________________
ત્રિપુરાનંદ યોગી.
૨૪૩ સ્વરૂપવાન પુરૂષ કદી તે ભાઈ, પિતા અને પુત્ર હોય, તો પણ તેને જોઈને સ્ત્રી. ઓની યોનિ પાણી વડે કાચાં પાત્રની જેમ સ્ત્રવ્યા કરે છે.
अग्निकुंडसमानारी घृतकुंभसमो नरः। સંપર્ તે નિત્યં જિંપુનઃ વરસાદ ત્રિાઃ | ? |
સ્ત્રી અગ્નિકુંડના જેવી છે, અને પુરૂષ ઘીના ઘડા જેવો છે, તે સંપર્કથી હમેશાં કવે છે, તે પિતાને વશ રહેનારી સ્ત્રીઓની શી વાત કરવી ?
વનવતી જયશ્રીને તે રવરૂપવાન પુરૂષ જોઈ કુવિચાર આવ્યો. તકાળ માલતી નામની એક પિતાની સખીને તે પુરૂષની પાસે મોકલી. પુરૂષે માલતીની મારફત કહેવરાવ્યું કે, એક માલણને ત્યાં તે મને મળી શકશે. બંનેએ સંકેત સ્થળ નક્કી કર્યું, અને માલણને ઘેર તેમને યોગ થયો, ત્યારથી પ્રત્યેક દિવસે તેઓ મળતાં અને વિષયભોગ કરતાં હતાં.
કેટલેક દિવસે શ્રીદત્ત સમુદ્રની મુસાફરીમાંથી પાછા આવી, તે જયશ્રીને તેડવા સાસરાને ઘેર આવ્યો. પિતાના પતિને આવેલો જોઈ, પેલા જાર પુરૂષને મળવામાં અંતરાય થવાની જયશ્રીને ચિંતા થઈ પડી. જયશ્રીએ પિતાની ચિંતા સખીની આગળ જણાવી; ચિંતા એ કનિષ્ટ વસ્તુ છે, આનંદના માર્ગને રોધ કરનાર છે. ચિંતાને માટે સાહિત્યમાં નીચેનાં પો લખે છે.
चिंता चिता समानास्ति चिंता चैव गरीयसी।
सजीवं दहते चिंता निर्जीवं दहते चिता ॥ १ ॥
ચિંતા અને ચિતા સરખી નથી, ચિતાથી ચિંતા અતિ મોટી છે, ચિતા જીવ વિનાનાને બાળે છે, અને ચિંતા છવવાળાને બાળે છે.
अति प्रलापो हि निरंकुशत्वं भर्तुःप्रवासः स्वरुचिस्तीर्थयात्रा । ईर्ष्यालुता स्वैरिणीसंगमता च स्वभावतः शीलविलुप्तकाइमे ॥ १ ॥
અતિ બળવાપણું, નિરંકુશપણું, પતિને પ્રવાસ, પિતાની રૂચિ પ્રમાણે પ્રવર્તન, તીર્થયાત્રા, ઈર્ષ્યાળુપણું અને સ્વછંદી સ્ત્રીને સંગ, એ સ્વભાવથી શીલને લેપનારાં છે.
- સખીએ જયશ્રીને સમજાવી કે, વિશેષ ચિંતા રાખીશ નહીં. જે લાગ મળે, તે પતિને છેતરી જારને સમાગમ કરજે. સખીનાં આવાં વચન સાંભળી જયશ્રી જરા શાંત થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org