________________
ત્રિપુરાનંદ યેગી.
૩૩૧
જૈન વરતી ઘણી વસે છે, ગુણવિભ્રમ નામે ત્યાં રાજા છે, તેના તાબામાં બીજા સાત દેશ છે; આથી કલ્યાણપુરનું રાજ્ય જગતમાં મોટું રાજ્ય ગણાય છે, વળી તે યાત્રાનું સ્થળ છે. દંડકળશ નામે એક જિનાલય કલ્યાણપુરમાં આવેલું છે, તે મેરૂ પર્વતના જેવું ઉંચું અને નમુનાદાર છે, તેની અંદર ઉંચી જાતની કારીગરી કરવામાં આવી છે, વિદેશી યાત્રા જુઓ શ્રેણીબંધ તેનાં દર્શન માટે આવે છે, દંડકળશ ચત્યની દિવ્ય શોભા જોઈ, પ્રેક્ષકે ચકિત થઈ જાય છે. તેની અંદર આવેલી જિન પ્રતિમા ઘણી મનોહર, દિવ્ય અને ચમત્કારી છે. અધિષ્ઠાયક દેવના પ્રભાવથી એ જિનાલય પ્રભાવિક તરીકે વિશ્વમાં પ્રખ્યાત થયું હતું.
પેલે ત્રિપુરાનંદ યોગી ચાલતા ચાલતે આ જિનાલય પાસે આવ્યો, ત્યાં લોકોનું મોટું ટોળું જમાવ થતું તેના જેવામાં આવ્યું, સ્ત્રી પુરૂષ દેહાદેડ કરી રહ્યાં હતાં. આ દેખાવ જોઈ લેગીએ વિચાર્યું કે, આવા જનસમૂહમાં વખતે કે તેવા પુરૂષને વેગ થઈ જાય તે, કાર્યસિદ્ધિ સત્વર થાય; આવું વિચારી, યોગી ચિત્યનાં દ્વાર આગળ ઉભો રહ્યો. લેનું મેટું વૃંદ અંદર એક થઈ શાંતપણે ઉભું હતું, સર્વની શ્રવણ ઈદ્રિય સુધાપાન કરતી હતી, ત્રિપુરાનંદ પણ કંઠમાધુર્યથી મેહિત થઈ, બહાર સાંભળવા ઉભો રહે, તેવામાં ત્યમાંથી નીચેનું સ્તવન વસંત રાગમાં તેના સાંભળવામાં આવ્યું.
શ્રી જિન સ્તવન.
[ રાગ વસંત, ] જિનરાજ હમારે દિલ વસ્યા, કિમ વસ્યા કિમ વસ્યા કિમ વસ્યા,
* જિન. ન્યું ઘી મેર ચકોર કિશોર કે, ચંદ્રકળા જેમ મન વસ્યા. જિન, ૧
(એ આંકણી) વીતરાગ તુમ મુદ્રા આગ, અવર દેવ કહિયે કિશ્યા, જિન, રાગી થી કામી ફેધી, જે હોયે તેઓની શી દિશા. જિન, ૨ આધિ વ્યાધિ ભવની ભ્રમણા, આમથી તે સઘળા નશ્યા, જિન, જેણે તુમ સેવ લહીને છેડી, તેણે મધુમશપ કર ઘશ્યા, જિન. ૩ મોહાદિક અરિયણ ગયા દુરે, આપ ભયથી તે ખશ્યા, જિન, તાળી દઈ સયણ સદાગમ, પ્રમુખ તે સવિ મન વશ્યા, જિન, ૪ પ્રભુ તુમ શાસન આગે અવરના, મત ભાસિત ફિકા જિસ્યા, જિન, આજ અમારે એહુ શરીરે, હરખ માંચિત ઉલ્લસ્યાં જિન, ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org