SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિપુરાન’દ ચાગી. निंद्या योषिन्न मर्यो हि यतो योषिद्विना नराः । धर्माधर्म विचारेषु तन्नियुक्ता भवति यत् ॥ 11 2 11 સ્ત્રી નિંદવા યોગ્ય છે, પુરૂષ નથી; કારણ કે, તેથી કરીને સ્ત્રી શિવાય પુરૂષા ધર્મ તથા અધર્મના વિચાર કરવાને નિમાય છે. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી, શબ પાછું પોતાને સ્થાનકે ચાલ્યું ગયું. રાજકુમાર આશ્ચર્ય પામી પછે તેને લઇ આવ્યો. શખે નીચે પ્રમાણે ત્રીજી વાત્તા શરૂ કરી. વર્ધમાન નગરમાં શૂદેવ નામે રાજા હતા. એક વખતે રાજા દરબારમાં સભા સ્થાને બેઠા હતા, તેણે ચાપદારને પૂછ્યું, ચોપદાર ! કાઇ રાજદ્વાર ઉપર છે કે નહીં ? ચેપદારે કહ્યું, મહારાજા ! બીજું કાઇ નથી, પણ અર્થ જતા ધણા ઉભા છે. શ્રીમ ંતના દ્વાર આગળ આશા ભરેલા અર્થીએ અથડાય, તેમાં કંઇ આશ્ચયૅ નથી. એક વિદ્વાન તે વિષે લખે છે.~~~~ ** ૧૪૭ Jain Education International एह्यागच्छ त्वमुत्तिष्ट वद मौनं समाचर । एवमाशाग्रहग्रस्तैः सेव्यते धनिनोऽर्थिभिः ॥ १ ॥ ,, અહીં આવ, તું બેઠો થા, ખેલ, ચુપ રહે. આ પ્રમાણે આશારૂપ ગ્રહેાએ ગ્રસ્ત થયેલા અર્થીએ શ્રીમંત જનનાં દ્વાર સેવે છે. દ્વારપાળ રાજાને પ્રણામ કરી રાજદ્વાર આગળ આવ્યા. ત્યાં કાઇ પુરૂષને ભેટ લઇ ઉભેલા જોયા. દ્વારપાળ રાજાને ખબર આપી આજ્ઞા લઇ, તે પુરૂષને અ ંદર લઇ ગયા. પુરૂષ ભૂપતિને પ્રણામ કરી ઉભા રહ્યા. રાજાએ પૂછ્યું, તમે કાણ છે ? તે પુરૂષે કહ્યું, મહારાજા ! હું દક્ષિણમાંથી આવું છું. તે દેશના રાજાને વીવર નામે હું કુમાર છું, એમ કહી તેણે રાજાની આગળ ભેટ ધરી. રાજાએ ભેટ સ્વીકારી કહ્યું, અહીં આવવાનું શું પ્રયેાજન છે ? કુમારે કહ્યું, મારે આપની ાકરી કરવી છે. ગુણી જનની સેવા તે કલ્પવૃક્ષની સેવા છે. રાજાએ પૂછ્યું, શું પગાર લેશે ? કુમારે કહ્યું, હમેશાં એક હજાર ગદીયાણા સેાનું લઇશ. રાજાએ કહ્યું, તમારે તેટલે શા પરિવાર છે ? હાથી, ઘોડા, રથ કે ખીજું શું છે ? કુમાર ક્ષેા—ના, તે કાંઇ નથી. એક પુત્ર, એક પુત્રી, સ્ત્રી અને હું એમ ચાર માણસા છીએ. તે સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તાપિ રાજાએ વિચાર્યું કે, તેના પગાર પ્રમાણે તે ફળ આપશે. આવું વિચારી ભંડારીને ખેલાવીને કહ્યું કે, આ વીરવર કુમારને પ્રતિદિવસ એક હજાર ગદીયાણા સુવર્ણ આપજો. વીરવર ધણા ઉદાર હતા, યાચકાને અગણિત દ્રવ્ય આપતા, જે કાઇ દુઃખી આવે, તેને ભોજન વસ્ત્ર આપતા. આવા મેટા ખર્ચમાં તેના દ્રવ્યના ઉપયોગ થતા હતા, તે રાત્રે રાજાને પહેરેગીર થઇ ઉધાડી તરવારે ચાકી કરતા હતા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy