SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચંદ્ર ગુફામાં. २२३ ગળ ચાલ્ય, હાથમાં ચંદ્રવાસ ખ લીધું. થોડે દૂર જતાં એક વડનું જંગી ઝાડ આવ્યું; તે વડની નીચે એક દર્ભનો સંથારો જોવામાં આવ્યું. શ્રીચંદ્ર તે ઉપર સુવાની ઇચ્છા કરી, અને મનમાં ચિંતવ્યું કે, જે પેલા નરનો મેં ઘાત કર્યો, તે પુરૂષનું આ શયનસ્થાન હશે. આવું ચિંતવી તેણે ર્ભનો સંથારો ઉંચો કર્યો, ત્યાં એક બખોલ જોવામાં આવી, તે ઉપર કાષ્ટ તથા ઘાસ ઢાંકયાં હતાં, તે દુર કરી જોયું, ત્યાં એક ગુફા જોવામાં આવી; તેમાં ઉતરી આગળ ચાલ્યો, ત્યાં એક શિલા પડેલી જોઈ. શિલાને દુર કરી, ત્યાં પગથીયાંની શ્રેણી જોવામાં આવી, તે શ્રેણીમાં ચાલતાં ઉપર કહેલ નવરંગિત ભુવન અને મદનસુંદરીને વૃત્તાંત બન્યો હતો. શ્રીચંદ્ર કહ્યું –ભદ્ર ! એક મુસાફર છું; હું કુશસ્થલીમાંથી આવ્યો છું, દારિ, દથી દુ:ખી થઈ દ્રવ્યને માટે દેશાટન કરું છું, કર્મયોગે આ ગુહામાં આવી ચડ્યો છું, તમે મનમાં જરા પણ ખેદ કરશે નહીં. કદિ તે વિદ્યાધર પરણે, તે પણ ખેદ કરશે નહીં, કમની રેખા કદિ પણ ટળતી નથી; પ્રાણીને કર્મ પ્રેરક છે, માટે હૈયે રાખજે. કર્મથી કોઈ બળવાન નથી, આ સચરાચર જીવલોક કર્મને આધીન છે. શ્રીચંનાં આવાં વચન સાંભળી બદસુંદરીએ હૃદયમાં વિચાર્યું; “ આકૃતિ ઉપરથી આ કોઈ પુરૂષ બત્રીસ લક્ષણવાળો દેખાય છે, માટે આ પુરૂષને જ પતિ કર ગ્ય છે.” આવું ચિંતવી મનાતુર મદના બેલી–રાજકુમાર ! મારા ભાગ્યયોગે તમે પધાર્યા છે, મારું હૃદય હું આપનેજ તાબે કરું છું. હવે હું આપની થવા ઇચ્છું છું. મહાનુભાવ ! મેં પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી કે, બત્રીસ લક્ષણવાળા પુરૂષને વરવું, તે મારી પ્રતિજ્ઞા તમારાથી સફળ થાય તેમ છે, તમારા સુંદર શરીર ઉપરજ બત્રીસ લક્ષણે સ્પષ્ટ દેખાય છે. શ્રીચ કે હસતાં હસતાં કહ્યું–રાજકુમારી ! મારામાં બત્રીસ લક્ષણો હોય, તે મારે દેશાટન કરવું કેમ પડે ? વળી તે બત્રીશ લક્ષણો કયાં ? તે મને જણાવો. મદન સુંદરી બોલી–મહાનુભાવ ! તે બત્રીસ લક્ષણવાળો પુરૂષ દેશાટન કરે, તચાપ તેને સર્વ સુખ પ્રાપ્ત થાય છે, તેને વિસ્તાર સામુદ્રિક શાસ્ત્રમાં કહે છે. જેના શરીરમાં પાંચ લાંબાં, ચાર ટુંક, પાંચ સૂમ, ચાર ઉંચા, સાત રાતાં, ત્રણ પહેળાં, ત્રણ ગંભીર અને એક શ્યામ અંગ હોય, તે બત્રીસ લક્ષણવાળો પુરૂષ હોય છે. બે હાથ, બે નેત્ર, આંગળાં, જીભ અને નાસિકા, એ પાંચ લાંબાં હોય; વાંસે, કટિ, લિંગ અને જાંધ, એ ચાર ટુંકાં હેય; દાંત ત્વચા, નખ, પર્વ અને કેશ, એ પાંચ ઝીણું હોય; કાખ, ખંભા, મસ્તક અને પગ એ ચાર ઉંચાં હોય, હાથપગનાં તળીયા, તાળવું, જીભ, નેત્રના ખૂણા, નખ અને હેઠ, એ સાત રાતાં હોય; લલાટ, હૃદય અને મુખ, એ ત્રણ પહેળાં હોય, નાભિ, સત્વ અને સ્વર, એ ત્રણ ગંભીર હોય, અને જેના કેશ અતિ શ્યામ હેય, તે બત્રીસ લક્ષલવાળો પુરૂષ કહેવાય છે. વળી બીજે પ્રકારે પણ બત્રીસ લક્ષણ રેખા ઉપરથી ગણાય છે. જેઓની રે બાઓમાં ૧ છત્ર, ૨ કમળ, ૩ ધનુષ્ય, ૪ વજ, ૫ વાવ્ય, ૬ સ્વસ્તિક, છ તરણ, ૮ રથ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy