________________
૨૩૪
આનંદ મંદિર, જે બીજાની પાસે પ્રાર્થના કરે, તેવા પુત્રને માતા જન્મ ન આપો, તેમજ જે બીજાની પ્રાર્થનાને ભંગ કરે, તેવા પુત્રને ઉદરમાં ધારણ ન કરે.”
' મેગીનાં આવાં દીન વચન સાંભળી ઉપકારી શ્રીચંદ્રનું હદય આદું થઈ ગયું; તેણે તત્કાળ ઊઢ સ્વરે જણાવ્યું, યોગીરાજ ! હું ખુશીથી તમારો ઉત્તરસાધક થઈશ. મારે લીધે જે તમારા સારા કાર્યની સિદ્ધિ થતી હોય, તે મારે પછી મારી જાતને શામાટે ઉપયોગી ન કરવી ? માનવ જીવન પરોપકારથી અલંકૃત થાય છે. જો કોઈ પણ માનવ શરીર ઉપકાર થઈ શકે તેમ હોય, તે શા માટે ઉપકાર ન કરવા? પશુ પક્ષીઓનાં શરીર અને સ્થાવર જાતિ બીજાના ઉપયોગમાં આવે છે, તે આ સચેતન માનવ શરીરથી પરોપકાર કેમ ન કરવો ? યોગીરાજ! કહે, કયારે તમારે મારી જરૂર છે? બીજી સાધનની સામગ્રી તૈયાર છે કે કેમ?
શ્રીચંદ્રનાં આવાં ઉત્સાહ ભરેલાં વચન સાંભળી યોગી ખુશી થયો. તે આનંદના ઉભરાથી બે –મહાનુભાવ ! આજ રાત્રે તે ક્રિયા કરવાની છે; સ્મશાનમાં જઈ એક પુરૂષના શબ ઉપર તે સાધના થશે. હું ત્યાં જઈ બધી ગોઠવણ કરું છું, સમય વખતે આપ કૃપા કરી હાજર થજે. આ પ્રમાણે કહી યોગી બેઠે થયે; આનંદથી ઉતાવળાં પગલાં ભારતે સાધનાની સામગ્રી તૈયાર કરવામાં તત્પર થયે, યેગી ગયા પછી શ્રી ચંદ્ર પ્રિયાને કહ્યું, પ્રાણેશ્વરી ! આજે આ શરીરથી ઉપકાર કરવાનો સમય આવ્યો છે, તે બિચારા યોગીનું કાર્ય સિદ્ધ કરવા હું જઇશ, તે સમયે તમે કયાં રહેશે? પતિનાં વચન સાંભળી મદના બેલી–સ્વામિ ! આપ પરોપકાર બુદ્ધિએ જવા તૈયાર થયા છે, પણ મને શંકા આવે છે. એ પેગિની આકૃતિ પ્રચંડ છે, રખે તેમાં કાંઈ કપટ હશે, તે પછી શું કરીશું? પ્રાણેશ ! પ્રથમથી દીર્ધ વિચાર કરી, પગલું ભરજો; મને તે મોટી શંકા રહે છે. તે યોગીની આકૃતિ જોઈને જ મારું અંગ કંપતું હતું; એવા કુટિલ હૃદયવાળા તાપસને સંગ કર, તે મને તે જરા પણ રૂચતું નથી. નાથ ! તેવી ઘેર સાધનામાં તમને હું નહીં જવા દઉં. આ પ્રમાણે રકઝક કસ્તાં રાત્રિ થવા આવી, મદના પતિના વસ્ત્રને છેડે ઝાલી ઉભી રહી.
શ્રીચંદ્ર મંદહાસ્ય કરી બે –આગ્રહી અબળા ! હવે રજા આપ; મનમાં જરા પણ શંકા રાખશો નહીં, નવકાર મંત્રના પ્રભાવથી મારા અંગની રક્ષા થશે. જ્યાં સુધી આહંત ધર્મની જ્યોતિ મારા હૃદયમાં પ્રકટે છે, ત્યાં સુધી મને કોઈ જાતને ભય નથી; મારા અંગની ચારે તરફ જૈન મહા મંત્રની રક્ષા છે. પ્રિયા ! વિશ્વાસ રાખો. જેનું હૃદય નિર્મળ છે, જે ત્રિકરણ - મન, વચન અને કાયાને] યોગે શુદ્ધ છે, તેને સર્વદા શુભ મંગળજ થાય છે, અંતરાયની મલિન છાયા તેની ઉપર પડતી નથી. જે મલિન હૃદયના હેય, તેમની ઉપર દુઃખની પરંપરા આવે છે; પાપી પિતાના પાપનોજ ભોગ થઈ પડે છે, હદયેશ્વરી ! વળી વિચારો કે, મેં તે યોગીને વચન આપ્યું છે, મારા વચન ઉપર વિશ્વાસ રાખી, એ તાપસ નિશ્ચિત થઈ પ્રવર્તે છે. વચનને ભંગ કર, એ ઉત્તમ પુરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org