________________
૨૪૬
આનંદ મંદિર.
નહીં, તથાપિ રાજપુરૂષોએ સાક્ષી આપી કે, તે વાત સત્ય છે, તે દુષ્ટે આ સતીને કલક આપ્યું છે. તેમના કહેવા ઉપરથી રાજાએ શ્રીદત્તને દેહાંત શિક્ષા કરી, તેવામાં પેલા ગુપ્ત રીતે રહેલે ચાર પ્રગટ થયા, તેણે ખરેખરા સર્વ વૃત્તાંત રાજાની આગળ જાહેર કર્યો. અને જણાવ્યું કે, કાષ્ઠ રીતે આ પુરૂષ વધ્યું નથી; રાજાને તે નિશ્ચય થયા. જયશ્રીની ઉપર ગુસ્સો આવ્યો. શ્રીદત્તને છેડી મુકી સુખી કયા, અને દુષ્ટ કુલટા જયશ્રીને મસ્તક મુંડાવી ગધેડા ઉપર બેસારી બધા શહેરામાં ફેરવી, અને આવાં કુકર્મ કરનારી એની આવી દશા થાય છે, એમ લેકની આગળ દર્શાવી આપ્યું. તેવી દુષ્ટ સ્ત્રીને માટે સાહિત્ય શાસ્ત્રમાં નીચેનું પઘ ગવાય છે.
( સ્ત્રગ્ધરા ).
आवर्त्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां दोषाणां संनिधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । स्वर्गद्वारस्य विनं नरकपुरमुखं सर्वमायाकरंडं स्त्रीयंत्रं येन सृष्टं विषममृतमयं प्राणिनामेकपाशः ॥ १ ॥
સંશયના આવર્ત્ત ( મરી ), અવિનયનું ધર, સાહસનું શહેર, દેષના ભંડાર, સેકડા કપર્ટ ભરેલ, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિશ્ર્વ, નરકપુરને દરવાજો, સર્વે કપટને કડીયા અને અમૃતમય ઝેરરૂપ એવું રૂપ યંત્ર કાણે સરજ્યું છે ? જે સર્વ પ્રાણીઓને એક પાશરૂપ છે.
શ્રીદત્ત પછી ખીજી કુલીન સ્ત્રીને પરણી સુખી થયા. હે રાજા ! જુએ, સ્ત્રી જાતિ કેવી અધમ હોય છે ? આપ પક્ષપાત વગર કહો કે, સ્ત્રી અને પુરૂષ દુરાચરણમાં સરખાંજ ઉતરે છે. રાજાએ તે વાત માન્ય કરી.
પેલા શમે શ્રીચંદ્રને જણાવ્યું, રાજકુમાર ! તું કહે, તે સ્ત્રી અને પુરૂષ દુરાચરણમાં સરખાં થયાં, કે કાંઇ ન્યૂનાધિક છે ? શ્રીચંદ્રે કહ્યું, મને સ્ત્રી જાતિ વિશેષ પાપિ ણી લાગે છે. લેાકમાં અને શાસ્ત્રમાં સ્ત્રીને વધારે નિંદવા યોગ્ય કહેલી છે. શાસ્ત્રમાં લખે છે કેઃ—
Jain Education International
गुरुरग्निर्द्विजातिनां वर्णानां ब्राह्मणो गुरुः ।
पतिरेव गुरुः स्त्रीणां सर्वस्याभ्यागतो गुरुः ॥ १ ॥
દ્વિજાતિ ( બ્રાહ્મણુ, ક્ષત્રિય અને વૈશ્ય ) તે ગુરૂ અગ્નિ છે, બધા વર્ણના ગુરૂ બ્રાહ્મણ ( જૈત બ્રાહ્મણ ) છે, સ્ત્રીઓને ગુરૂ પતિ છે,
અને સર્વને ગુરૂ અભ્યાગત છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org