________________
૨૩૨
આનંદ મંદિર, મિથ્યા મત ઉગે બહુ પ્રાણી, જે હઠ વિષ ફરસે ડશ્યા, જિ. તે હવે જ્ઞાનવિમળ પ્રભુ પામી, સરસ સુધારસ મેં લક્ષ્યાં. જિન. ૬.
" ઉપરના ગીતને મધુર ધ્વનિ ચારે તર૪ વ્યાપી રહ્યા, તેને પ્રતિધ્વનિ માધુર્યના વધારા સાથે સર્વત્ર પડી રહ્યા, છેતૃવર્ગ ચિત્રવત ખંભિત થઇ ગયે, કંઠના માધુર્ય ઉપરથી યેગી ત્રિપુરાનંદે નિશ્ચય કર્યો કે, આ ધ્વનિ કોઈ લક્ષણવાળા પુરૂષને લાગે છે. વસંત રાગનું સ્વરૂપ તેણે યથાર્થ ખડું કર્યું છે, તાલ અને તે સાથે પૂર્ણ રીતે રાગને પ્રકાશ કરનાર આ કઈ કળાવાન પુરૂષ દેખાય છે. ત્રિપુરાનંદ આવું ચિંતવન કરતું હતું, ત્યાં તેની દક્ષિણ ભુજા અને દક્ષિણ નેત્ર ફરકવા લાગ્યાં. આ શુભ સૂચનાએ તેના ઉત્સાહને દ્વિગુણ કર્યો. યોગીના હૃદયમાં આશાને આનંદ વ્યાપી રહ્યા. ઉમંગ રંગમાં ગિરાજ રમી રહ્યા.
ક્ષણ વાર થઈ, ત્યાં ચિત્યમાંથી એક સ્ત્રી પુરૂષનું જોડું બાહર નીકળ્યું. પ્રિય અને પ્રિયાની સરખી જોડી જોઈ, કલ્યાણપુરની જેન પ્રજા સંતોષ માનવા લાગી. પ્રસાર થતાં એ
જેડાં ઉ૫ર શ્રાવક અને શ્રાવિકાઓની સહસ્ત્ર દૃષ્ટિ પડતી હતી. કેટલાક ભાવિક લેકે મુનિની જેમ તેમને કર જોડી વંદના કરતા હતા, કોઈ આતિથ્ય કરવાનો આગ્રહ કરતા હતા.
આ શ્રાવક દંપતિ કોણ છે? તે વાંચનારના જાણવામાં આવી ગયું હશે. પેલી ધર્મશાળામાંથી આગળ ચાલીને શ્રીચંદ્ર તથા મદનસુંદરી આ કલ્યાણપુરમાં આવી ચડ્યાં છે, નગરની જાહેરથીજ દંડકળશ ચૈત્યને જોઈ, અને લેકેની પાસેથી તેને યાત્રાનું સ્થળ જાણી, તેઓ સત્વર ચૈત્યમાં આવ્યાં હતાં. પવિત્ર હૃદયથી શ્રીચંદે પ્રિયાની સાથે ચિત્ય પ્રતિમાનાં દર્શન કર્યો, અને ઉપર કહેલું સ્તવન વસંત રાગમાં ગાયું હતું. એ સ્તવનનાં માધુધંથી કલ્યાણપુરનાં શ્રાવક શ્રાવિકાઓ સાંભળવાને દોડાદોડ કરી એકઠાં થયાં હતાં, તે વિષે ઉપર કહેવામાં આવ્યું છે.
અહીં ચિત્યમાંથી શ્રીચંદ્રને બહાર નીકળતો જોઈ, યોગી ત્રિપુરાનંદ ખુશી થયો. એ વીરનરની આકૃતિ અને તેનાં લક્ષણ જોઈ, યોગીને નિશ્ચય થયો છે. આ પુરૂષ ખરેખર બત્રીસ લક્ષણ છે. તેના લલાટ ઉપર રવાભાવિક દયાળુતા દેખાઈ આવે છે; તે ઉપરથી ખાત્રી થાય છે કે, તે પરોપકારી પુરૂષ કદિ પણ મારી કાર્યની સિદ્ધિ માટે આનાકાની કરશે નહીં. આવો ઉત્તર સાધક પુરૂષ મળશે, તે પછી હું સહેલાઈથી સુવર્ણ પુરૂષને સાધી શકીશ. મારી જમણી ભુજા અને નેત્રે ફરકીને જે વિજય સૂચવ્યો છે, તે સફળ થવાને. આવું ચિંતવી ત્રિપુરાનંદ યોગી શ્રીચંદની પાછળ હળવે હળવે ચાલવા લાગ્યો. તે પ્રેમી જેવું ત્યાંથી થોડે દૂર આવેલા એક ઉદ્યાનમાં આવ્યું. વૃક્ષની ઘાટી છાયા નીચે તેમણે ઉતારો કર્યો. યેગી તેમની ચેષ્ટા જેત, ઉદ્યાનના એક ભાગમાં દૂર જઈ બેઠે, અને તે સમયની રાહ જોઈ આશાના તરંગમાં મહાલવા લાગે.
શ્રીચંદ્ર પ્રિયાને રસોઈ કરવાની આજ્ઞા કરી, માળીની પાસે રસોઈની સામગ્રી મંગાવી, ચતુર મદનાએ અલ્પ સમયમાં રસોઈ તૈયાર કરી, બંને પ્રેમી દંપતિ આનંદપૂર્વક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org