________________
ત્રિપુરાનંદ યાગી.
૨૪૨
ક્રૂરની સાથે પાછી પોતાના પીયરમાં આવી. પોતાનાં માપિતાની પાસે પણ તેણીએ તે કલ્પિત નૃત્તાંત કહ્યા. માયાળુ માતાએ પુત્રીને હૃદય સાથે દાખીને કહ્યું, બેટા ! ચિંતા કરીશ નહીં, વસ્ત્રાભૂષણના જરા પણ શેક ન રાખીરા. જો જમાઈ જીવતા હશે, તેા પાછા મળશે, અને તું સુખી થઈશ.
અહીં ધનક્ષયે સ્ત્રીનાં આભૂષણ વસ્ત્ર વિગેરે વેચી દુર્વ્યસનમાં ઉડાવી દીધાં. અલ્પ સમયમાં તે પાછે નિર્ધન થઇ દુઃખી થવા લાગ્યા, એટલે તે નિર્લજ પાછો પોતાના સાસરાતે ગામ આવ્યે. તેના મનમાં પોતે કરેલા કુકર્મને માટે શંકા હતી, પણ તેને કલ્પિત ઉત્તર કહેવા તે ઈચ્છતા હતા; તેવામાં પોતાની સ્ત્રીને જોઇ, સ્ત્રી પતિને જોઇ ખુશી થઇ, અને પેાતાને ધન્ય માનવા લાગી. સ્ત્રીને જીવતી જોઈ ધનક્ષયના મનમાં વિચાર થયા કે,
આ શુ ? મેં મારી જાતે તે સ્ત્રીને કુવામાં નાખેલ, તે અહીં જીવતી ક્યાંથી ? આવું વિચારી તેણે નિશ્ચય કર્યો કે, કર્મની ગતિ વિચિત્ર છે, વખતે તેમાંથી કાઇએ બચાવી હશે.
હવે સ્ત્રી તેની ઉપર પ્રસન્નતા દર્શાવવા લાગી. કાઇવાર પણ કુવાની વાત તેણીએ જણાવી નહીં, કેટલાક દિવસ એમ ચાલ્યા ગયા, પછી એક દિવસે શ્રી સુતી હતી, તેના શરીર ઉપરથી આભૂષણુ ઉતારી, તેને મારી નાંખી, ધનક્ષય રાત્રે સાસરાને ઘેરથી પા ચાલ્યે! ગયા. દુષ્ટ જન પોતાની દુષ્ટતા કદિપણ છેડતા નથી.
સારિકાએ કહ્યું, હે રાજા ! પુરૂષાનાં કામ એવાં નઠારાં હાય છે. કેટલાંએક પ્રત્યક્ષ જોયેલાં છે, અને કેટલાંએક સાંભળ્યાં છે, મીઠાઇમાં મેળવેલા ઝેરના જેવા પુરૂષા થાય છે. આથી મે નિશ્ચય કર્યો છે કે, પુરૂષના સ ંગ કરવા નહીં, અને તેથી આ શુકની રાથે મારે વાદ થાય છે.
શુક પક્ષી ક્લ્યા—રાજા ! તમે તટસ્થ છે, એક તરફી સાંભળી નિર્ણય કરશા નહીં. એ સારિકાનું કહેવું ટિત નથી, બધા પુરૂષો તેવા હેતા નથી. કાઈ પુરૂષ તેવા દુષ્ટ થાય, તેથી કાંઇ પુરૂષજાતિ બધીતે અપવાદ લાગતા નથી. પાપની અનંત રાશિ ઉડ્ડય આવવાથી સ્ત્રીવેદ બંધાય છે, તે પણ કર્મથી પ્રાપ્ત થાય તો, લેવા પડે છે. દુર્જનથી ડરી ગયેલા લેકે સજ્જનથી પણ ભય રાખે છે. ગરમ દૂધથી દાઝેલા માણસ છાશને પણ ઝુકીને પીએ છે. વચ્ચે સારિકા એટલી ઉડી, શુકરાજ ! શું વધારે વાણીમાં પંડિતાઈ બતાવે છે ? જો પુરૂષ જાતિના જેવી સ્ત્રીજાતિ હાય તો, તેને કાઇ દાખલા આપો. તમે મારી સાથે સરખા ઉતરશે ? કાંઈ વાણીના વિલાસમાં વિજય નથી. ઘણા વાચાળ પુરૂષો બીજાને છેતરી પાડે છે; દુર્જનોથી છેતરાએલા પુરૂષા પછી સજ્જનને પણ વિશ્વાસ કર તા નથી, તે વિષે સાહિત્યમાં નીચે પ્રમાણે લખે છે.
ये वंचिता धूर्त्तजनेन लोकास्ते साधुसंगेऽपि न विश्वसंति । उष्णेन दग्धाः किल पायसेन पिबंति फुत्कृत्य दधीनितक्रम् ॥ १ ॥
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org