SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ આનંદ મંદિર, ૯ અંકુશ, ૧૦ કાચબો, ૧૧ સિંહ, ૧૨ ધ્વજા, ૧૩ ક્ષ, ૧૪ હાથી, ૧૫ મસ્ય, ૧૬ જવ, ૧૭ મહેલ, ૧૮ સ્તૂપ, ૧૯ પર્વત, ૨૦ દર્પણ, ૨૧ ચામર, ૨૨ સરોવર, ૨૩ પુપની માળા, ૨૪ વૃષભ, ૨૫ કમંડળ, ૨૬ પૂર્ણકુંભ, ૨૭ કમળાકર, ૨૮ ચક્ર, ૨૯ શંખ ૩. મેર, ૩૧ મઘર અને ૩૨ સમુદ્ર; એવાં ચિહ હેય, તે પણ બત્રીસ લક્ષણવાળા પુરૂષ કહેવાય છે. આવાં લક્ષણવાળો પુરૂષ જ્યાં જાય, ત્યાં સમૃદ્ધિ પાપ્ત થાય છે, તેના મહેલની આગળ નેબતોને નાદ થાય છે, તેના રૂપ ઉપર સુંદર રમણીઓ મેહ પામે છે, ભય કર અંતરાય પણ તેને નડી શકતો નથી, તેના શરીરમાં વર્ણથી અધિક સ્નિગ્ધતા હોય છે, અને સ્નિગ્ધતાથી અધિક વચનની કમળતા હોય છે, અને કોમળતાથી વિશેષ ગાંભીર્ય હોય છે. આ બધાં લક્ષણો તમારામાં સ્પષ્ટ દેખાય છે, તેથી મન, વચન અને કાયાએ કરી મેં તમને પતિ કર્યા છે પ્રાણનાથ ! આ દાસીને સ્વીકાર કરે, આ સંસારમાં હવે તમારોજ આધાર છે. કદિ એ વિદ્યાધર આવે, તો પણ મારે તેનું કોઈ કામ નથી. પીતળની સાથે સુવણને યોગ કરવા કોણ ઈચ્છા કરે? પ્રાણેશ ! હવે મારો ઉદ્ધાર કરો. તે દુષ્ટ વિદ્યાધર આવ્યા પહેલાં અહીંથી ચાલ્યા જવું જોઈએ. હવે તેને આવવાને સમય છે. દુર્જનથી દૂર રહેવું એ સારું છે; તે વિષે સાહિત્ય શાસ્ત્રમાં નીચેનું એક પદ્ય કહેવાય છે शकटं पंचहस्तेन, दशहस्तेन वाजिनम् । गजं हस्तसहस्रेण, देशत्यागेन दुर्जनम् ॥ १ ॥ ગાડાંથી પાંચ હાથ દૂર રહેવું, ઘોડાથી દશ હાથ દૂર રહેવું, હાથીથી એક હજાર હાથ દૂર રહેવું, અને દુર્જનથી દેશને ત્યાગ કરી દૂર રહેવું. ૧ પ્રાણેશ ! અથવા મારે હવે શી ચિંતા છે? તે ચિંતા આપને રાખવાની છે. જે સિંહના ઉત્સંગમાં બેસે, તેને બીજા શીકારી પ્રાણીઓને શો ભય હેય ? હવે સત્વર ગાંધર્વવિધિથી મારું પાણિગ્રહણ કરે. મદન સુંદરીનાં આવાં વચન સાંભળી શ્રીચંદે કહ્યું, રાજકુમારી ! તે વિદ્યાધરની બીક રાખશો નહિ, દેવગુરૂનું સ્મરણ કરે. કર્મની ઘટના હશે તે, તમારી ઇચ્છા સફળ થશે. તમે કહે છે કે, મધ્યાન્હ કાળે લગ્નને સમય છે, તે તે સમય આ ગુફામાંથી શી રીતે જાણી શકાશે ? રાજકુમારી બેલી, સ્વામી ! આ મંદિરની નજીક એક ખાડ છે, તેમાં એક બારી છે, તે બારીએથી બાહેરને ભાગ દેખાય છે, તે ઉપરથી દિવસનું પરિમાણ થાય છે, એમ કહ્યા પછી શ્રીચંદ્રને મદનાએ તે બારી બતાવી. મદનસુંદરીએ મધ્યાન્હ કાળ થયો, એટલે પ્રથમ દિવસના અપવાસનું પારણું કરી શ્રીચંદ્રની સાથે ગાંધર્વવિધિથી વિવાહ કર્યો. નાગરવેલ અને સોપારીની જેમ તેમનો યુગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy