________________
ત્રિપુરાનંદ યોગી.
૨૩૯ થશે. તે રાજપુત્રીની પાસે એક ચંદ્રપ્રભા નામે સારિકા છે, તેણીએ પણ આજ પ્રમાણે સારિકાને પુછ્યું હતું કે, મારો ભર્તા કોણ થશે ? ત્યારે સારિકાએ તમારું નામ આપ્યું છે, અને તમારા રૂપની પ્રશંસા કરી છે, આથી મદનમંજરીને તમારી ઉપર રાગ થયો છે.
શ્રીચંદ્રકુમાર ! તે પછી એવું બન્યું કે, મદનમંજરીએ પિતાને ઈરાદો સખીદાર માતાને કહેવરાવ્યું. માતાએ રાજાને જણાવ્યું, રાજાએ મંત્રિને ગોઠવણ કરવા કહ્યું, આથી મંત્રિએ રૂપસેન રાજાને સંકેતથી જણાવ્યું, અને છેવટે શુભ દિવસે મદનમંજરીની સાથે રૂપન રાજાને વિવાહ થયો.
રાજા અનુક્રમે નગરમાં આવ્યો. મદનમંજરી પિતાની સાથે ચંદ્રપ્રભા સારિકાને લેતી આવી, શુક અને સારિકાને એક પાંજરામાં રાખ્યાં. રાજા મનવાંછિત રમણને યોગ થવાથી ઘણો આનંદ માનવા લાગ્યા, અને સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યો.
એક દિવસે પાંજરામાં રહેલા પોપટે સારિકાને કહ્યું, પ્રિયા ! તું કેમ ભોગની ઉપેક્ષા રાખે છે ? મારી સાથે સ્વેચ્છાએ ભેગ ભોગવ. આ સંસારમાં ભોગજ સાર છે, આ વન વય ચંચળ છે, ફરીથી તે પ્રાપ્ત થવાનું નથી. તે વિષે એક રસિક પુરુષે કહેલું છે કે –
संसारे सर्व जीवानां भोगमाप्तिः फलं शुभम् । गतं ते जीवितं भीरु जीवनं च निरर्थकम् ।
या न वेत्ति सदा पुंसां चतुराणां रतिपदम् ॥१॥
હે બીકણ સ્ત્રી ! આ સંસારમાં સર્વ ને ભોગની પ્રાપ્તિ થવી, તે શુભ ફળ છે. જે સ્ત્રી ચતુર પુરૂષોને રતિ આપનારું સુખ જાણતી નથી, તેનું જીવિત ચાલ્યું ગયેલું અને નિરર્થક છે.
શુકનાં આવાં વચન સાંભળી, સારિકા બેલી –શુકરાજ ! હું પુરૂષની સાથે ભોગની ઇચ્છા રાખતી નથી; પુરૂષ જાતિ ઘણુ ખરાબ હોય છે, મેં શાસ્ત્રમાં તે વિષે નીચે પ્રમાણે સાંભળ્યું છે.
स्वार्थनिष्टा मुखे मिष्टा द्रोहिणः परवंचकाः । मायाविनः कृतघ्नाश्च निर्दयाः पुरुषाः पुनः ॥१॥
પુરૂષ સ્વાથ, મેટે મીઠા, દ્રોહ કરનારા, બીજાને છેતરનારા, માયાવી, કૃતધી અને નિર્દય હોય છે.
સારિકાના મુખેથી પુરૂષ જાતિની નિંદા સાંભળી શુક બે-સારિકા ! આ શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org