________________
૨૫૪
આનંદ મંદિર.
આ વખતે આપણી વાર્તાને નાયક શ્રીચંદ્ર મનસુંદરીને લઈ પેલા સ્મશાનમાંથી જુદે પડી અહીં આવે છે. દૂરથી આ મહા ચૈત્યને જોઈ તેના હૃદયમાં અપાર હર્ષ થઈ આવ્યો. તેણે મદનાને કહ્યું, પ્રિયા ! આજની મુસાફરી કૃતાર્થ થઈ છે. જુઓ, આ સુંદર છન પ્રાસાદ કે ગગનની સાથે વાત કરતે રમણીય દેખાય છે? ચાલો, આપણે એ મહા પ્રાસાદનાં દર્શન કરી પવિત્ર થઈએ. જિન પ્રતિમાનું પવિત્ર ધ્યાન ધરી, માનવ ભવને કૃતાર્થ કરીએ. આસ્તિક શિરોમણી અમદા તે સાંભળી હર્ષ પામી. બને ઉતાવળે પગલે આગળ ચાલ્યાં. અનુક્રમે છન પ્રાસાદની નજીક આવ્યાં. બંને શ્રાવક દંપતિ ત્રિકરણ શુદ્ધિથી પવિત્ર થઈ જિનાલયમાં પેઠાં. પરમ ભક્તિભાવથી પ્રતિમાને નીરખી, વંદન કરી, શ્રીચ નીચેનું સ્તવન મધુર સ્વરે ગાવા માંડયું
સ્તવન,
રાગ બિહાગડે મનમાં આવજો રે નાથ, હું થયે આજ સનાથ. મન. ( એ આંકણી. ) જયજિનેશ નિરંજને, ભંજનો ભવદુઃખ રાશિ, રંજન સવિ ભવિ ચિત્તને, મંજણે પાપના પાછ. મન ૧ આદિ બ્રહ્મ અનૂપ તું, અબ્રહ્મ કીધા દૂર, ભવભ્રમ સવિ ભાંજી ગયા, તુંહિ ચિદાનંદ સનર.
મન ૨ વીતરાગ ભાવ ન આવહી, જીહાં લગે મુજને દેવ, તિહાં લગે તુમ પદ કમલની, સેવના રહે એ ટેવ.
મન. ૩ યાપિ તમે અતુલી બળી. યશવાદ એમ કહેવાય, પણ કબજ આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય. મન મનાવ્યા વિણ માહરું, કેમ બંધથી છુટાય, મનવાંછિત દેતાં થકા, કેાઈ પાલવડે ન ઝલાય.
મન ૫ હઠ બાળને હોયે આકરો, તે કહે છે જિનરાજ, ઝાઝું કહાવે શું હૈયે, ગિરૂઆ ગરિબનિવાજ.
મન૬ જ્ઞાનવિમળ ગુણથી લહે, સવિ ભવિક મનના ભાવ, તે અક્ષયસુખ લીલા દિયે, જેમ હવે સુજશ જમાવ.
ઉપર પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, રોમાંચિત શરીર હની ભક્તિ દર્શાવી, બંને દંપતિ બાહર નીકળ્યાં.
મન
૪
મન.
૭
આ જિન પ્રસાદ તે શકાવતાર નામે તીર્થ કહેવાતું હતું. તેની પાસે સિદ્ધપુર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org