________________
૨૪૨
આનંદ મંદિર. જેઓ ધર્સ જનથી છેતરાયા હોય, તેઓ સાધુઓની ઉપર પણ વિશ્વાસ કરતા નથી. ઉના દુધથી દાઝેલા પુરૂષો દહીં અને છાશ ઝુકીને પીએ છે. વળી સ્ત્રી અને પુરૂષ વિશેષમાં ઘણો તફાવત છે, અને સ્ત્રીની યોગ્યતા તથા અયોગ્યતા પુરૂષ વિશેષને પ્રાપ્ત કરવાથી જણાય છે, તે વિષે સાહિત્યમાં નીચેનાં પદ્ય લખે છે.
बाजिवारणलोहानां काष्टपाषाणवाससाम् । नारी पुरुषतोयानामंतरं महदंतरम् ॥१॥
અશ્વ, હાથી લેહ, કાષ્ટ, પાષાણ, વસ્ત્ર, સ્ત્રી, પુરૂષ અને જળમાં મેટું અંતર છે.
સર્વ શાર્વ વિદ્યા વા વળા નર નાર ના
पुरुष विशेषं प्राप्ता भवंति योग्या अयोग्याश्च ॥ १॥
શસ્ત્ર, શાસ્ત્ર, વિદ્યા, વાણી, વીણા, નર અને નારી, પુરૂષ વિશેષને પ્રાપ્ત થઈ છે: અને અગ્ય થાય છે.
આ પ્રમાણે ચતુર બુદ્ધિવાળા શુકે નીચે પ્રમાણે વાર્તા કહેવા માંડી –
કાંચનપુર નગરમાં સાગરદત્ત નામે એક શેઠ રહેતો હતો, તેને શ્રીદત્ત નામે પુણ્યવાન અને પવિત્ર પુત્ર હતો, બીપુર નગરનિવાસી સોમદત્ત શેઠની જયશ્રી નામે એક પુત્રીની સાથે શ્રીદત્ત પરણ્યો હતો. શ્રીદત્ત જયશ્રીને પરણીને જ તેના પીયરમાં મુકી કરીયાણ લઈ સ યુદ્ધ માં વેપાર કરવા ગયો. પછવાડે જયશ્રી યૌવનવયને પ્રાપ્ત થઈ કામિ પુરૂષોને નવનવા રંગ દશાવવા લાગી. વનવયમાં વિશેષ લાવણ્ય જણાય છે. કહ્યું છે કે
यौवनमुदग्रसमये करोति लावण्यगतिं कुरुपेऽपि । दर्शयति पाककाले लिंबफलं चापि माधुर्यं ॥१॥
કુરૂપી જનમાં પણ વનવય પિતાના ઉગ્ર સમયે લાવણ્યને ઉત્પન્ન કરે છે, લીંબડાનાં ફળ પણ પાકવા વખતે મધુરતા દર્શાવે છે.
એક દિવસે જયશ્રી મંદિરના ગેખ ઉપર બેઠી હતી, ત્યાં કોઈ સ્વરૂપવાન પુરૂષ જતો તેણીના જોવામાં આવ્યો. અસતી સ્ત્રીઓનું એવું લક્ષણ છે કે, તે સુંદર પુરૂષને જોઈ વિકારી બની જાય છે. કહ્યું છે કે
सुरुपं पुरुषंदृष्ट्वा भ्रातरं पितरं सुतम् । श्रवते योनयः स्त्रीणामामपात्रमिवांभसा ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org