________________
२२८
આનંદ મંદિર.
થયે, તેને માટે મુનિયાની આગળ વાત્તા ચલાવી. તે પછી પ્રસંગને લઇ, ઉપકારી અન ગાર માલ્યા——ભદ્ર ! સુપાત્રના યાગ દુર્લભ છે. સુપાત્રે અવસરે દાન, શુદ્ધ બુદ્ધિ, નિરૂપાધિ, અને અંતે સમાધિ-મરણ, એ અભવ્ય જીવને પ્રશ્ન થતાં નથી. પાત્રના ઉત્તમ, મધ્યમ અને જધન્ય, એવા ત્રણ પ્રકાર છે. ઉત્તમ સાધુ તે ઉત્તમ પાત્ર, શુભ શ્રાવક મધ્યમ પાત્ર, અને અવિરત સમ્યષ્ટિ, તે જધન્ય પાત્ર છે. રત્ન, સુણું, રૂપું, કૃતિકા, અને લેહ, એ પાંચ પ્રકારનાં પાત્રનાં, જેવાં અનુક્રમે જિન, મુનિ, શ્રાવક, સકિતી, અને મિથ્યાત્વી, એ પાંચ કહેવાય છે. મુખ્ય રીતે આગમમાં ત્રણ પાત્ર કહેલાં છે; જેમકે:~~
उत्तम साहु मज्जिम पत्तं च सावया भणिया । अविरय सम्मद्धिही जहन पत्तं मुणेयव्वं ॥ १ ॥ સાધુ ઉત્તમ પાત્ર, શ્રાવક મધ્યમ પાત્ર, અને અવિરત સમ્યગ્દષ્ટિ ધન્ય પાત્ર, એમ જાણવું.
મુનિએની આ વાણી સાંભળી, શ્રીચદ્રને ખુશી ઉપજી. પછી પૂર્વે કરેલા પેલા નરહત્યાના પાપનું તેને મરણ થઇ આવ્યું. તત્કાળ વિનયથી અંજળી જોડી શ્રીચકે પુછ્યું, મહાશય ! જેમ વાદ્ય હરણને મારે, તેમ મેં અટવીમાં ક્રૂરતાં અજ્ઞાનતાથી એક પુરૂષને માર્યા છે, એ મહા પાપ મતે હૃદયમાં શલ્યની જેમ ખટક છે, તે આપ કૃપા કરી તેનું પ્રાયશ્ચિત આપે. આપ જેવા પરમ પવિત્ર ગુરૂને યાગ મને લાભકારક થવા જોઇએ. શ્રીચ નાં આવાં ભક્તિ ભરપૂર વચન સાંભળી મુનિ ખેલ્યા-ભદ્ર ! તારી ભદ્રિકતા જોઇ અમને
ત્રી થાય છે કે, તું ખરેખર શુદ્ધ શ્રાવક છું. પુણ્યાત્મા ! તેં જે પાપ કરેલું છે, તે અજ્ઞાનથી કરેલું છે. તું ખરેખરા પાપથી ભીરૂ છે, તારૂં પાપ તે તારા પશ્ચાતાપથીજ દૂર થઇ જશે. પ્રમાદથી થયેલા પાપનું પ્રાયશ્ચિત હૃદયના પશ્ચાતાપ છે. વળી તે એચિત્તે અરિહંતનું ધ્યાન કરેલું છે, તે પણ તારાં પાપને દૂર કરવાનું હેતુરૂપ છે. અરિહંતનું ચૈત્ય કરાવવાથી, તેમના ઉપદેશ સાંભળવાથી, અને નિર્મળ મને તેમનું ધ્યાન કરવાથી લેશમાત્ર પાપ રહેતું નથી. તેને માટે મામિયાયે ' ઇત્યાદિ સિદ્ધાંતમાં કહેલું છે.
ભદ્ર ! તારૂં પાપ ! જરા પણ રહેશે નહીં. તારી નિર્મળ ભાવનારૂપ મિવાળા પાપને સત્વર દહન કરી નાખશે. તારા લલાટ ઉપર દેખાતાં લક્ષા ઉપરથી તું સમૃદ્ધિમાન અને પ્રભાવિક રાજા છું એમ નિશ્ચય થાય છે. હવે સમ્યકત્વને ભજી ધર્મમાં રિયર રહે, એજ અમારા ઉપદેશ છે.
શ્રાવકર્માણિ ! તું સમ્યકત્વનું સ્વરૂપ જાણે છે, તથાપિ ઉપદેશ આપવા, એ અમારા ધર્મ છે, તેથી પુન: કહેવાનું કે, આ સ ંસારમાં સમ્યકત્વ એકજ સારરૂપ છે, સમ્યકત્વ વિના દેવ વગરનાં દેરાંની જેમ ધર્મ શાલતેા નથી. દેવતાઓમાં જેમ ઇંદ્ર, તારાગણમાં જેમ ચંદ્ર, પર્વત જેમ માઁદગરિ, સ્ત્રીઓમાં જેમ લક્ષ્મી અને સર્વ દેવતાઓમાં જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org