________________
ત્રિપુરાનંદ વેગી.
૨૩૭ રાજકુમારને જણાવ્યું, અને કહ્યું કે, હવે હું કદિ પણ ત્યાં જઈશ નહિ. ચતુર મંત્રિ મિત્ર તેનો ભાવાર્થ સમજી ગયો. તેણે રાજકુમારને જણાવ્યું કે, મિત્ર! હાલ ધિરજ રાખે. કુંકુમવાળાં ચાર આંગળાંવાળા હાથની લપડાક ઉપરથી એવી સૂચના કરે છે કે, તે હાલ રજસ્વળા છે, ચાર દિવસે શુદ્ધ થશે. મહેલની પાછળ થઈ બારીએ દેરવડે તમને બોલાવશે. ચાર દિવસ વધારે વિલંબ થયો છે. મિત્ર ! ઉતાવળા થશે નહિ, ઉતાવળે આંબા પાકતા નથી.
હે રાજપુત્ર ! તે પછી જ્યારે પાંચમ પછી નવમીને દિવસ આબે, એટલે રાજપુત્ર ગુણસુંદર રાત્રે પદ્માવતીના મહેલની પછવાડે ગયે. રાહ જોઈ બેઠેલી રામાએ કુમારને જોયે, એટલે દેરીના યોગથી ઉપર ચડાવ્યો. કુમાર રાજબાળાને પ્રેમથી મળે, પરસ્પર ક્રીડા સુખને આરંભ થવા લાગ્યો. રાજબાળાએ કહ્યું, પ્રિય ! મારા કહેવાને આશય તમે શી રીતે જાણે લીધે ? કુમાર બે, પ્રિયા ! મારી સાથે મારે એક ચતુર મંત્રિ મિત્ર છે, જે તમારે દીયર સમાન છે, તેની બુદ્ધિના પ્રભાવથી મેં તમારે સંકેત જા હતા. પછી રમણીએ રમણને ઉત્તમ રસોઇથી જમાડે, અને ઘણે આદર સત્કાર કર્યો. પ્રાતઃકાળ પહેલાં તે સ્વસ્થાને જવા નીકળ્યો, તે વખતે પદ્માવતીએ વક્ર હૃદયથી ઝેરને મેદક પિતાના દીયરને માટે કુમારની સાથે મોકલાવ્યું. રાજકુમાર પિતાને સ્થાને આવ્યો. પોતાને સર્વ વૃત્તાંત મિત્રને જણાવ્યા અને કહ્યું કે, તમારે માટે રાજકુ મારીએ આ એક મોદક મેકલાવ્યો છે, એમ કહી મંત્રિને મોદક આપો. મોદક લઈ ચતુર મંત્રિએ વિચાર્યું કે, રાજપુત્રી મને જરા પણ જાણતી નથી, તો આ મોદક મેકલાવી શા માટે મારી ઉપર રાગ કરે ? આમાં કાંઈક વિચારવાનું છે. એમ કરતાં સૂર્યોદય થયો, મોદક પિતાની પાસે મુક્ય, ક્ષણવારે તે ઉપર બેઠેલી માખીઓને મરી ગયેલી જોઈ, તે ઉપરથી તેને નિશ્ચય થયો કે, આ ઝેરને મેદક છે, તત્કાળ તેને ભૂમિમાં દાટી દીધો. સ્ત્રીઓની ઇર્ષ બુદ્ધિને ધિક્કાર આપ્યો.
બીજે દિવસે રાત્રિ થઈ, એટલે મંત્રિએ રાજકુમારને શીખવ્યું. મિત્ર! જો આજે રાજકુમારીને મળવા જવું હોય તે, હું તમને એક ઉપાય કહું, તે કરો. જ્યારે રાજકુમારી નિદ્રાવશ થાય, ત્યારે તેની જાંગ ઉપર ત્રણ રેખાવાળું ત્રિશુળ કરી, પગમાંથી એક ઝાંઝર કાઢી લાવજો; એમ કરવાથી આપણને એ કુમારી સ્વતંત્ર રીતે મળશે. મંત્રિના કહેવા પ્રમાણે રાજકુમારે બીજી રાત્રે તેમ કર્યું. પછી બંને મિત્રોએ યોગીને વેષ લીધે, એક ગુરૂ અને બીજો શિષ્ય થયો. બને સ્મશાનમાં જઈ વસ્યા. શિષ્ય પેલું સુવર્ણનું ઝાંઝર લઈ નગરમાં આવ્યો. સોનાવાળાની દુકાને જઈ કહ્યું કે, આ ઝાંઝરનું જે મૂલ્યથાય, તે આપ. ઝાંઝર જોતાં જ વેપારીએ એ રાજાનું , એમ ઓળખી લીધું. તત્કાળ તે રાજાની પાસે લઈ ગયે. રાજાએ પિતાનું નામ વાંચી, તે શિષ્યને બોલાવી પુછયું કે, આ ઝાંઝર કયાંથી મળ્યું ? શિષ્ય કહ્યું, મને કાંઈ ખબર નથી. મારા ગુરૂ જાણે. પછી રાજાએ સ્મશાનમાંથી ગુરૂને બોલાવી પુછયું કે, આ ઝાંઝર તમને કયાંથી મળ્યું ? ગુરૂ બલ્યા, આજ રાત્રે સ્મશાનમાં એક ઉગ્ર બળવાની શક્તિ આવી હતી, મેં તેને પગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org