________________
ધર્મ દેશના.
२२७
પ્રકરણ ૪૯ મું.
ધર્મદેશના.
છે છે મુનિ શાંત મુદ્રને ધારણ કરતા. વિચરે છે, તેમના શરીર ઉપર મુનિ ધન
મને પ્રકાશ પડી રહ્યા છે, હાથમાં રાખેલાં રજોહરણ જાણે અહિંસારૂપ,
રાજ્ય લક્ષ્મીનાં ચામર હોય, તેવાં દેખાય છે, શ્યામ વર્ણના દંડ જાણે જ નઠારાં કમને શિક્ષા કરવા ધારણ કર્યા હૈય, તેમ લાગે છે, મુખ શૃંગાર
* વગરનાં વિરૂપ છે, તથાપિ તે ઉપર ધર્મનું સાંદી અળકી રહ્યું છે. આ બંને અનસાર પારણાને માટે ભિક્ષા લેવા જતા હતા. તે ભિક્ષા શરીરની પુષ્ટિ માટે ન હતી, પણ ધર્મ નિર્વહનું સાધન શરીર હોવાથી તેને માત્ર આહાર આપવાને માટે હતી.
આ તરફ મનસુંદરી રસોઈ તૈયાર કરી ઉભી હતી. શ્રીચંદ્રનું ખરું સ્વરૂપ જાણી, તેના મનમાં હર્ષોલ્લાસ થતો હતે. શ્રીચંદ્ર ચૈત્યવંદન કરી, ભોજન કરવા આવ્યો, પણ તેના આસ્તિક હૃદયમાં અતિથી સંવિભાગ વ્રતનું સ્મરણ થઈ આવ્યું. કોઈ સુપાત્રને ભિક્ષા આપવાની મનમાં અભિલાષા થઈ, તે અભિલાષાથી તે ઉભો ઉભો દિશાવકન કરતું હતું, અને મનમાં ઉત્તમ ભાવના ભાવ હતો. તે બંને પવિત્ર અનગાર શ્રીચંદ્રની દષ્ટિએ પડ્યા. ભાગ્ય યોગે સુપાત્રને વેગ થઈ આવ્યું. ચંદ્રને જેવાથી ચકોર પક્ષીની જેમ, અને સૂર્યનાં દર્શનથી ચક્રવાકની જેમ શ્રીચંદ્ર અને મદનસુંદરીને આનંદ થયો.
ભાવનાથી ભવ્ય હદયવાળે શ્રીચંદ્ર મુનિઓની સામે આવ્યું અને વંદના કરી, ભિક્ષા લેવાની પ્રાર્થના કરી. આહારની અપેક્ષાવાળા મુનિઓએ પ્રાર્થના સ્વીકારી અને તેના સ્થાનમાં આવી ઉભા રહ્યા. ઉમંગરંગમાં ભરપૂર એવા શ્રીચંદ્ર મુનિઓને ઉત્તમ પાન અને શાકાદિ એમ પદાર્થો વહેરાવ્યા. મુનિઓને પ્રતિલાભિત કરી, શ્રી ચંદ્ર આત્માને કૃતાર્થ માનવા લાગે; પછી પોતે પ્રિયાની સાથે ભોજન લીધું, પિતાની મુસાફરીમાં આવે અપૂર્વ લાભ તેને આ પ્રથમજ મજે, તેને માટે તેણે મદનાને ધન્યવાદ આપે, અને હૃદયમાં નિશ્ચય કર્યો કે, આ સારાં પગલાંની પત્નિને સર્વદા સાથે રાખવી. મદનાનું સૌભાગ્ય બળવાન થયું.
ભોજન કર્યા પછી પિતાની પ્રિયાને લઈ, શ્રીચંદ્ર જ્યાં તે બન્ને મુનિઓને વાસ હતો ત્યાં ગયો. મુનિઓને વિધિપૂર્વક વંદના કરી, અને સુપાત્રને વેગ પિતાને પ્રાપ્ત
* શ્યામ વર્ણના લંડને નિષેધ કરેલે સંભળાવ્ય છે, તેથી નિશ્ચય કરે. [ જુઓ પ્રવચન સારોદ્ધાર, }
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org