, અને કોઈ આંધળા કે અપંગ થઈ ગયા છે. દેવદ્રવ્યના ભક્ષણરૂપ અગ્નિમાં સિદ્ધપુરની જૈન પ્રજા દગ્ધ થઈ ગઈ છે. મહાનુભાવ ! આવું અશુભ ફળ ભોગવતાં છતાં પણ તેઓ અદ્યાપિ એ મલિન કર્મને છોડતા નથી, તેઓ પ્રમાદથી પાપાનુબંધી પાપ બાંધતા જાય છે.
આ પ્રમાણે કહી તે વૃદ્ધ ત્યાંથી ચાલ્યા ગયા. શ્રીચંદ્ર મદનાને કહ્યું, પ્રિયા ! આપણે આ સ્થળે કાંઈ પણ ભોજન કરવું નથી. અહીં પ્રત્યેક વસ્તુ દેવદ્રવ્યમય થઈ ગઈ છે. સર્વ લેકના ઘરમાં દેવદ્રબેજ વાસ કરેલો છે. યાત્રાળુઓને આધારે જ આ નગરને નિર્વાહ છે. તથાપિ મારા મનમાં એવો વિચાર આવે છે કે, અહીંના અગ્રેસર લેકેને બોલાવી, દેવદ્રવ્ય ન ખવાય તે વિષે બંધ કરે, અને એ મહા પાપમાંથી તેઓને ઉદ્ધાર કરવો પ્રિયા ! આ કાર્ય ખરેખરા ઉપકારનું છે. આ પવિત્ર ક્ષેત્ર પાપક્ષેત્ર થઈ પડવું છે, તેની રક્ષા કઇ પણ પ્રકારે કરવી જોઈએ.
આવું વિચારી શ્રીચંદ્ર નગરમાં ગયો, અને સંઘના અગ્રેસરોને એક સ્થાને બોલાવી, શ્રાવકને મોટો સમાજ એકઠો કર્યો. સર્વ સમાજ વચ્ચે ઉભો થઈ શ્રીચંદ્ર – ગૃહસ્થ ! હું એક વિદેશી શ્રાવક છું, યાત્રા નિમિત્તે અહીં આવ્યો છું, આ પવિત્ર ક્ષેત્રને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org