SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિપુરાનંદ એગી. ૨૩૩ ભેજન લઈ તૃપ્ત થયાં. વિદેશનાં કૌતુકેની અનેક વાર્તાઓ કરી, પરસ્પર આનંદ પામવા લાગ્યાં. આ સમયને લાભ લેવા પેલો ત્રિપુરાનંદ યોગી જ્યાં તે પ્રેમી દંપતી બેઠાં હતાં, ત્યાં આવ્યો. યોગીની પ્રચંડ આકૃતિ જોઈ મદના વિચારમાં પડી, અને તેને પ્રત્યક્ષ વિઘરૂ૫ માનવા લાગી. યોગી શ્રીચંદ્રની પાસે ઉભો રહ્યા; ક્ષણવાર શ્રી ચંદ્રની સામું જોઈ, તે નીચે પ્રમાણે બોલ્યોઃ દયાવર ! આકૃતિથી તમે કોઈ પરોપકારી અને દયાળુ જણાઓ છે, તમારા લલાટ ઉપર ધાર્મિક તેજ ચળકે છે, હૃદય નિર્મળ દેખાય છે, મુખમુદ્રાપર ગાંભીર્ય અને વિદ્વતાનું દર્શન થાય છે. મહાનુભાવ ! હું એક સાહસિક તાપસ છું, મારું નામ ત્રિપુરાનંદ યોગી છે, સુવર્ણ પુરૂષની સિદ્ધિને માટે ઘણું દિવસ થયાં મારો પ્રયાસ છે; બીજી સર્વ પ્રકારની તૈયારી મેં કરેલી છે, માત્ર ઉનરસાધક પુરૂષની જરૂર છે. બત્રીશ લક્ષણવાળો એક ઉત્તરસાધક પુરૂષ કોઈ મારા જેવામાં આવતો નહોતે, તેની શોધમાં હું ઘણા દિવસ થયાં ભમ્યા કરું છું, આજે મારાં ભાગ્યયોગે તમારો મેળાપ થયો છે. તમારી આકૃતિ ઉપર બત્રીસ લક્ષણે સ્પષ્ટ દેખાય છે, જે કૃપા કરી મારા કાર્યમાં સહાય આપશે, તે હું તને મારો આભાર માનીશ. તમે નીતિશાસ્ત્રના જ્ઞાતા છે; પરકાર્ય કરનારા પુરૂષોને માટે સાહિત્યકાર શું લખે છે, તે નીચેની ગાથા આપ ધ્યાન દઈ સાંભળશો. विरला जाणति गुणा विरला पिच्छंति अत्तणो दोसा । विरला परकज्ज करा परदुक्खे दुक्खिया विरला ॥१॥ विरला हि भये धीरा विरला पालंति निघणा नेहा । विरला अतहिं हिं पीडिया परसुहे सुहिया विरला ॥ २ ॥ બીજાના ગુણને જાણનારા, પિતાના દોષ જેનારા, પરકાર્યને કરનારા, અને પારકે દુઃખે દુઃખી થનારા પુરૂષો વિરલા છે; ભયમાં ધીરા રહેનારા વિરલા હોય છે, પોતાના નેહને પાળનારા, અને બીજાનાં સુખને માટે અતિ પીડા પામનાર વિરલા હેય છે. મહાનુભાવ ! ઉપકારને મહિમા જુદો જ છે; ચંદનનું વૃક્ષ ફળ વગરનું છે, તે પિતાના શરીરથી બીજાને ઉપકાર કરે છે, કૃષ્ણગરૂ પિતે દાહને સહન કરી, બીજાને ખુશબ આપે છે, એ સર્વ વાત તમારી જાણમાં છે. તમે પણ આકૃતિથી પરદુઃખભંજન દેખાઓ છે, તેથી હું આપને પ્રાર્થના કરું છું કે, મને મારી વિદ્યા સાધવામાં સહાય આપે. આશા છે કે, મારી પ્રાર્થનાનો ભંગ નહીં થાય. પ્રાર્થના ભંગ કરનાર કે હલકો હેય, તેને માટે નીચેની ગાથા આપને વિદિત હશે. परपथ्थणा पवजं मा जणणि जणेसि एरिसं पुत्तं । पा उयरोवि धिरिलइ सूपथ्यणभंगो को जेणं ॥ १ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy