________________
ધર્મ દેશના
૨૨૯ જિનચંદ્ર; તેમ સર્વ ધર્મમાં સમ્યકત્વ છે. સમ્યકત્વ વિના બીજી ક્રિયાઓ આ સંસારરૂપ નાટકના ચાળા જેવી છે. ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનું, પારસમણિ અને નિધિરત્ન એ સમ્યકત્વની આગળ સેવક સમાન છે. તેને માટે સિદ્ધાંતમાં લખે છે કે –
सम्मत्तं परमं तत्तं सम्मत्तं परमो गुरु ।
सम्मत्तं परमो देवो सम्मत्तं परमं पयं ॥ १ ॥ સમ્યકત્વ એજ પરમ તત્વ, પરમ ગુરૂ, પરમ દેવ, અને પરમ તત્વ છે. (૧)
એ સમ્યકત્વ ધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ છે, ચારિત્ર૩૫ દેવાલયની તે પીઠ છે, ધ“રૂપ વહાણનું તે જળસ્થાન છે, અને સર્વ ગુણરૂપ મણિઓનો નિધાન–ભંડાર છે. તે સમ્યકત્વ આત્મભાવથી અથવા ઉપદેશથી પ્રાપ્ત થાય છે, સમ્યકત્વ પ્રાપ્ત થવાથી કર્મની સાતે પ્રકૃતિને ક્ષય થાય છે, અને અનાદિ પદમાં દોષને નાશ થઈ જાય છે. જે જીવ સમકિતને સ્પર્શ, તે અદ્ધ પુદ્ગલ પરાવર્ત કરે છે. તેની ભવમાં કરેલી અશાતનાઓ દૂર થઈ જાય છે, ઉત્કૃષ્ટપણે સમ્યકત્વ-દર્શનનો આરાધક એ જીવ, જે ચારિત્રવડે યુકત થાય, તો તે આઠ ભવે શિવપુરીનાં દર્શન કરે છે, સમ્યકત્વને પ્રાપ્ત કરી, જે જીવ તેને હારે છે, તે તે અનંતકાળ સુધી ભવભ્રમણ કરે છે. જ્ઞાન અને દર્શન અને સાથે હોય, અને તેમાં જે ચારિત્ર ભળે, તો તેને ક્ષણમાં મેક્ષપદ મળે છે, અને તેનાં સંસારનાં સંકટો ક્ષણમાં ટળી જાય છે. જેમ શરદઋતુ કમળ વિનાની શેભે નહીં, તેમ સમ્યકત્વ વિના ક્રિયાઓ શોભતી નથી. ચતુરંગી સેના જેમ નાયક વિના શોભે નહીં, તેમ સમ્યકત્વ વિના ક્રિયા શોભતી નથી. ભરસમુદ્રમાં સઢ વિનાનું નાવ તરતું નથી, તેમ સમ્યકત્વ વિના આ સંસારરૂપ સમુદ્ર તરી શકાતો નથી. જેમ સંગ્રામ ભૂમિમાં હથીઆર વિનાને શૂરવીર નકામે છે, અને ઈંધણું વિનાનો અગ્નિ નિસ્તેજ છે, તેમ સમ્યકત્વ વિના ક્રિયા તેવી છે. સમ્યકાવ વિનાની ક્રિયા વડે નિર્જરા થતી નથી, સમકિત વિનાનું અનુષ્ઠાન બુઝાઈ ગયેલા અગ્નિ જેવું, બેરાની આગળ વાત કર્યા જેવું, અને અંધારે નાટક ભજવવા જેવું છે. જ્યાં સુધી મિથ્યાત્વ શમ્યું નથી, ત્યાં સુધી સમ્યકત્વને માટે જે પ્રયત્ન કર, તે ફોતરાં ખાંડ્યા જેવું, અને શબને શણગાયા જેવું છે. કેટલાએક એમ કહે છે કે, “ અમે સભ્યત્વવાળા છીએ” એ અભિમાનનાં વચન છે. સમ્યકત્વવાળા તેવું કહેતા નથી, જે શરા હેય, તે શરાપણું કહે નહીં, પણ શરાપણું કરી બતાવે છે. સંસારના સુખથી જે કે રહિત હોય, તો પણ શુદ્ધ સમકિતવાળા પુરૂષે પરભવથી ડરે છે; તેઓ કદિપણ આત્મપ્રશંસા કરતા નથી. ગણધર મોટા સમર્થ હોય છે, તથાપિ તેઓ સ્વપ્રશંસાની વાણી કહેતા નથી, પણ તેઓ ઉલટા બીજાના ગુણો સાંભળવા ઇછા કરે છે. કેટલાએક અવિરતિના બળથી પચ્ચખાણ કરતા નથી, તેઓ આ સંસાર સુખના સેવક થઈ રહે છે. વિરતિમાં ઉદ્યમવાળા પુરૂષો સ્વધર્મમાં વિશેષ દઢ રહે છે, અને અન્ય મતના દંભ દેખીને તેઓ પિતાનું મન
* મેહનીય કર્મ ક્ષય, ક્ષયોપશમ, કે ઉપશમ, અનાદિ મિથ્યાત્વ દે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org