________________
- શ્રીચંદ્ર ગુફામાં.
૨૨૧ ગુમંજરીના નામની જપમાળા ફેરવી તે જંગલમાં ભટકવા લાગે, અને રાગધેલ થઈ ઘણી વિટબનાઓ ભોગવવા લાગ્યો.
એક વખતે કોઈ પ્રવીણ ગાયક હેમપુરના રાજાના દરબારમાં આવી ચડે. તેની ગાયન કળા સાંભળવાને રાજા મકરધ્વજે એક જાહેર સભા ભરી. તે ચતુર ગાયક કુશસ્થલીના રાજા પ્રતાપસિંહના પુત્ર શ્રી ચંદ્રકુમારના ગુણોનું ગાયનમાં વર્ણન કર્યું, તે સાંભળી મહારાજ અને બીજા શ્રોતાઓ ઘણા ખુશ થઈ ગયા. રાજા મકરધ્વજે તે ગાયકને મોટું ઈનામ આપ્યું. શ્રી ચંદ્રકુમારના ગુણ સાંભળી રાજા મકરધ્વજે પિતાના મંત્રી સાથે વિચાર કર્યો કે, રાજકુમારી મદનસુંદરીને સંબંધ શ્રી ચંદ્રકુમારની સાથે કરે, અને તેને માટે યોગ્ય ગોઠવણ કરવા પણ માંડી.
આ અરસામાં મદસુંદરી સખીઓની સાથે વનમાં રમવા ગઈ. તે બાલિકા એક પુષ્પગ્રહમાં પોતાની સખીઓની સાથે રમતી હતી, ત્યાં કોઈ વિદ્યાધર આકાશમાંથી અચાનક આવ્યો. કામપીડિત એ વિદ્યાધર મદન સુંદરીને ત્યાંથી હરી ચાલતે થયે. તે વિદ્યાધરે પિતાની સ્ત્રીના ભયથી તે રાજકુમારીને આ ગુફામાં મુકી, તે મદનસુંદરી હું તેજ છું. તે દુષ્ટને મેં ઘણી પ્રાર્થના કરી, પણ તેણે માન્યું નહીં, અને બળાત્કારે મારી સાથે વિવાહ કરવાની ઈચ્છા કરી, તે વિવાહની સામગ્રી લેવાને બહાર ગયું છે. મને પેલા કંપામાંથી અંજન લગાડી વાનગી બનાવી ચાલ્યો ગયો છે. તે ગયા આજે પાંચ દિવસ થયા છે, મેં જ્યારે રૂદન કરી ઘણી આજીજી કરી, ત્યારે તેણે ચાલતી વખતે મને કહ્યું–સુંદરી ! હું રત્નસુડ નામે વિદ્યાધર છું, મને સ્વામી તરીકે સ્વીકારતાં તે ઘણુંજ સુખી થઈશ. મારા ગોત્રના વિદ્યાધર રાજાઓએ એકઠા મળી, મને મારી રાજધાનીમાંથી બહાર કાઢી મુકો છે, મણિભૂષણપુર નામે મારી સુંદર રાજધાની છે, મારું રાજ્ય તેઓએ પિતાને સ્વાધીન કરી લીધું છે.
મૃગાક્ષી ! એક વખતે પદભ્રષ્ટ થઈ હું ભટકતા ભટકતે કુશસ્થળી નગરીમાં આવી ચો, ત્યાં એક મોટા સૈન્યને પડાવ મારા જોવામાં આવ્યું. હાથી, ઘેડા, રથ અને પેદલની ઘણી સંખ્યા તેમાં સામેલ હતી, તેમાં દાખલ થયે; ત્યાં એક મેટે વિશાળ તંબુ જોવામાં આવ્યું, તેમાં સુવર્ણના પલંગ ઉપર એક પવિણ શ્રી પિતાની સખીઓની સાથે ક્રીડા કરતી બેઠી હતી. તેના તંબુની આસપાસ ઉઘાડી તરવાર લઇ વીર સુભટ ચેકી કરવા ફરતા હતા, તે પદ્મિણ પિતાને સાસરેથી પિતાને ઘેર જતી હતી, તે મને રમાને જોતાંજ મને ઘણો મેહ ઉત્પન્ન થયો, તેનું હરણ કરવાને લાગ જોઈ હું છાની રીતે ત્યાં રહ્યા, પણ મને લાગ મળે નહિ; વળી તે બાળા સતી હતી, પતિ શિવાય પ્રાણુતે પણ અન્ય પુરૂષને સ્પર્શ કરે તેવી ન હતી, તેણીનાં શીલની રક્ષા કરવા માટે દિવ્ય પુરૂષો
તેની પાસે રહેતા હોય, તેવું મને ભાન થયું, તેથી હું નિરાશ થઈ પાછો ફર્યો. તે પછી ! કોઈ પણ બીજી સુંદર સ્ત્રીની શોધમાં દેશદેશ હું કરવા લાગ્યા. ફરતાં ફરતાં હેમપુર નગ
રમાં આવ્યો, ત્યાં મારા જેવામાં તું આવી, તારા અલોકીક સંદર્ય ઉપર મારું ચિત્ત કર્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org