________________
૨૨૬
આનંદ મંદિર. પરમાનંદ પ્રકાશ ભાસ, ભાસિત ભર પીળા,
કલેક લેક, નિત એવી લીલા; ભાવ નિભાવપણે કરી, જેણે રાખે અળગે, તપરે પય મેળવી, તેહ થકી નવિ વળગે; તેણી પર આતમ ભાવને એ, વિમળ કે જેણે પુર, તે પરમાતમ દેવનું, દિન દિન વધતું નુર. ૧ નામે તે જગમાં રહ્યા, થાપના પણ તિમહીં, દવ્ય ભવ માંહે વસે, પણ ન કળે કિમહી; ભાવ થકી સવી એક રૂપ, ત્રિભુવનમેં ત્રિકાળે, તે પારંગતને વંદી, વિહુ ને સ્વ ભાળે; પાળે પાવન ગુણ થકી એ, એગ ખેમકર જેહ,
જ્ઞાનવિમળ દર્શન કરી, પુરણ ગુણમણિ નેહ, ૨
આ પ્રમાણે ચૈત્યવંદન કરી “ નમુશ્કણું ? એ સ્તવન ભાવથી ભણી, શ્રીચંદ્ર તીર્થાભિમુખે અંગ નમાવી, વંદના કરી. ત્યાં રસોઈ કરી પ્રાણેશની રાહ જોઈ ઉભેલી મદનાએ શ્રીચંદ્રના નામની મુદ્રા દીઠી, અને તે નામ વાંચી આત્માને તે કૃતાર્ય માનવા લાગી. રાજકુમારીએ વિચાર્યું કે, કુશસ્થલીપુરને પ્રતાપી શ્રીચંદ્ર તે આ પતેજ, જેના ગુણનું યશોગાન પિલા ગાયકે પિતાના દરબારમાં કર્યું હતું. હવે મારો જન્મ સફળ થયો. પિતાજીની ધારણું પૂરી થઈ. આ પ્રમાણે મનમાં મગ્ન થતી મદના આશાના અનેક તરંગો ઉછાળવા લાગી, અને ભજનને માટે સ્વામીની રાહ જોઈ ઉભી રહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org