________________
ત્રિપુરાનંદ વેગી.
૨૪૯ બેલી, હા, એક ઉપાય છે. તે રાજા જેવા સ્વરૂપવાન પુરૂષનું જે નગરદેવીને બળિદાન આપવામાં આવે, અને પિતા, પુત્રનું મસ્તક છેદે, તો રાજા સો વર્ષ સુધી જીવે.
આ ચર્ચા જેવાને રાજા ગુપ્ત રીતે વિરવરની પછવાડે આવ્યો હતો, વિરવર રાજલક્ષ્મીનાં વચન સાંભળી પોતાને ઘેર આવ્યું. રાજા પણ ગુપ્ત રીતે તેની પાછળ આવ્યો. વિરવરે પોતાની સ્ત્રીને જગાડી પિતાની પાસે બોલાવી. ભદ્રે ! તે પતિવ્રતા અને સુજ્ઞ છું, જેનું આપણે નિમક ખાઈએ છીએ, તે રાજાને માટે મારે પ્રાણ આપવાનો વખત આવ્યો છે. સ્ત્રીએ તે વિષે પુછયું, એટલે રાજકુમારે સ્મશાનનો બધે વૃત્તાંત કહી સંભળાવ્યો. છેવટે જણાવ્યું કે, પ્રિયા ! તું આ બાળકોને લઈ તારે પિયર જા. તારે મારી આજ્ઞા માન્ય કરવી પડશે. પતિની આજ્ઞાને માને, તેજ ઉત્તમ સ્ત્રી કહેવાય છે. તેવી સ્ત્રીઓને માટે સાહિત્યકારો નીચેનાં પદ્ય બોલે છે –
ते पुत्रा ये पितुर्भक्ताः सपिता यस्तु पोषकः ।। तन्मित्रं यत्र विश्वासः सा भार्या पतिवाक्यगा ॥ १ ॥
જે પિતાના ભક્ત હોય, તે પુત્રો, જે પિષણ કરે, તે પિતા, જે ઉપર વિશ્વાસ મુકાય, તે મિત્ર અને જે પતિનાં વચનને અનુસરે તે સ્ત્રી કહેવાય છે.
आर्तेधार्ता द्विषिद्विष्टा प्रोषिते मलिना कृषा ।
मृते म्रियेतयानारी सा स्त्री ज्ञेया पतिव्रता ॥ १ ॥
પતિ દુઃખી હોય છે, જે સ્ત્રી દુ:ખી રહે, પતિના દેશી ઉપર દેવ કરનારી થાય, પતિ પ્રવાસ કરે, તો મલિન અને દુબળી રહે, અને પતિ મૃત્યુ પામે, તે મરી જાય, તે સ્ત્રી પતિવ્રતા જાણવી.
मितं ददाति हि पिता मितं भ्राता मितं सुतः ।
अमितस्य हि दातारं भर्तारं का न पूजयेत् ॥१॥ પિતા, ભાઈ અને પુત્ર મિત-માન પ્રમાણે આપે છે, અને ભર્તી અમિત-ધણું આપે છે, તો તેવા ભને કઈ સ્ત્રી પૂજે નહીં ?
न दानैः शुध्ध्यते नारीनोपवासशतैरपि ।
अव्रतापि भवेच्छुद्धा भर्तृसद्गतमानसा ॥१॥ .
સ્ત્રી દાન આપવાથી કે સેંકડો ઉપવાસ કરવાથી શુદ્ધ થતી નથી. વ્રત ન કરતી હોય, પણ જે પતિમાં હદય રાખે, તો તે સ્ત્રી શુદ્ધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org