SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્ર ગુફામાં ૨૨૫ શોભવા લાગે, રનની સાથે સુવર્ણનો વેગ થયે, રાજકુમારી સ્ત્રીજીવનને કૃતાર્થ માનવા લાગી, નવયૌવના સુંદરી વૈવનવયનું ફળ પ્રાપ્ત કરી હૃદયમાં અત્યંત આનંદ પામી. | મધ્યાન્તકાળ થયા પછી રાજબાળાએ સ્વામીને પુછયું, કાંત ! અદ્યાપિ તે વિ. ઘાધર કેમ નહીં આવ્યો હોય ? શ્રીચંદ્ર જણાવ્યું, પ્રિયા ! પાપી પિતાના પાપથીજ નાશ પામી જાય છે, તે વિષે એક સંસ્કૃત કાવ્ય જાણવા જેવું છે. कुभत्रैः पच्यते राजा फलं कालेन पच्यते । लंघनैः पच्यते तापः पापी पापेन पच्यते ॥ १॥ રાજા નારા વિચારોથી પચાય છે, કાળવડે ફળ પચાય છે, લાંઘણ કરવાથી તાવ પચે છે, અને પાપી પાપવડે પચે છે. ૧ રાજકુમારીએ પુછયું, તે શી રીતે બન્યું ? પ્રિયા ! જ્યારે હું આ વનમાં આવ્યો, ત્યારે આ ચંદ્રહાસ ખરું પડેલું મારા જેવામાં આવ્યું. તે ખ લઈ મેં એક વાંસના જાળ ઉપર વાપર્યું. તે જાળની સાથે એક પુરૂષ કપાઈ ગયેલે મારા જેવામાં આવ્યું, એ નરહત્યાથી મને ઘણો પશ્ચાતાપ થયો; અદ્યાપિ મારા હૃદયમાં તે શલ્યની જેમ પીડે છે. તે પુરૂષે પ્રાણાંતકાળે મારી પાસે જળ માગ્યું, મેં તેને જળપાન કરાવ્યું, જળપાન કર્યા પછી તે પરલોકે ચાલ્યો ગયો, અને મારા હૃદયમાં પાપનો પશ્ચાતાપ મુકતો ગયો. પ્રાણેશ્વરી! મને લાગે છે કે, એ મરનાર પુરૂષ તેજ વિદ્યાધર હશે. એ પાપી પિતાના પાપથી વિનાશ પામી ગયો. આ વૃત્તાંત સાંભળી મદના નિર્ભય થઈ ગઈ. પછી પેલા બે ચમત્કારી કંપા લઈ, બંને દંપતિ ગુફાની બહાર નીકળી આગળ ચાલ્યાં. ગુફાની ઉપર એક શિલા મુકી દીધી, અને પિતાની વિવાહભૂમિની રક્ષા કરી, શ્રી ચંદ્ર હાથમાં ચંદ્રહાસ ખ લઈ, પિતાની પ્રિયાની સાથે આગળ ચાલ્યો. અરણ્યને ઉલ્લંઘન કરી ચાલતાં એક ગામ આવ્યું, ત્યાં રહેલી મુસાફરોની ધર્મશાળામાં તે દંપતિ ઉતર્યો. ધર્મશાળાની આસપાસ એક નાની વાડી હતી, વાડીને રક્ષક માળી, તે ધર્મશાળાના મુસાફરોની બરદાસ કરતા હતા, અને તેમાંથી પોતાને નિર્વાહ ચલાવતા હતા. શ્રીચંદ્ર ધર્મશાળામાં પિતાની પ્રિયાની પાસે રસોઈ કરવા ઈચ્છા જણાવી. મદના તેથી ખુશી થઈ, માળીની પાસે ઘી, સાકર, મશાલે અને બીજી ઉંચી સામગ્રી મંગાવી, મદનાએ પ્રિયને માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવી. માલપુવા, ઘેબર, મોદક, અને જાતજાતનાં શાક સંસ્કારથી સુધારી તૈયાર કર્યા. શ્રીચંદ્રને ભોજન લેવા વિનંતી કરી, એટલે આસ્તિક શિરોમણી શ્રીચંદ્ર સ્નાન કરવા ગયો. પ્રાસુક જળથી સ્નાન કરી, પવિત્ર વસ્ત્રાભરણ ધારણ કરી, તીર્થની સન્મુખ ઉભો રહી, પછી પંચાંગ પ્રણામ કરી, ઉત્તરાસંગ રાખી, કરકમળ લલાટ ઉપર જેડી, અને મદ મત્સર ભાવને ત્યાગ કરી, નીચે પ્રમાણે રમૈત્યવંદન તેણે મધુર સ્વરે ઉચ્ચાર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy