SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજાને ગુણસુંદર નામે એક કુમાર હતો, તેને સુબુદ્ધિ નામે ગુણપર પ્રીતિ રાખનાર એક મંત્રિ હતા. એક વખતે તે રાજકુમાર અને મંત્ર બંને વિપરીત ગતિ શીખેલા અશ્વ ઉપર બેસી ફરવા નીકળ્યા. વિપરીત ગતિવાળા અને તેમને એક મોટી અટવીમાં ખેંચી લાવ્યા, બંનેને તૃષા લાગી. અશ્વ ઉભા રહ્યા, એટલે તેઓ એક સરોવર ઉપર આવ્યા. સરોવરની પાળ ઉપર એક યક્ષનું મંદિર હતું. જળપાન કર્યા પછી રાજકુમાર મંત્રિને અશ્વ સેપી સરોવરમાં ક્રિીડા કરવાને ગમે, તેવામાં કાંઠા ઉ. પર એક સુંદર કન્યા જોવામાં આવી, તેણીના હાથમાં એક કમળનું પુષ્પ હતું. રાજકુમાર ગુણસુંદરને જોતાંજ તે કન્યાએ કમળ, દાંત અને કાનનો સ્પર્શ કરી સંજ્ઞા બતાવી. એવી સંજ્ઞા કરી, તે કન્યા પિતાને સ્થાને ચાલી ગઈ. રાજકુમાર વિચારમાં પડ્યા, તેની સંજ્ઞા બરાબર સમજ્યો નહીં. તત્કાળ તેણે આવી સુબુદ્ધિ મંત્રીને પુછ્યું, મંત્રિશ્વર ! આ સરોવરમાં ક્રીડા કરવા જતાં તટ ઉપર એક સુંદર કન્યા ઉભી હતી, તેણીના હાથમાં કમળ હતું. મને જોઈ તેણીએ કમળથી દાંત અને કાનને સ્પર્શ કર્યો, અને મને તે બતાવી ચાલી ગઈ, એનો અર્થ શું હશે? ચતુર મંત્રિએ બુદ્ધિથી વિચાર્યું, અને તે બલ્ય, રાજ કુમાર ! એ કન્યાને આશય મારા જાણવામાં આવી ગયો છે. તે દાંતાનગરના રાજા કર્ણ" દેવની પડ્યા નામે પુત્રી છે, તે તમારી ઉપર અનુરાગ દર્શાવવા એ સંજ્ઞા કરી ચાલી ગઈ છે. આ સાંભળી રાજકુમાર ખુશી થયો, અને મંત્રિના ચાતુર્યને તેણે ધન્યવાદ આપે. પછી રાજકુમાર મિત્ર સહિત દાંતાનગરમાં ગમે. બાહરની વાડીમાં ઉતરી એક માલણને દ્રવ્ય આપી, પદ્માવતી રાજકુમારી પાસે પિતાના આવવાની ખબર આપવા મોકલી, અને સરોવરે જે પોતે મળેલ તે ઇધાણ કહેવરાવી. માલણે એ ખબર રાજકુમારીને કહી; તે સાંભળતાં જ તેણીએ માલણના મસ્તક ઉપર ચંદનથી ભરેલાં પાંચ આંગળાંવાળા હાથવડે લપડાક મારી, અને બહાર કાઢી મુકી. માલણ વિલખી થઈ રાજકુમારની પાસે આવી, અને તેણીએ પિતાને વૃત્તાંત નિવેદન કર્યો. ચતુર મિત્ર મંત્રિ તે મર્મ જાણી ગયો, અને તેણે રાજકુમારને કહ્યું, મિત્ર ! નાઉમેદ થશો નહીં, તે રાજબાળાએ પાંચ આંગળી વડે મસ્તકમાં લપડાક મારી, તમને એવી સૂચના કરી કે, આવતી શુકલ પંચમીને દિવસે તેનો મેળાપ થશે; આ સંકેત જાણું ગુણસુંદર ખુશી થયા, પછી બંને મિત્ર નગરમાં એક ઘર ભાડે રાખીને રહ્યા. જ્યારે પાંચમનો દિવસ આવ્યો, એટલે રાજકુમારને ઉત્કંઠા થઈ. પદ્માવતીને યાદ આપવા માટે માલણને પુનઃ જવા કહ્યું. માલણે પિતાનું અપમાન થયેલ, તેથી જવાની ના કહી. રાજકુમારે તેણીને ઘણું દ્રવ્ય આપવાની લાલચ બતાવી, એટલે માલણ છેવટે જવાને તૈયાર થઈ. દ્રવ્યથી શું નથી થતું ? માલણે આવી રાજકુમારીને કુમારને સંદેશો કા, તે સાંભળતાંજ રાજકુમારીને રીસ ચડી. કુકમ ભરેલાં ચાર આંગળાંવાળા હાથવડે ગાલ ઉપર લપડાક મારી, અને મહેલની પછવાડેની બારીએથી દેરીવડે બાંધી ઉતારી માલણને કાઢી મુકી. આવું ભારે અપમાન થવાથી માલણ જીવ લઈને નાશી આવી. તેણીએ પિતાનીપર વીતેલે વૃત્તાંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy