SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ આનદ મંદિર. સેવક્રા સ્વામીને માટે તૃણુની જેમ પ્રાણ છેડે, પણ સેવકને માટે સ્વામી પ્રાણુ હાડે તે દુર્લભ છે. ૫ર આ ઉત્તર સાંભળતાં શબ પાછું ત્યાંથી ઉછળી પોતાને સ્થાને ચાલ્યું ગયું. ત્રણવાર તે શ્રીદ્રે ક્ષમા કરી, પણ આ વખતે તેણે પોતાનું પરાક્રમ બતાવ્યું, શબને બળાત્કારે પકડયું, અને યેગીની પાસે તે લાવવા નીકળ્યા. રાજકુમારનું પરાક્રમ જોઇ, રામે કહ્યુ—મહાવીર ! તમે ચતુર અને વિલક્ષણ છે; તે યોગી ઉપર આટલા બધા રાગ કેમ રાખો છે ? તે યોગી ધૃત્ત, નિર્લજ, અને નિર્દય છે, કુડ કપટના લિ ંગી છે, માયાને ભડાર છે, તમને ભાળવી મારાથી તે કાર્ય સાધવા તૈયાર થયા છે. તેવામાં કાઇ આધેડ વયની સ્ત્રી ત્યાં અશ્રુધારા વર્ષાવતી આવી, તેને કુમારે પૂછ્યું—તું કાણુ છે ? સ્ત્રી ખાલી, આ નગરથી દક્ષિણ દિશામાં નંદિગ્રામ નામે એક ગામ છે, તેમાં હું રહું છું. મારા પતિ દરદ્રી હતા, તે ચેરીને ધધા કરી, આજીવિકા ચલાવતો હતો. આ વડના વૃક્ષ ઉપર પોલીસ લેાકાએ તેને બાંધીને મારી નાખ્યા છે, આ ખબર સાંભળીને હું અત્યારે અહીં આવી છું. વડમાંથી મારા પતિનું શસ્ત્ર લઇ જતાં મેં તમને જોયા, એટલે અહીં આવી છું. આ શાને તમે શું કરશે! ? શ્રીચંદ્ર ખેલ્યેા—એક યોગીની પાસે સાધવા માટે તેને લઇ જવું છે, તેના મ અગ્નિકુંડમાં કરી સુવર્ણ પુરૂષ કરવાના છે; તારે આ શબનું કાંઇ કામ છે ? જે હાય, તે કર. પછી તે સ્ત્રીએ શબની ઉપર જળની ધારા કરી, ચંદનના લેપ કર્યો. તેવામાં મે એઠા થઇ, તે સ્ત્રીનું નાક કાપી ખાધું. સ્ત્રી રૂદન કરતી પેાતાના ગામ તર‰ ચાલી ગઈ. પછી શ્રીચદ્ર રાખને લઇ, મેગીની પાસે આવ્યા. અગ્નિકુંડની ડાબી તરફ શયને મુકયુ, યોગીએ વિધિથી જળવડે શબને નવરાવ્યું, પછી ચંદન પુષ્પથી તેની પૂજા કરી, યોગી શખને લઇ, કુંડ પાસે ઉભા રહ્યા. તેણે શ્રીયદ્રને કહ્યુ, રાજકુમાર ! હવે સાવધાન રહેજો. શ્રીચંદ્ર નવકાર મંત્રવડે અંગરક્ષા કરી બેઠે. યાગી કુંડમાં ચેાખા, સરસવ વિગેરેના હામ કરવા લાગ્યા, અને તે દાણા શખ ઉપર છાંટવા લાગ્યા. જેમ જેમ છંટકાવ કુરવા માંડયા, તેમ તેમ શબમાંથી દેવતાઇ પ્રભાવ પ્રગટ થવા લાગ્યા. તે વખતે યાગીએ પુછ્યુ, રાજકુમાર ! શુ કાંઇ જપો છે ? શ્રીયંત્રે કહ્યુ, ત્રિકરણ શુદ્ધિથી જે જપવા યા. ગ્ય હાય, તે જપું છું. તે નવકાર મ ંત્રને જાપ કરતા હતા કહ્યુ છે કેઃ— यथा चित्तं तथा वाचा यथा वाचा तथा क्रिया । चित्ते वाचि क्रियायांच साधूनामेकरूपता ॥ જેવું મનમાં, તેવું વાણીમાં, અને જેવું વાણીમાં, તેવું ક્રિયામાં. સાધુ પુરૂષોને ચિત્તમાં, વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા હોય છે. ચેોગીએ એકસો ને આઠવાર શબની ઉપર ત ંબુલ છાંટયું, પણ તે શાને સુવર્ણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy