________________
૨૨૦
આનંદ મંદિર, તે પુરૂષને જોતાંજ વાનરી શયામાંથી બેઠી થઈ, ચરણમાં આવી તેણીએ વંદના કરી, અને તે યુવાન પુરૂષને છેડે પકડી તેને આગ્રહ દર્શાવી શયા ઉપર બેસા. તે જોઈ તરૂણ પુરૂષ આશ્ચર્ય પામી ગયે. તત્કાળ તેણે વાનરીને કહ્યું, અરે મુંગા પ્રાણી ! તું ઉપરથી મને મનુષ્ય જાતી લાગે છે, તે છતાં વાનરીરૂપે કેમ દેખાય છે ? તારું વૃત્તાંત જાણવાની મને ઉત્કંઠા છે. તરૂણ પુરૂષનાં આવાં વચન સાંભળી વાનરીના નેત્રમાંથી અને સુધારા ચાલવા લાગી. રૂદન કરતી કપિનીએ પિતાને હાથ લાંબો કરી, તે પુરૂષને એક આ રીયું બતાવ્યું. તે સંજ્ઞાથી જાણી લઈ, પુરૂષે બેઠા થઈ તે આરીયું ઉઘાડયું, તેમાં બે કુંપા જોવામાં આવ્યા. કુંપાની અંદર એકમાં કાળું અને બીજામાં છેલ્લું, એમ બે જ તનાં અંજન જોવામાં આવ્યાં. વાનરીએ શ્યામ અંજન ઉપર આંગળી કરી, પિતાની આંખને સ્પર્શ કર્યો. એ ચેષ્ટા ઉપરથી જાણી લઈ તરૂણ પુરૂષે, તે શ્યામ અંજન વાનરીના નેત્રમાં આંક્યું, અંજન જતાંજ તે કપિરૂપ છોડી સુંદર માનુષી થઈ ઉભી રહી, તેના શરીર ઉપર દિવ્ય સ્રદ ઝળકી ઉઠયું, મનહર મુખની છબી પૂર્ણચદ્રને શરમાવવા લાગી, પાનાં જેવાં વિશાળ લેચન ઉપર ચપળતા છવાઈ રહી, પવનથી લલિત એ લલનાએ ક્ષત્રિય કુમારને પ્રણામ કર્યા. તરૂણ પુરૂષ બે –સુંદરી ! તમે કોણ છે ? આવા એ કાંત સ્થળમાં તમને કેણુ લાવ્યું છે ? આ સ્થાન કેનું છે ? તમારા જેવી મનહર માનુષ સ્ત્રીને વાનરીરૂપે કરનાર કોણ છે? આવું અધર્મ કાર્ય કોણે કર્યું ? આ સર્વ વૃત્તાંત જાણુવાની મને ઉત્કંઠા છે, જે કઈ પણ બાધ ન હોય, તે મને જણાવશો.
એ સુંદરીએ વિનયથી તરૂણ પુરૂષને આ પ્રમાણે જણાવ્યું. તેમપુર નગરમાં રૂપથી કામદેવને જીતનાર મકરધ્વજ નામે રાજા છે, તેને મદનાવલી નામે રાણી છે, તેણીના ઉદરથી મદનપાળ નામે એક પુત્ર અને તેથી નાની મદન સુંદરી નામે પુત્રી થઈ છે. રાજકુમારી મદનસુંદરી તેના માતાપિતાને વધારે વહાલી છે, અનુક્રમે તે બાળા યૌવનવયને પ્રાપ્ત થઈ, માયાળુ માતાપિતાએ તે બાળાને વિદ્યાભ્યાસ કરાવ્યો, સ્ત્રીઓની અને પુરૂષોની કળા તેણુને શીખવી, તેમાં પુરૂષોનાં બત્રીસ લક્ષણે તેણીના જાણવામાં આવ્યાં, એટલે તે આળાએ નિશ્ચય કર્યો કે, બત્રીસ લક્ષણવાળો જે પુરૂષ હોય, તેની સાથે મારે વિવાહ કરે. આવી તેની પ્રતિજ્ઞા માતાપિતાના જાણવામાં આવી, તેમણે પણ તેમાં અનુમોદન આપ્યું.
વીર મહાશય ! એક વખત એવું બન્યું કે, મદનસુંદરીને ભાઈ મદનપાળ ફરવા જતો હતો, ત્યાં પ્રિયંગુમંજરી નામે એક કુમારીકા તેની નજરે ચડી ગઈ. તેણીનું સુંદર રૂપ જોઈ મદનપાળ દેહ પામી ગયે, તેના હદયમાં તેણુને વિરહાગ્નિ પ્રગટ થયા. રાગી મદનપાળ બનતા પ્રયત્ન કરીને પણ પ્રિયંગુમંજરી મેળવવાને યત્ન કરવા લાગે. તેને યત્ન સફળ થતો ન હતો, કારણ કે પ્રિયંગુમંજરી રાધાવેધ કરનાર એક શ્રીચંદ્રકુમાર ઉપર રાગી થઈ હતી. શ્રી ચંદ્રકુમારના રાગને લઈ તેણીએ મદનપાળ ઉપર જરા પણ પ્રેમ કર્યો નહીં.
આથી મદનપાળ ઘેલા જે થઈ રાજ્યમાંથી ચાલી નીકળ્યા. રાતદિવસ પ્રિય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org