SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ २३० આનંદ મંદિર, લલચાવતા નથી. તેવા મહા પુરૂષો બીજાનો ઉપકાર પરમાણુ જે હોય, તેને મે પર્વતના જે ગણે છે. બીજાએ કરેલા ઉપકારને તેઓ કદિ પણ ભુલતા નથી, અને બને ત્યાં સુધી બીજાનાં દુઃખને દૂર કરે છે. રાગ દેજવાળા દેવને તેઓ ગણતા નથી, દૂષિત વચનને સાં ભળતા નથી. જ્યાં સંવર હેય, ત્યાંજ તત્વને માર્ગ છે; આશ્રવ સંસારના માર્ગને વધારે છે. રાજકુમાર ! સમ્યકત્વને માટે શાસ્ત્રમાં ઘણું કહેલું છે; તે ઉપર વિજય રાજા અને હરિબળ રાજાની પ્રખ્યાત કથાઓ છે. તમારી મનોવૃત્તિ પવિત્ર જોઈ, અમને સંતોષ થાય છે. તમે એવા સમ્યકત્વનું સર્વદા સેવન કરો, એ અમારો ઉપદેશ છે. આ પ્રમાણે દેશના આપી, મુનિ વિરામ પામ્યા. મુનિની દેશનાથી શ્રીચંદ્ર અને મદન સુંદરી ઘણુજ ખુશી થયાં. તેઓના હૃદયમાં સમ્યકનું સ્વરૂપ પાછું વિશેષ તાજું થયું, ભાવના ઉલ્લાસથી શરીર ઉપર રાદૂગમ થઈ ગયે, આહંત ધર્મના પ્રભાવિક તેજથી તેઓ પ્રકાશમાન થઈ ગયાં. ઉગ્રવિહારી મુનિઓ ત્યાંથી બીજે વિહાર કરી ગયા. શ્રીચંદ્ર અને મદના મુનિઓને વાંદી પિતાને સ્થાને આવ્યાં. તે રાત્રી ત્યાંજ રહી બીજે દિવસે તેઓ પણ આગળ ચાલવાને તત્પર થયાં. જેમનું દર્શન આપણને હવે બીજી ભૂમિકામાં થશે. પ્રકરણ ૫૦ મું. ત્રિપુરાનંદ યોગી. દરનગરની બહારની ભૂમિમાં એક અવધુત પુરૂષ બેઠો છે, માથે જ રાખેલી છે, કંઠમાં મોટા પારાની માળાઓ પહેરેલી છે, તે શરીરે કદાવર અને પુષ્ટ છે, તેની બ્રગુટીને દેખાવ ભયંકર છે, નેત્રના ખુણામાં રતાશ દેખાય છે, શરીરે કૃષ્ણ વર્ણ છે; આ ભયંકર પુરૂષની દૃષ્ટિ નગર તરફ હતી. કોઈ પણ પુરૂષ ત્યાં થઈને પસાર થતો, તેનું તે અવધૂત સૂક્ષ્મ દષ્ટિએ નિરીક્ષણ કરતે હતો. ઘણી વાર થઈ, પણ તેની ધારણું પ્રમાણે કઈ પુરૂષ તેને મળી આવ્યું નહિ, એટલે તે લાંબો નિશ્વાસ મુકી બેઠે થે. હળવે હળવે શહેરના વસ્તીવાળા ભાગમાં આવવા લાગે. વાંચનારને આ પુરૂષને ઓળખવાની ઇચ્છા થઈ હશે. તે પુરૂષ આ ચાલતા પ્રકરણને નાયક છે, તેનું નામ ત્રિપુરાનંદ યોગી છે, તેને સુવર્ણ પુરૂષ સાધવે છે. તે સાધનામાં બત્રીસ લક્ષણવાળા એક ઉત્તર સાધક પુરૂષની જરૂર છે, તે કઈ પુરૂષ તેને મળતું નથી. પ્રત્યેક શહેર અને ગામે તે શોધ કરતે કરે છે, તથાપિ હજુ તેની ઈચ્છા સફળ થઈ નથી. જયાં એ પુરૂષ અત્યારે ફરે છે, તે કયાણપર નામે નગર છે, આ નગરમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy