________________
ત્રિપુરાનંદ યોગી.
૨૩૫ પને ઘટે નહીં. જગતની મર્યાદા મહાન પુરૂષોનાં વચન ઉપરજ ટકી રહી છે. વચનને માટે ધર્મવીરે નીચેનું રમણીય પદ્ય ઉંચે સ્વરે બેલે છે.
राज्यं यातु धियो यांतु यांतु प्राणा विनश्वराः ।
परं या स्वयमेषोक्ता वाचा मा यातु शाश्वती ॥१॥
• રાજ્ય જાએ, લક્ષ્મી ચાલી જાઓ, અને નાશવંત પ્રાણ ભલે જાએ, પણ પિતાની જાતે જે વચન કહેલું હોય, તે શાશ્વત વચન ન જાઓ. ”
ગૃહેશ્વરી ! તમે પણ મારી સાથે ચાલો; પેલા પ્રભાવિક અંજનવડે તમને વાનરી બનાવી, તે પાસેના વૃક્ષ ઉપર રાખીશ. આહંત શાસનને મહા મંત્ર આપણા શરીરની રક્ષા કરશે, શાસનના અધિષ્ઠાયક દેવતાઓ ચોકીદારની જેમ આપણે આગળ ઉભા રહેશે. પ્રિયા ! હીંમત રાખો.
આ પ્રમાણે શ્રીઅંકે કહ્યું, એટલે મદનાના હૃદયમાં હીમ્મત આવી, તે આસ્તિક અબળા પતિને અનુસરવા ઉભી રહી. શ્રીચંદ્ર પ્રભાવિક અંજનથી તેને વાનરી બનાવી, સ્મશનની ભયંકર ભૂમિ તરફ ચાલ્યો. કલ્યાણપુરનું સ્મશાન ભયંકર હતું, કાળી ચૌદશની રાત્રિ હેવાથી તે વિશેષ ભયંકર લાગતું હતું, ચારે તરફ ચિતાગ્નિમાંથી અગ્નિના ભડકા નીકળતા હતા, એક તરફ શ્વાનના ઘેર શબ્દ થતા હતા, શિયાળ, વરૂ વિગેરે માંસભક્ષી પ્રાણીઓ આમતેમ ફરતા હતા, અસ્થિઓની રાશિ શ્રેણીબંધ નજરે પડતાં હતાં, ભૂત, પ્રેત અને વેતાલ વિક્રાળરૂપે નૃત્ય કરી રહ્યાં હતાં, આ ભૂમિમાં શ્રીચંદ્ર આવ્યો. એક તરફ અગ્નિકુંડ પાસે પુરૂષનું શબ રાખી, યોગીજ ઉત્તરસાધકની રાહ જોઈ ઉભો હતે. મદના વાનરીરૂપે પાસેના વૃક્ષ ઉપર ચડી ગઈ. શ્રીચંદ્ર યોગીની પાસે આવી બે – મહારાજ ! હું આવી પહોંચ્યો છું, તમારો ઉત્તરસાધક છું, જે કાર્ય હાય, તે કહે. યોગી શ્રીચંદ્રને પિતાની પાસે બેસારી, મંત્ર, જાપ અને તેમ કરવા લાગે. કેટલીએક ક્રિયા કરતાં અર્ધી રાત્રિ થઈ, એટલે યોગીએ શ્રીચંદ્રને કહ્યું, મહાનુભાવ ! હવે તમારું કામ પડયું છે, અહીંથી થોડે દુર એક વડનું મોટું વૃક્ષ છે, ત્યાં એક ચરનું શબ છે, તે વડની શાખા સાથે લટકે છે, તેને અહીં લાવે છે, મારું કાર્ય સિદ્ધ થાય. વીરમણિ શ્રીચંદ્ર સાહસથી બેઠો થયે. ઉત્તર દિશામાં રહેલા વડની પાસે વડ ઉપર ચડી, ખવડે મુડદાના બંધને તેડી પાડી, શબ નીચે પાડયું, અને પોતે નીચે ઉતર્યો. પુનઃ તે શબ પાછું ત્યાં જઈને વળગ્યું. પછી પિતે ઉપર ચડી, બંધને છેડી, શબને હાથે પકડી નીચે ઉતાર્યું. હાથવડે મજબુત પકડી, ખાંધ ઉપર ચડાવ્યું, એટલે મુડ૬ ખખડ હસીને બેલ્યું, રાજકુમાર ! તું વીર રાજપુત્ર છે, મને એક કથા સંભળાવ, તે તારી સાથે આવું, તે સાભળતાંજ શ્રીચંદ્ર આશ્ચર્ય પામી ગયો, અને આશ્ચર્યને લીધે ક્ષણવાર મૌન ધારી રહ્યા. જ્યારે શ્રીચંદ્ર બે નહીં, એટલે શબે કહ્યું, રાજકુમાર ! જે તું હેકારે આપે, તો તને એક પત્રાવતીની વાર્તા કહું, એમ કહી મુદાઓ નીચે પ્રમાણે વાર્તા શરૂ કરી:--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org