________________
૨૨૨
આનંદ મંદિર. અને લાગ જોઈ હું તને હરણ કરી અહીં લાવ્યો છું. મારી સ્ત્રી સ્વભાવે ઉઝ છે, તેથી તેનાથી ભય પામી હું તને અહીં એકાંતે લાવ્યો છું. તે સાથે તેણે જણાવ્યું કે, આતે ગુરૂવારે મધ્યાન્હ હું તારી સાથે લગ્ન કરીશ. હું લગ્નની સામગ્રી લેવા જાઉં છું. " મહાનુભાવ! તે દુષ્ટ વિદ્યાધર આ પ્રમાણે કહી ગયો છે. આજે ગુરૂવારના દિવસ છે, એ દુષ્ટ હમણાં જ આવી પહોંચશે, તે પહેલાં મારો બચાવ કરે..
આ પ્રમાણે મારે વૃત્તાંત મેં આપને જણાવ્યો, હવે આપ કોણ છે ? અને ક્યાંથી આવે છે ? તે કૃપા કરી જણાવશે. આકૃતિ ઉપરથી તમે કોઈ પરાક્રમી દેખાઓ છે, મારાં શુભ કર્મ આપને મોકલ્યા હોય તેમ લાગે છે. હવે હું નિર્ભય છું, એમ મને નિશ્ચય થાય છે. તમારા જેવા સાહસિક શિરોમણિ નરનાં દર્શનથી હું પૂર્ણ રીતે કૃતાર્થ થઈ છું. મારા શીળનો ભંગ થવાની શંકા હવે જરાપણ રહેતી નથી.
વાંચનારે અનુમાનથી તે જાણ્યું હશે કે, આ તરૂણ પુરૂષ તે આપણી વાતને મુખ્ય નાયક શ્રી ચંદ્રકુમાર છે. એ સમર્થ વીર યક્ષકન્યાને પ્રાપ્ત કરી આગળ ચાલ્યો, તે વખતે તેણે ક્ષત્રિય વેષ ધારણ કર્યો હતો. આગળ જતાં એક ભયંકર અટવી આવી, તે અટવીમાં પલ્લીપતિઓ ઘણું રહેતા હતા, જાતજાતનાં શીકારી પ્રાણીઓના અવાજ સાંભળવામાં આવતા હતા. ભયંકર અટવીમાં ફરતો શ્રીચંદ્રકુમાર એક ઘાટી ઝાડીમાં દાખલ થયે. વૃક્ષોની ઘટાથી સૂર્યનાં કીરણો પણ દેખાતાં ન હતાં, ચારે તરફ અંધકાર છવાઈ રહ્યો હતો. આગળ જતાં એક વૃક્ષ નીચે તેજને ગોળો જોવામાં આવ્યો, ચારે તરફ તેનો દિવ્ય પ્રકાશ થઈ રહ્યા હતા. સાહસિક શ્રીચંદ્રે ત્યાં જઈ જોયું, ત્યાં એક તેજસ્વી ખ પડેલું જોયું. રાજકુમારે ખડે હાથમાં લીધું, ત્યાં તેના જાણવામાં આવ્યું કે, “આ તો ચંદ્રહાસ ખ છે.” આવા ઘાટા જંગલમાં આ ખરું કે લાવ્યું હશે ? ઇત્યાદિ અનેક વિચાર કરતા શ્રીચંદ્ર ખડું લઈ, આગળ ચાલ્યો. થોડે દુર જતાં એક વાંસનું જાળ જોવામાં આવ્યું, ખની તીણતા જેવાને કુમારે તે જાળ ઉપર અને ઘા કર્યો, ત્યાં જાળની સાથે એક પુરૂષને કપાય જે. કમળનાં નાળવાંની જેમ પુરૂષના બે કટકા જઈ, શ્રીચંદ્ર ચમકી ગયે. અરે ! આ શું વિપરીત બન્યું ? મેં કઈ પુરૂષને ઘાત કર્યો, મહા પાપ લાગ્યું, આ પાપથી નરકમાં પણ મારો વાસ થશે નહીં. મારા જેવા અહિંસાધર્મને પં ચંદ્રિયને ઘાત મહા પાપનું કારણ થયો. આ પાપમાંથી હું કયારે મુક્ત થઈ. ? આવું ચિંતવી તે કપાએલા પણ તડફડતા પુરૂષની આગળ ચંદ્ર આવ્યા, તેણે પેતાનું ! તેના હાથમાં આપી કહ્યું, ભદ્ર ! હું તારો ઘાતક મહા અપરાધી છું, આ ખવડે મારું મસ્તક છેદી નાખ, જેથી હું તારા અપરાધમાંથી મુક્ત થાઉં. તે ધાયેલ પુરૂષ શિથિળ થઈ ગયે હતો, તેણે સંજ્ઞા કરી જણાવ્યું કે, મને જળપાન કરાવે. તે જાણી શ્રીચંદ્ર પાસેના એક ઝરણુમાંથી જળ લાવી આપ્યું. જળપાન કરી તે મૃત્યુ પામી ગયે.
શ્રીચંદ્ર તે આખો દિવસ પાપના પશ્ચાતાપમાં આકુળ વ્યાકુળ રહ્યા, તેણે આખો દિવસ અન્ન જળ લીધાં નહિ. જ્યારે રાત્રિ પડી, એટલે તે કોઈ આશ્રય શોધવાને આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org